વડોદરામાં ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ મોતને વ્હાલું કર્યું, પરિવારજનો શોકમાં ગરકાવ


  • Published By :
  • Published Date : 2023-05-03 17:30:31

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વની હોવાથી વિદ્યાર્થીઓ સારા માર્ક્સ માટે તનતોડ મહેનત કરતા હોય છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓનું પરીણામ ખરાબ આવતા કે નાપાસ થતા તે નાસીપાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે. જેમ કે વડોદરાની એક ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરીને મોતને વ્હાલું કર્યું છે. 17 વર્ષીય જીગ્નીશા પટેલની આત્મહત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 


ડિપ્રેશનમાં આવી અંતિમ પગલું ભર્યું


વડોદરાના વડસર વિસ્તારમાં આવેલા પારુલ એપાર્ટમેન્ટમાં રહેતી 17 વર્ષીય જીગ્નીશા પટેલ ધો. 12 સાયન્સમાં નાપાસ થઇ હતી. નાપાસ થવાના કારણે જીગ્નીશા ડિપ્રેશનમાં જતી રહી હતી અને ઘરના પંખે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. દીકરીના મૃતદેહને જોઇને પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.


પોલીસે કરી પરિવારજનોની પૂછપરછ


વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી હતી. જોકે પરિવારને પણ દીકરીએ આ પગલું કેમ ભર્યું તેની જાણ ન હતી. ગઇકાલે ધો. 12 સાયન્સનું પરિણામ આવ્યું હતું અને તેમાં જીગ્નીશા નાપાસ થઇ હતી. જેના આઘાતમાં તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


દિકરીના મોતથી પરિવારજનો શોકાતુર


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇકાલે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નાપાસ થતાં વડોદરાની એક 17 વર્ષીય વિદ્યાર્થિની જીગ્નીશા પટેલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. દીકરીએ જીવન ટૂંકાવી લેતાં પરિવારજનોમાં શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.