વડોદરામાં ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું, પરિવારજનો શોકમાં ગરકાવ


  • Published By :
  • Published Date : 2023-05-03 17:30:31

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ માટે તનતોડ મહેનત કરતા હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓનું પરીણામ ખરાબ આવતા કે નાપાસ થતા તે નાસીપાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે. જેમ કે વડોદરાની એક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. 17 વર્ષીય જીગ્નીશા પટેલની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


ડિપ્રેશનમાં આવી અંતિમ પગલું ભર્યું


વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા પારુલ એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષીય જીગ્નીશા પટેલ ધો. 12 સાયન્સમાં નાપાસ થઇ હતી. નાપાસ થવાના કારણે જીગ્નીશા ડિપ્રેશનમાં જતી રહી હતી અને ઘરના પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીના મૃતદેહને જોઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


પોલીસે કરી પરિવારજનોની પૂછપરછ


વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જોકે પરિવારને પણ દીકરીએ આ પગલું કેમ ભર્યું તેની જાણ ન હતી. ગઇકાલે ધો. 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું અને તેમાં જીગ્નીશા નાપાસ થઇ હતી. જેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


દિકરીના મોતથી પરિવારજનો શોકાતુર


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાપાસ થતાં વડોદરાની એક 17 વર્ષીય વિદ્યાર્થિની જીગ્નીશા પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દીકરીએ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.