વડોદરામાં પ્રેમિકાએ વર્તમાન પ્રેમી સાથે મળી પૂર્વ પ્રેમીની કરી હત્યા, આ ચકચારી ઘટના બાદ વિસ્તારમાં સન્નાટો છવાયો


  • Published By :
  • Published Date : 2023-06-16 22:58:41

રાજ્યમાં લવ અફેરના કારણે હત્યા અને આત્મહત્યાઓની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. વડોદરામાં આવી જ એક ઘટનામાં પ્રેમીકાએ તેના વર્તમાન પ્રેમી સાથે મળીને પૂર્વ પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ચકચારી ઘટના બાદ મૃતક યુવકના પિતાએ પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીઓ પલક ઠાકોર અને પાર્થિવ પરમાર સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


સમગ્ર મામલો શું છે?


મૃતક યુવકના પિતાના જણાવ્યા પ્રમાણે તેમના પુત્ર પ્રહલાદને પલક નામની એક છોકરી સાથે પ્રેમ સંબંધો હતા, બાદમાં પલકને પાર્થિવ નામના એક છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બાદમાં મિત્રતા પ્રેમમાં પરવર્તી હતી. જેના કારણે પ્રહલાદ અને પાર્થિવ વચ્ચે ઘણી વાર ઝગડા પણ થયા હતા. પલક પણ પાર્થિવના પ્રેમમાં હોવાથી તેણે પ્રહલાદથી પીછો છોડાવવા માટે પાર્થિવને વાત કરી હતી. ત્યાર બાદ બંનેએ સાથે મળીને પ્રહલાદની હત્યા કરવાનું કાવતરું ધડ્યું હતું. આ કાવતરા મુજબ પ્રથિવે પ્રહલાદને ફોન કર્યો અને કહ્યું કે પલક તને મળવા બોલાવે છે. જ્યારે પ્રહલાદ પાલકને મળવા ગયો ત્યારે પાલક અને પાર્થિવે સાથે મળીને પ્રહલાદની હત્યા કરી દીધી હતી. પ્રેમિકાએ પૂર્વ પ્રેમી પ્રહલાદને પકડી રાખ્યો હતો અને તેના હાલના પ્રેમી પાર્થિવએ યુવકના પેટના ભાગે છરીના ઘા મારી પ્રહલાદની હત્યા કરીને બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ સમ્રગ મામલે પરિવારે બાપોદ પોલીસને જાણ કરતા બાપોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા યુવકનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે વડોદરાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.