ગીર સોમનાથના MLA Vimal Chudasama હવે મેદાને! ગેરકાયદેસર દારૂ, જુગાર ધામ મામલે કરી આમને રજૂઆત, જો કાર્યવાહી નહીં થાય તો...


  • Published By :
  • Published Date : 2024-06-17 11:36:50

ભાજપના અનેક ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર, અધિકારીઓને ચીમકી આપતા દેખાઈ રહ્યા ત્યારે કોંગ્રેસના સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક ગંભીર મુદ્દાને લઈ રજૂઆત કરી છે સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી છે.. વિમલ ચૂડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખે પત્ર લખ્યો હતો જેમાં લખ્યું હતું કે, વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લેઆમ ચાલી રહ્યા છે . વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી..  

કોંગ્રેસના ધારાસભ્યએ કરી કાર્યવાહી કરવાની માગ!

ગુજરાતમાં દારૂ બંધી છે.. ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે.. દારૂ બંધી હોય ત્યાં દારૂ ના મળે તેવું કહેવામાં આવે છે પરંતુ ગુજરાતમાં દારૂ બંધીના કાયદાનું કેવું પાલન થાય છે તે આપણે જાણીએ છીએ. અનેક વખત એવા વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં દારૂ બંધીના લીરેલીરા ઉડતા હોય છે. અનેક વખત પોલીસને પણ ખબર હોય છે કે દારૂ કયાં મળે છે પરંતુ તેના વિરૂદ્ધ કાર્યવાહી નથી કરવામાં આવતી, તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. અનેક જગ્યાઓ પર જુગાર ધામ તેમજ વિદેશી દારૂના અડ્ડા ચાલતા હોય છે જેને બંધ કરાવવા માટે ગીર સોમનાથના ધારાસભ્યે પત્ર લખી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી.    


વિમલ ચુડાસમાએ પત્રમાં લખ્યું કે...  

સામાન્ય માણસ દ્વારા પોલીસને આવી રજૂઆત કરવામાં આવે તે વાત કદાચ સામાન્ય લાગે પરંતુ જ્યારે ધારાસભ્ય આવી રજૂઆત કરે ત્યારે...! ગીર સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના MLA વિમલ ચુડાસમાએ પોલીસ તંત્રને 11મી તારીખના રોજ પત્ર લખ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે , વેરાવળ પાટણ ભીડીયા શહેરી વિસ્તારમાં વિદેશી દારૂ અને જુગારના અડ્ડા તંત્રના ડર વગર ખુલ્લે આમ ચાલી રહ્યા છે. વિમલ ચુડાસમાએ આ પત્ર લખ્યો હોવા છતાં અને ટેલિફોનિક રજુઆત કરી હોવા છતાં હજી સુધી કોઈ નિવેડો કે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. 



જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવાની કહી વાત...

આટલું જ નહિ ,વિમલ ચુડાસમાએ DGPને પત્ર લખી રજુઆત કરી છે .પત્ર તો લખ્યો સાથે સાથે તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આવનાર દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તેમજ જનતા રેડ કરીને વેરાવળ શહેરને આ ગેરકાયેદસર પ્રવૃત્તિથી મુક્ત કરવામાં આવશે. મહત્વનું છે અનેક કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે જેમાં એવું લાગે કે સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો છે. જનતાને હવે જાગૃત થવાની જરૂરત છે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..  



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.