પિતાની વાતનું માઠુ લાગતા રાજકોટના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય યુવતીએ કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-04-09 12:29:24

રાજ્યમાં નાની-નાની વાતે આત્મહત્યાની ચોંકાવનારી ઘટનાઓ સતત વધી રહી છે, તેમાં પણ બાળકો અને વિદ્યાર્થીઓ પણ હવે આત્મહત્યાને માર્ગે વળ્યા છે જે ખુબ જ ચિંતાજનક બાબત છે. માતા-પિતાની હિતકારી વાતોનું પણ માઠું લગાડીને બાળકો- વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. જેમ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના એક ગામમાં યુવતીએ આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. 


શા માટે અંતિમ પગલું ભર્યું


ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામમાં 22 વર્ષીય નેહલ દોમડીયા નામની યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતી નેહલબેન અતુલભાઈ દોમડીયા છેલ્લા એક માસથી પેટના દુ:ખાવાથી પીડિત હતી. નેહલ દોમડીયાની સારવાર પણ ચાલુ હતી ગત રાત્રે ફરીવાર તેને પેટમાં દુ:ખાવો ઉપડતાં પરીવારજનોને જાણ કરી હતી. જે અંગે તેના પિતાએ સવાર સુધી રાહ જોવાનું કહેતા તેને માઠુ લાગી આવ્યું હતું. બાદમાં તેણે રૂમમાં જઈ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ તાત્કાલિક  તેને સારવાર માટે પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સિવિલમાં જ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.


પોલીસે શરૂ કરી કાર્યવાહી


નેહલ દોમડીયાના નિધનના અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધોરાજી પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ માટે ખસેડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પરીવારજનોનું નિવેદન નોંધવા તજવિજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનિય છે મૃતક યુવતીના પિતા ખેતીકામ કરે છે અને મૃતક યુવતી તમામ  ભાઈ-બહેનમાં નાની હતી. આ ઘટના બાદ પરીવાર અને સમગ્રમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે