નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું કમકમાટીભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-09 22:04:49

ગુજરાત સરકારે રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. જો કે રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ચાઈનીઝ દોરીનો વેપલો ચાલી રહ્યો છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરી કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય જનતા તેનો ભોગ બની રહી છે. નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. શહેરના ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી.


એક્ટિવા પર જતી યુવતીનું કમકમાટીભર્યું મોત


નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર ચાઈનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. 25 વર્ષની યુવતી એક્ટિવા પર જતી હતી તે દરમિયાન તેના ગળામાં અચાનક જ ચાઇનીઝ દોરી વાગી હતી, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જો કે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું. યુવતીના કમકમાટી ભર્યુ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


પોલીસની ધોંસ છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ


ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા ચાઈનિઝ દોરી વેચનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. શહેરના કોટડા પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી ઝડપાઈ હતી. તો પ્રતિબંધિત દોરી વેચતા વેપારી બાબુ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. તે જ પ્રકારે વાપીના વોન્ટેડ વિક્રમ રાઠોડ પાસેથી ચાઈનીઝ દોરી મગાવવામાં આવી હતી. તો 5 હજારથી વધુ દોરીના રિલ સાથે 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.