ગીર સોમનાથના MLA Vimal Chudasama હવે મેદાને! ગેરકાયદેસર દારૂ, જુગાર ધામ મામલે કરી આમને રજૂઆત, જો કાર્યવાહી નહીં થાય તો...


  • Published By :
  • Published Date : 2024-06-17 11:36:50

ભાજપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા ત્યારે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક ગંભીર મુદ્દાને લઈ રજૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.. વિમલ ચૂડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખે પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે . વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી..  

કોંગ્રેસના ધારાસભ્યએ કરી કાર્યવાહી કરવાની માગ!

ગુજરાતમાં દારૂ બંધી છે.. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે.. દારૂ બંધી હોય ત્યાં દારૂ ના મળે તેવું કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું કેવું પાલન થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં દારૂ બંધીના લીરેલીરા ઉડતા હોય છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે દારૂ કયાં મળે છે પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક જગ્યાઓ પર જુગાર ધામ તેમજ વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે જેને બંધ કરાવવા માટે ગીર સોમનાથના ધારાસભ્યે પત્ર લખી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.    


વિમલ ચુડાસમાએ પત્રમાં લખ્યું કે...  

સામાન્ય માણસ દ્વારા પોલીસને આવી રજૂઆત કરવામાં આવે તે વાત કદાચ સામાન્ય લાગે પરંતુ જ્યારે ધારાસભ્ય આવી રજૂઆત કરે ત્યારે...! ગીર સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે , વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લે આમ ચાલી રહ્યા છે. વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 



જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની કહી વાત...

આટલું જ નહિ ,વિમલ ચુડાસમાએ DGPને પત્ર લખી રજુઆત કરી છે .પત્ર તો લખ્યો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ જનતા રેડ કરીને વેરાવળ શહેરને આ ગેરકાયેદસર પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવશે. મહત્વનું છે અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં એવું લાગે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો છે. જનતાને હવે જાગૃત થવાની જરૂરત છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.