પાટડીના વડગામમાં બાળકીને સોયના ડામ અપાયા બાદ સારવાર દરમિયાન થયું મોત, ડામ આપનારી વૃધ્ધાની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-09 22:16:15

હમણા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર આવ્યા હતા કે 10 મહિનાની બાળકીને શરદી ઉધરસ અને તાવ આવ્યો હતો જેના કારણે પરિવાર તેને દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિર લઈ ગયા હતા જ્યાં માસૂમ ફૂલના પેટ પર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદથી બાળકીની તબિયત બગડી હતી અને આજે 10 મહિનાની બાળકીનું નિધન થઈ ગયું છે. અંધશ્રદ્ધાના રસ્તાએ આજે ગુજરાતની એક બાળકીનો જીવ લઈ લીધો છે. 


દસાડા તાલુકાના વડગામમાં બની હતી ઘટના


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામમાં થોડા દિવસ પહેલા 10 મહિનાની દિકરીની તબીયત બગડી હતી. ત્યાં એ પ્રકારનું ચલણ છે કે જેવી કોઈની તબીયત બગડે કે માંદા પડે તો દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. તમે આ જે માજી જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માજી નથી તે આ મંદિરના માતાજી છે જે ગામના લોકોને અને બીજા ગામડાથી માનતા લઈને આવતા લોકોના દુખ દૂર કરે છે, સામાન્ય રીતે બધા જ લોકોને અહીં તબીયત બગડે ત્યારે ડામ આપવામાં આવે છે અને તેમની તબિયત સારી પણ થઈ જાય છે. બાળકીની તબીયત બગડતા પરિવારે વિચાર્યું કે હોસ્પિટલ નથી લઈ જવી બાજુમાં માતાજીનું મંદિર છે તો ત્યાં લઈ જઈએ અને ડામ અપાવી આવીએ જેથી બાળકીની તબીયત સારી થઈ જાય. જો કે જ્યારે શ્રદ્ધા અતિ થઈ જાય ત્યારે એ અંધશ્રદ્ધા થઈ જાય છે, આ કેસમાં પણ આવું જ થયું હતુ. 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે આગમાં ધગધગતી સોયાના ડામ આપ્યા હતા.


અંધશ્રધ્ધામાં અંધ બન્યો પરિવાર


અંધશ્રધ્ધામાં અંધ બનેલો પરિવાર દીકરીને માતાજીના મંદિરે લઈ ગયો અને ત્યાં તેને ધગધગતા સોઈના પેટના ભાગે ડામ આપવામાં આવ્યા. પરિવારને એમ કે ડામ દઈ દેવામાં આવ્યા છે તો હવે તબીયત સુધરી જશે પણ એવું ન થયું. દીકરીની તબીયત વધારેને વધારે બગડતી ગઈ. અંતે દીકરીને બચાવવા પરિવાર રાજકોટની હોસ્પિટલ લઈ ગયું જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘણા દિવસોથી 10 મહિનાના માસુમ ફૂલની સારવાર ચાલી રહી હતી. ડોક્ટર પણ પ્રયાસ કરી રહ્યા હતા કે બાળકીને બચાવી લેવામાં આવે પણ અફસોસ અંધશ્રદ્ધા આગળ 21મી સદીના ડોક્ટર પણ હારી ગયા અને નાની દીકરીનું આજે નિધન થઈ ગયું છે. નાની બાળકીનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


ડામ આપનારી વૃધ્ધાની અટકાયત 


આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીની સારવાર ચાલુ હતી તે દરમિયાન આજે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. શકરી નામની મહિલાએ બાળકીને ડામ આપ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વડગામના 80 વર્ષના માજીએ સિકોતરમાંના મંદિરે પેટ પર ગરમ સોયના 3 ડામ આપ્યા બાદ તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ હતી. મામલે દસાડા પોલીસ દ્વારા વૃદ્ધાની અટકાયત કરાઈ હતી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.