પિતાની વાતનું માઠુ લાગતા રાજકોટના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-04-09 12:29:24

રાજ્યમાં નાની-નાની વાતે આત્મહત્યાની ચોંકાવનારી ઘટનાઓ સતત વધી રહી છે, તેમાં પણ બાળકો અને વિદ્યાર્થીઓ પણ હવે આત્મહત્યાને માર્ગે વળ્યા છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે. માતા-પિતાની હિતકારી વાતોનું પણ માઠું લગાડીને બાળકો- વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. જેમ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક ગામમાં યુવતીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. 


શા માટે અંતિમ પગલું ભર્યું


ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય નેહલ દોમડીયા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતી નેહલબેન અતુલભાઈ દોમડીયા છેલ્લા એક માસથી પેટના દુ:ખાવાથી પીડિત હતી. નેહલ દોમડીયાની સારવાર પણ ચાલુ હતી ગત રાત્રે ફરીવાર તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં પરીવારજનોને જાણ કરી હતી. જે અંગે તેના પિતાએ સવાર સુધી રાહ જોવાનું કહેતા તેને માઠુ લાગી આવ્યું હતું. બાદમાં તેણે રૂમમાં જઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક  તેને સારવાર માટે પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સિવિલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


પોલીસે શરૂ કરી કાર્યવાહી


નેહલ દોમડીયાના નિધનના અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પરીવારજનોનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે મૃતક યુવતીના પિતા ખેતીકામ કરે છે અને મૃતક યુવતી તમામ  ભાઈ-બહેનમાં નાની હતી. આ ઘટના બાદ પરીવાર અને સમગ્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.