ગીર સોમનાથના MLA Vimal Chudasama હવે મેદાને! ગેરકાયદેસર દારૂ, જુગાર ધામ મામલે કરી આમને રજૂઆત, જો કાર્યવાહી નહીં થાય તો...


  • Published By :
  • Published Date : 2024-06-17 11:36:50

ભાજપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા ત્યારે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક ગંભીર મુદ્દાને લઈ રજૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.. વિમલ ચૂડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખે પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે . વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી..  

કોંગ્રેસના ધારાસભ્યએ કરી કાર્યવાહી કરવાની માગ!

ગુજરાતમાં દારૂ બંધી છે.. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે.. દારૂ બંધી હોય ત્યાં દારૂ ના મળે તેવું કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું કેવું પાલન થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં દારૂ બંધીના લીરેલીરા ઉડતા હોય છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે દારૂ કયાં મળે છે પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક જગ્યાઓ પર જુગાર ધામ તેમજ વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે જેને બંધ કરાવવા માટે ગીર સોમનાથના ધારાસભ્યે પત્ર લખી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.    


વિમલ ચુડાસમાએ પત્રમાં લખ્યું કે...  

સામાન્ય માણસ દ્વારા પોલીસને આવી રજૂઆત કરવામાં આવે તે વાત કદાચ સામાન્ય લાગે પરંતુ જ્યારે ધારાસભ્ય આવી રજૂઆત કરે ત્યારે...! ગીર સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે , વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લે આમ ચાલી રહ્યા છે. વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 



જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની કહી વાત...

આટલું જ નહિ ,વિમલ ચુડાસમાએ DGPને પત્ર લખી રજુઆત કરી છે .પત્ર તો લખ્યો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ જનતા રેડ કરીને વેરાવળ શહેરને આ ગેરકાયેદસર પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવશે. મહત્વનું છે અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં એવું લાગે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો છે. જનતાને હવે જાગૃત થવાની જરૂરત છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .