પાટડીના વડગામમાં બાળકીને સોયના ડામ અપાયા બાદ સારવાર દરમિયાન થયું મોત, ડામ આપનારી વૃધ્ધાની અટકાયત કરાઈ


  • Published By :
  • Published Date : 2023-08-09 22:16:15

હમણા થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરથી સમાચાર આવ્યા હતા કે 10 મહિનાની બાળકીને શરદી ઉધરસ અને તાવ આવ્યો હતો જેના કારણે પરિવાર તેને દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિર લઈ ગયા હતા જ્યાં માસૂમ ફૂલના પેટ પર ગરમ સળિયાથી ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદથી બાળકીની તબિયત બગડી હતી અને આજે 10 મહિનાની બાળકીનું નિધન થઈ ગયું છે. અંધશ્રદ્ધાના રસ્તાએ આજે ગુજરાતની એક બાળકીનો જીવ લઈ લીધો છે. 


દસાડા તાલુકાના વડગામમાં બની હતી ઘટના


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામમાં થોડા દિવસ પહેલા 10 મહિનાની દિકરીની તબીયત બગડી હતી. ત્યાં એ પ્રકારનું ચલણ છે કે જેવી કોઈની તબીયત બગડે કે માંદા પડે તો દવાખાને લઈ જવાની જગ્યાએ નજીકના સિકોતેર માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે. તમે આ જે માજી જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય માજી નથી તે આ મંદિરના માતાજી છે જે ગામના લોકોને અને બીજા ગામડાથી માનતા લઈને આવતા લોકોના દુખ દૂર કરે છે, સામાન્ય રીતે બધા જ લોકોને અહીં તબીયત બગડે ત્યારે ડામ આપવામાં આવે છે અને તેમની તબિયત સારી પણ થઈ જાય છે. બાળકીની તબીયત બગડતા પરિવારે વિચાર્યું કે હોસ્પિટલ નથી લઈ જવી બાજુમાં માતાજીનું મંદિર છે તો ત્યાં લઈ જઈએ અને ડામ અપાવી આવીએ જેથી બાળકીની તબીયત સારી થઈ જાય. જો કે જ્યારે શ્રદ્ધા અતિ થઈ જાય ત્યારે એ અંધશ્રદ્ધા થઈ જાય છે, આ કેસમાં પણ આવું જ થયું હતુ. 10 મહિનાની માસૂમ બાળકીના પેટના ભાગે આગમાં ધગધગતી સોયાના ડામ આપ્યા હતા.


અંધશ્રધ્ધામાં અંધ બન્યો પરિવાર


અંધશ્રધ્ધામાં અંધ બનેલો પરિવાર દીકરીને માતાજીના મંદિરે લઈ ગયો અને ત્યાં તેને ધગધગતા સોઈના પેટના ભાગે ડામ આપવામાં આવ્યા. પરિવારને એમ કે ડામ દઈ દેવામાં આવ્યા છે તો હવે તબીયત સુધરી જશે પણ એવું ન થયું. દીકરીની તબીયત વધારેને વધારે બગડતી ગઈ. અંતે દીકરીને બચાવવા પરિવાર રાજકોટની હોસ્પિટલ લઈ ગયું જ્યાં તેની સારવાર કરવામાં આવી. ઘણા દિવસોથી 10 મહિનાના માસુમ ફૂલની સારવાર ચાલી રહી હતી. ડોક્ટર પણ પ્રયાસ કરી રહ્યા હતા કે બાળકીને બચાવી લેવામાં આવે પણ અફસોસ અંધશ્રદ્ધા આગળ 21મી સદીના ડોક્ટર પણ હારી ગયા અને નાની દીકરીનું આજે નિધન થઈ ગયું છે. નાની બાળકીનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.


ડામ આપનારી વૃધ્ધાની અટકાયત 


આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. બાળકીની સારવાર ચાલુ હતી તે દરમિયાન આજે તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. શકરી નામની મહિલાએ બાળકીને ડામ આપ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. વડગામના 80 વર્ષના માજીએ સિકોતરમાંના મંદિરે પેટ પર ગરમ સોયના 3 ડામ આપ્યા બાદ તબિયત લથડતા રાજકોટ હોસ્પિટલ ખસેડાઈ હતી. મામલે દસાડા પોલીસ દ્વારા વૃદ્ધાની અટકાયત કરાઈ હતી.



નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.