"તને હિરોઇન બનાવીશ" કહી ભગુ વાળાએ મોડેલ યુવતી પર આચર્યું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:39:26

ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના કાર્યકર ભગુ વાળાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ગીર સોમનાથ પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ભગુ વાળાએ મને હિરોઈન બનાવવાની લાલચના જોરે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આમ શરીર સુખ માણી તેમણે મને કોઈ લાભો આપ્યા ન હતા અને આથી મારી સાથે અન્યાય થયો છે. 


કોણ છે ભગુ વાળા?

લાંબા સમયથી ભગુ વાળા કોંગ્રેસમાં હતા. ભગુ વાળાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી AAPનો ખેસ ધારણ કર્યો છે. ભગુવાળા વિશ્વાસ ટેલી ફિલ્મસના માલિક છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ભગુ વાળા સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

AAP કાર્યકર ભગુ વાળાની ફાઇલ તસવીર 

કેવી રીતે બની સમગ્ર ઘટના

વેરાવળના રાજેન્દ્રભૂવન રોડ પર આવેલી ઓફિસ અને વિશ્વાસ ટેલી ફિલ્મના માલિક ભગુ વાળાએ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરી બોલાવી હતી. તેમણે તેને લલચાવી ફોસલાવી ભાડે રાખેલ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગીર સોમનાથ પોલીસને સમગ્ર મામલે રાત્રે 11 વાગ્યે જાણ થતાં પોલીસે તેમની સામે કલમ 367 મુજબ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.  

વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે ભગુ વાળા

પીડીતાએ ભગુ વાળા પર શું આક્ષેપો કર્યા?

પીડીતાએ કહ્યું કે પૈસા કમાવી આપીશ, ફેમસ કરી આપીશ તને એમ કહી મને અહીં બોલાવી. ત્યાર બાદ ભાડે રાખેલ રુમમાં લઇ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ ચેકઅપ માટે તાત્કાલિક ખસેડાઇ હતી અને પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી.

ભગુ વાળા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAPમાં જોડાયા હતા અને વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે. આ બનાવ બનતા ગીર સોમનાથના રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.