વડોદરામાં પ્રેમિકાએ વર્તમાન પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, આ ચકચારી ઘટના બાદ વિસ્તારમાં સન્નાટો છવાયો


  • Published By :
  • Published Date : 2023-06-16 22:58:41

રાજ્યમાં લવ અફેરના કારણે હત્યા અને આત્મહત્યાઓની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વડોદરામાં આવી જ એક ઘટનામાં પ્રેમીકાએ તેના વર્તમાન પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ચકચારી ઘટના બાદ મૃતક યુવકના પિતાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ પલક ઠાકોર અને પાર્થિવ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


સમગ્ર મામલો શું છે?


મૃતક યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર પ્રહલાદને પલક નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધો હતા, બાદમાં પલકને પાર્થિવ નામના એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરવર્તી હતી. જેના કારણે પ્રહલાદ અને પાર્થિવ વચ્ચે ઘણી વાર ઝગડા પણ થયા હતા. પલક પણ પાર્થિવના પ્રેમમાં હોવાથી તેણે પ્રહલાદથી પીછો છોડાવવા માટે પાર્થિવને વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ સાથે મળીને પ્રહલાદની હત્યા કરવાનું કાવતરું ધડ્યું હતું. આ કાવતરા મુજબ પ્રથિવે પ્રહલાદને ફોન કર્યો અને કહ્યું કે પલક તને મળવા બોલાવે છે. જ્યારે પ્રહલાદ પાલકને મળવા ગયો ત્યારે પાલક અને પાર્થિવે સાથે મળીને પ્રહલાદની હત્યા કરી દીધી હતી. પ્રેમિકાએ પૂર્વ પ્રેમી પ્રહલાદને પકડી રાખ્યો હતો અને તેના હાલના પ્રેમી પાર્થિવએ યુવકના પેટના ભાગે છરીના ઘા મારી પ્રહલાદની હત્યા કરીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમ્રગ મામલે પરિવારે બાપોદ પોલીસને જાણ કરતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.