નડિયાદમાં ચાઇનીઝ દોરીથી યુવતીનું કમકમાટીભર્યું મોત, પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2024-01-09 22:04:49

ગુજરાત સરકારે રાજ્યમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોય છે. જો કે રાજ્યમાં પ્રતિબંધ હોવા છતા બેફામ રીતે ચાઈનીઝ દોરીનો વેપલો ચાલી રહ્યો છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરી કારણે મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સામાન્ય જનતા તેનો ભોગ બની રહી છે. નડિયાદના મયુરીબેન સરગરા નામની 25 વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. શહેરના ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી.


એક્ટિવા પર જતી યુવતીનું કમકમાટીભર્યું મોત


નડિયાદના વાણિયાવાડથી ફતેપુરા જવાના રોડ પર ચાઈનીઝ દોરીના કારણે યુવતીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. 25 વર્ષની યુવતી એક્ટિવા પર જતી હતી તે દરમિયાન તેના ગળામાં અચાનક જ ચાઇનીઝ દોરી વાગી હતી, યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જો કે યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ હતું. યુવતીના કમકમાટી ભર્યુ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


પોલીસની ધોંસ છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ


ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા ચાઈનિઝ દોરી વેચનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. શહેરના કોટડા પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો હતો. અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનિઝ દોરી ઝડપાઈ હતી. તો પ્રતિબંધિત દોરી વેચતા વેપારી બાબુ જયસ્વાલની ધરપકડ કરવામાં આવી હતી. તે જ પ્રકારે વાપીના વોન્ટેડ વિક્રમ રાઠોડ પાસેથી ચાઈનીઝ દોરી મગાવવામાં આવી હતી. તો 5 હજારથી વધુ દોરીના રિલ સાથે 5.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે