"તને હિરોઇન બનાવીશ" કહી ભગુ વાળાએ મોડેલ યુવતી પર આચર્યું દુષ્કર્મ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-24 15:39:26

ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના કાર્યકર ભગુ વાળાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ ગીર સોમનાથ પોલીસ મથકમાં નોંધાઈ છે. મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ભગુ વાળાએ મને હિરોઈન બનાવવાની લાલચના જોરે મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આમ શરીર સુખ માણી તેમણે મને કોઈ લાભો આપ્યા ન હતા અને આથી મારી સાથે અન્યાય થયો છે. 


કોણ છે ભગુ વાળા?

લાંબા સમયથી ભગુ વાળા કોંગ્રેસમાં હતા. ભગુ વાળાએ તાજેતરમાં જ કોંગ્રેસ છોડી AAPનો ખેસ ધારણ કર્યો છે. ભગુવાળા વિશ્વાસ ટેલી ફિલ્મસના માલિક છે અને તેઓ ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ભગુ વાળા સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે.

AAP કાર્યકર ભગુ વાળાની ફાઇલ તસવીર 

કેવી રીતે બની સમગ્ર ઘટના

વેરાવળના રાજેન્દ્રભૂવન રોડ પર આવેલી ઓફિસ અને વિશ્વાસ ટેલી ફિલ્મના માલિક ભગુ વાળાએ બહારથી મોડેલિંગ કરવા માટે છોકરી બોલાવી હતી. તેમણે તેને લલચાવી ફોસલાવી ભાડે રાખેલ રૂમમાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. ગીર સોમનાથ પોલીસને સમગ્ર મામલે રાત્રે 11 વાગ્યે જાણ થતાં પોલીસે તેમની સામે કલમ 367 મુજબ ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી હતી.  

વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે ભગુ વાળા

પીડીતાએ ભગુ વાળા પર શું આક્ષેપો કર્યા?

પીડીતાએ કહ્યું કે પૈસા કમાવી આપીશ, ફેમસ કરી આપીશ તને એમ કહી મને અહીં બોલાવી. ત્યાર બાદ ભાડે રાખેલ રુમમાં લઇ જઈ મારી સાથે મરજી વિરુદ્ધ જબરદસ્તી કરી છે. ઘટનાની જાણ થતા પોલીસે રાત્રે તપાસ હાથ ધરી હતી. પીડિતાને મેડિકલ ચેકઅપ માટે તાત્કાલિક ખસેડાઇ હતી અને પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી.

ભગુ વાળા વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ તરીકે કામગીરી કરી ચુક્યા છે. તાજેતરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAPમાં જોડાયા હતા અને વિશ્વાસ ટેલીફિલ્મના માલિક છે. આ બનાવ બનતા ગીર સોમનાથના રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચ્યો છે. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.