ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી યુવતીનું પોલીસ ગોળીબારમાં મોત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 10:13:06

ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી 20 વર્ષીય હદીસ નજફીનું પોલીસ ગોળીબારમાં મોત થયું હોવાના અહેવાલ છે. તેમના મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મળતી માહિતી મુજબ, હદીસ તેહરાનથી દૂર સ્થિત કરજ શહેરમાં અનેક મહિલાઓ સાથે વિરોધ કરી રહી હતી. આ દરમિયાન પોલીસે તેને 6 ગોળી વાગી હતી.


ઉલ્લેખનીય છે કે મહસા અમીની 16 સપ્ટેમ્બરે ઈરાનમાં પોલીસ કસ્ટડીમાં મારી ગઈ હતી. આ પછી દેશમાં હિજાબ અને કડક પ્રતિબંધો સામે વિરોધ શરૂ થયો. જેમાં અત્યાર સુધીમાં ચાર મહિલાઓ સહિત 50 લોકોનાં મોત થયાં છે.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.