2023માં ટ્રેડ આઉટલુક માટે વૈશ્વિક સ્તરે ઘટતો ગ્રોથ એક મોટો પડકાર: WTO ચીફ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:28:01

વિશ્વભરમાં 2023નું વર્ષ ભયાનક મંદીનું રહેવાનું છે તેવું દુનિયાની તમામ આર્થિક સંસ્થાઓ અને રિસર્ચ એજન્સીઓનું અનુમાન છે, હવે તેમાં WTOના ડાયરેક્ટર જનરલ ગોઝી ઓકોન્જોનું પણ સમર્થન મળ્યું છે. તેમના મતે વર્ષ 2023માં ટ્રેડ આઉટલુક માટે વૈશ્વિક સ્તરે ઘટતો ગ્રોથ એક મોટો પડકાર છે. યુક્રેનમાં યુદ્ધ, કોવિડને લઇને ચિંતા તેમજ સપ્લાય ચેઇનમાં અડચણોએ અનેક દેશોને તેના વેપાર પ્રત્યેના અભિગમ તેમજ વૈશ્વિકીકરણના ભાવિ માટે ફરીથી વિચારવા માટે મજબૂર કર્યા છે.


WTOએ આપી ચેતવણી


વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશ (WTO)ને ચેતવણી આપી હતી કે વૈશ્વિક સ્તરે સાતત્યના અભાવથી વિશ્વ પર પ્રતિકૂળ અસર પડશે તેમજ તેને કારણે ઉભરતા અર્થતંત્રો પર વધુ અસર થશે. ટ્રેડ, ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ સેશન દરમિયાન બ્લેકરોકના ચેરમેન અને CEO લોરેન્સ ડિ ફિન્કે કહ્યું હતું કે USને મેક્સિકો મારફતે વિશેષ ફાયદો થવાની શક્યતા છે. મેક્સિકોના શિક્ષિત કામદાર વર્ગ, ઓછા વેતનનો ટ્રેન્ડ, રેલવે ટ્રાન્સપોર્ટ તેમજ પ્રો-બિઝનેસ પોલિટિકલ ક્લાઇમેટને કારણે સપ્લાય ચેઇનના રિકન્ફિગરેશનમાં અમેરિકાને મદદ મળી રહેશે. પરંતુ આ બદલાવથી માત્ર મેક્સિસોને લાભ નહીં થાય, પરંતુ તેની સાથે જ પૂર્વીય યુરોપ, તુર્કી, ઇન્ડોનેશિયા તેમજ સાઉથ ઇસ્ટ એશિયાના કેટલાક ભાગોને પણ ફાયદો થશે.અનેક દેશો ટ્રેડની પોલિસીમાં રાષ્ટ્રીય સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપે છે ત્યારે ફ્રેન્ડ શોરિંગને કારણે આર્થિક વૃદ્ધિનો ફાયદો પણ અસમાન રીતે વહેંચાય તેવી શક્યતા છે. જ્યારે આપણે ફ્રેન્ડ શોરિંગની વાત કરીએ છીએ ત્યારે આફ્રિકા સિવાયના દેશોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.


ક્લાઇમેટ ચેન્જથી અમેરિકા અને યુરોપ ચિંતિત


અમેરિકા હવે ક્લાઇમેટ ચેન્જ અંગે પગલાં લઇ રહ્યું છે ત્યારે વિશ્વએ પણ તેને લઈ રાહતનો શ્વાસ લીધો છે. યુએસ લેજીસ્લેશનથી લઇને યુરોપિયન લીડર્સ કેટલાક અંશે ચિંતિત છે પરંતુ સકારાત્મક પગલાં યુરોપને કેટલાક ચોક્કસ ફાયદાઓ પર ફોકસ કરવાની તક પૂરી પાડે છે. જેમ કે રિસર્ચ સુવિધાઓ તેમજ પવન ઉર્જામાં લાંબા ગાળાના રોકાણથી યુરોપને વિકાસમાં પણ વધુ ફાયદો થશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.