વડોદરામાં પ્રેમિકાએ વર્તમાન પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, આ ચકચારી ઘટના બાદ વિસ્તારમાં સન્નાટો છવાયો


  • Published By :
  • Published Date : 2023-06-16 22:58:41

રાજ્યમાં લવ અફેરના કારણે હત્યા અને આત્મહત્યાઓની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વડોદરામાં આવી જ એક ઘટનામાં પ્રેમીકાએ તેના વર્તમાન પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ચકચારી ઘટના બાદ મૃતક યુવકના પિતાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ પલક ઠાકોર અને પાર્થિવ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


સમગ્ર મામલો શું છે?


મૃતક યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર પ્રહલાદને પલક નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધો હતા, બાદમાં પલકને પાર્થિવ નામના એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરવર્તી હતી. જેના કારણે પ્રહલાદ અને પાર્થિવ વચ્ચે ઘણી વાર ઝગડા પણ થયા હતા. પલક પણ પાર્થિવના પ્રેમમાં હોવાથી તેણે પ્રહલાદથી પીછો છોડાવવા માટે પાર્થિવને વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ સાથે મળીને પ્રહલાદની હત્યા કરવાનું કાવતરું ધડ્યું હતું. આ કાવતરા મુજબ પ્રથિવે પ્રહલાદને ફોન કર્યો અને કહ્યું કે પલક તને મળવા બોલાવે છે. જ્યારે પ્રહલાદ પાલકને મળવા ગયો ત્યારે પાલક અને પાર્થિવે સાથે મળીને પ્રહલાદની હત્યા કરી દીધી હતી. પ્રેમિકાએ પૂર્વ પ્રેમી પ્રહલાદને પકડી રાખ્યો હતો અને તેના હાલના પ્રેમી પાર્થિવએ યુવકના પેટના ભાગે છરીના ઘા મારી પ્રહલાદની હત્યા કરીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમ્રગ મામલે પરિવારે બાપોદ પોલીસને જાણ કરતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.