"તને હિરોઇન બનાવીશ" કહી ભગુ વાળાએ મોડેલ યુવતી પર આચર્યું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:39:26

ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના કાર્યકર ભગુ વાળાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ગીર સોમનાથ પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ભગુ વાળાએ મને હિરોઈન બનાવવાની લાલચના જોરે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આમ શરીર સુખ માણી તેમણે મને કોઈ લાભો આપ્યા ન હતા અને આથી મારી સાથે અન્યાય થયો છે. 


કોણ છે ભગુ વાળા?

લાંબા સમયથી ભગુ વાળા કોંગ્રેસમાં હતા. ભગુ વાળાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી AAPનો ખેસ ધારણ કર્યો છે. ભગુવાળા વિશ્વાસ ટેલી ફિલ્મસના માલિક છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ભગુ વાળા સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

AAP કાર્યકર ભગુ વાળાની ફાઇલ તસવીર 

કેવી રીતે બની સમગ્ર ઘટના

વેરાવળના રાજેન્દ્રભૂવન રોડ પર આવેલી ઓફિસ અને વિશ્વાસ ટેલી ફિલ્મના માલિક ભગુ વાળાએ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરી બોલાવી હતી. તેમણે તેને લલચાવી ફોસલાવી ભાડે રાખેલ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગીર સોમનાથ પોલીસને સમગ્ર મામલે રાત્રે 11 વાગ્યે જાણ થતાં પોલીસે તેમની સામે કલમ 367 મુજબ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.  

વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે ભગુ વાળા

પીડીતાએ ભગુ વાળા પર શું આક્ષેપો કર્યા?

પીડીતાએ કહ્યું કે પૈસા કમાવી આપીશ, ફેમસ કરી આપીશ તને એમ કહી મને અહીં બોલાવી. ત્યાર બાદ ભાડે રાખેલ રુમમાં લઇ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ ચેકઅપ માટે તાત્કાલિક ખસેડાઇ હતી અને પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી.

ભગુ વાળા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAPમાં જોડાયા હતા અને વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે. આ બનાવ બનતા ગીર સોમનાથના રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે. 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.