ગીર સોમનાથના MLA Vimal Chudasama હવે મેદાને! ગેરકાયદેસર દારૂ, જુગાર ધામ મામલે કરી આમને રજૂઆત, જો કાર્યવાહી નહીં થાય તો...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-17 11:36:50

ભાજપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા ત્યારે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક ગંભીર મુદ્દાને લઈ રજૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.. વિમલ ચૂડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખે પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે . વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી..  

કોંગ્રેસના ધારાસભ્યએ કરી કાર્યવાહી કરવાની માગ!

ગુજરાતમાં દારૂ બંધી છે.. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે.. દારૂ બંધી હોય ત્યાં દારૂ ના મળે તેવું કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું કેવું પાલન થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં દારૂ બંધીના લીરેલીરા ઉડતા હોય છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે દારૂ કયાં મળે છે પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક જગ્યાઓ પર જુગાર ધામ તેમજ વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે જેને બંધ કરાવવા માટે ગીર સોમનાથના ધારાસભ્યે પત્ર લખી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.    


વિમલ ચુડાસમાએ પત્રમાં લખ્યું કે...  

સામાન્ય માણસ દ્વારા પોલીસને આવી રજૂઆત કરવામાં આવે તે વાત કદાચ સામાન્ય લાગે પરંતુ જ્યારે ધારાસભ્ય આવી રજૂઆત કરે ત્યારે...! ગીર સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે , વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લે આમ ચાલી રહ્યા છે. વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 



જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની કહી વાત...

આટલું જ નહિ ,વિમલ ચુડાસમાએ DGPને પત્ર લખી રજુઆત કરી છે .પત્ર તો લખ્યો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ જનતા રેડ કરીને વેરાવળ શહેરને આ ગેરકાયેદસર પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવશે. મહત્વનું છે અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં એવું લાગે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો છે. જનતાને હવે જાગૃત થવાની જરૂરત છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...