પાટડીના વડગામમાં બાળકીને સોયના ડામ અપાયા બાદ સારવાર દરમિયાન થયું મોત, ડામ આપનારી વૃધ્ધાની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-09 22:16:15

હમણા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર આવ્યા હતા કે 10 મહિનાની બાળકીને શરદી ઉધરસ અને તાવ આવ્યો હતો જેના કારણે પરિવાર તેને દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિર લઈ ગયા હતા જ્યાં માસૂમ ફૂલના પેટ પર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદથી બાળકીની તબિયત બગડી હતી અને આજે 10 મહિનાની બાળકીનું નિધન થઈ ગયું છે. અંધશ્રદ્ધાના રસ્તાએ આજે ગુજરાતની એક બાળકીનો જીવ લઈ લીધો છે. 


દસાડા તાલુકાના વડગામમાં બની હતી ઘટના


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામમાં થોડા દિવસ પહેલા 10 મહિનાની દિકરીની તબીયત બગડી હતી. ત્યાં એ પ્રકારનું ચલણ છે કે જેવી કોઈની તબીયત બગડે કે માંદા પડે તો દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. તમે આ જે માજી જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માજી નથી તે આ મંદિરના માતાજી છે જે ગામના લોકોને અને બીજા ગામડાથી માનતા લઈને આવતા લોકોના દુખ દૂર કરે છે, સામાન્ય રીતે બધા જ લોકોને અહીં તબીયત બગડે ત્યારે ડામ આપવામાં આવે છે અને તેમની તબિયત સારી પણ થઈ જાય છે. બાળકીની તબીયત બગડતા પરિવારે વિચાર્યું કે હોસ્પિટલ નથી લઈ જવી બાજુમાં માતાજીનું મંદિર છે તો ત્યાં લઈ જઈએ અને ડામ અપાવી આવીએ જેથી બાળકીની તબીયત સારી થઈ જાય. જો કે જ્યારે શ્રદ્ધા અતિ થઈ જાય ત્યારે એ અંધશ્રદ્ધા થઈ જાય છે, આ કેસમાં પણ આવું જ થયું હતુ. 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે આગમાં ધગધગતી સોયાના ડામ આપ્યા હતા.


અંધશ્રધ્ધામાં અંધ બન્યો પરિવાર


અંધશ્રધ્ધામાં અંધ બનેલો પરિવાર દીકરીને માતાજીના મંદિરે લઈ ગયો અને ત્યાં તેને ધગધગતા સોઈના પેટના ભાગે ડામ આપવામાં આવ્યા. પરિવારને એમ કે ડામ દઈ દેવામાં આવ્યા છે તો હવે તબીયત સુધરી જશે પણ એવું ન થયું. દીકરીની તબીયત વધારેને વધારે બગડતી ગઈ. અંતે દીકરીને બચાવવા પરિવાર રાજકોટની હોસ્પિટલ લઈ ગયું જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘણા દિવસોથી 10 મહિનાના માસુમ ફૂલની સારવાર ચાલી રહી હતી. ડોક્ટર પણ પ્રયાસ કરી રહ્યા હતા કે બાળકીને બચાવી લેવામાં આવે પણ અફસોસ અંધશ્રદ્ધા આગળ 21મી સદીના ડોક્ટર પણ હારી ગયા અને નાની દીકરીનું આજે નિધન થઈ ગયું છે. નાની બાળકીનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


ડામ આપનારી વૃધ્ધાની અટકાયત 


આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીની સારવાર ચાલુ હતી તે દરમિયાન આજે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. શકરી નામની મહિલાએ બાળકીને ડામ આપ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વડગામના 80 વર્ષના માજીએ સિકોતરમાંના મંદિરે પેટ પર ગરમ સોયના 3 ડામ આપ્યા બાદ તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ હતી. મામલે દસાડા પોલીસ દ્વારા વૃદ્ધાની અટકાયત કરાઈ હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.