ઝાડ પર વર્દી લટકાવીને ભાગી ગયેલી પોલીસ પછી Girsomnath જિલ્લામાં નવી ફરિયાદ। કોન્સ્ટેબલ પર રેપ કેસ.. જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-17 11:00:32

પોલીસનું કામ છે નાગરિકોની રક્ષા કરવાનું... પરંતુ રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય ત્યારે? જેમની પર ન્યાય અપાવવાની જવાબદારી છે તેમના વિરૂદ્ધ જ ફરિયાદ કરવી પડે ત્યારે? સામાન્ય રીતે પોલીસ સીધી રીતે નાગરિકોના સંપર્કમાં રહેતી હોય છે. લોકોને કોઈ પણ પરેશાની હોય તો તે ન્યાય માટે પોલીસ પાસે જાય છે. પોતાની ફરિયાદ લઈ પોલીસ પાસે જાય છે એ આશા સાથે કે તેને ન્યાય મળશે.. તેનો અવાજ સાંભળવામાં આવશે. પરંતુ ફરિયાદ જ જો પોલીસ સામે કરવાની હોય તો? અને ફરિયાદ એટલી ગંભીર હોય કે મહિલા માટે સન્માનનો સવાલ થઈ જાય અને પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવાની થાય ત્યારે? જો તમે પુરૂષ હોવ તો તમને મારે, પરંતુ જો તમે સ્ત્રી છો તો તમારા શરીરનું શોષણ થાય...! 

મહિલાએ આક્ષેપ લગાવ્યો કે.... 

અમે વાત કરી રહ્યા છીએ ગીર સોમનાથથી આવેલા એક કિસ્સાની.. ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મહિલાએ બે પોલીસકર્મી, હોમગાર્ડ સહિત ચાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને તે પણ શારીરિક શોષણની... જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યો છે તે પ્રમાણે વાત એમ હતી કે મહિલાના પતિ દારૂનો અડ્ડો ચલાવતા હતા. પતિના અવસાન બાદ પોતાના સંતાનોનું પેટ ભરવા માટે મહિલાએ દારૂના અડ્ડાને સંભાળ્યો. દારૂનો અડ્ડો મહિલા ચલાવતી હતી જેને લઈ પોલીસ કર્મી તેને હેરાન કરતા.  મહિલાએ એવો આક્ષેપ લગાવ્યો કે હપ્તો આપવા છતાંય તેની પાસેથી બીભત્સ માંગણીઓ કરવામાં આવતી. શારીરિક સંબંધો બાંધવા માટે તેને કહેવામાં આવતું. આવું અંદાજીત ત્રણ મહિના સુધી ચાલ્યું.. 


જ્યારે પોલીસને જ પોલીસ કર્મી વિરૂદ્ધ  ફરિયાદ કરવી પડે ત્યારે... 

અંતે મહિલાએ કંટાળીને પોલીસમાં પોલીસકર્મી વિરૂદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. મહિલાએ પોતાના ફોનમાં પુરાવાઓ સાચવીને રાખ્યા હતા.. મહિલાએ જ્યારે નિવેદન આપ્યું ત્યારે તેણે કહ્યું કે હું મારૂં શરીર નથી વેચી રહી..! આ બાદ પોલીસ દ્વારા એક્શન લેવામાં આવ્યા અને ચાર આરોપી જેમની વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ કરી હતી તેમને પોલીસે ઝડપી પાડ્યા છે. જે ચાર લોકોને પકડવામાં આવ્યા તેમાં બે પોલીસ કોન્સ્ટેબલ હતા, એક હોમગાર્ડ હતો અને એક વહીવટ કરવા વાળો હતો. ચાર વિરૂદ્ધ એક્શન તો લેવામાં આવ્યા પરંતુ એ કેટલી દુર્ભાગ્યપૂર્ણ વાત પોલીસ માટે હશે જ્યારે એક મહિલાની સાથે આવું થાય, મહિલાની ફરિયાદ જેની સામે થાય તે પોલીસ વિભાગમાંથી જ હોય...! 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.