MBBSમાં એડમિશન મોંઘુ થયું, GMERS હસ્તકની મેડીકલ કોલેજોની ફીમાં 66.6 ટકાનો તોતિંગ વધારો


  • Published By :
  • Published Date : 2023-07-21 19:14:44

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવું હવે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે રાજ્યમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નવા ફી માળખામાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોનો સમાવેશ થાય છે. GMERS હસ્તકની મેડીકલ કોલેજોમાં MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે.


ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો?


સરકારી ક્વોટાની બેઠકો માટેની વાર્ષિક ફી અગાઉના રૂ. 3.30 લાખ પ્રતિ વર્ષ એટલે કે 66.66% થી વધારીને રૂ. 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટા ફી વાર્ષિક રૂ. 9 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવામાં આવી છે અથવા 88.88 ટકા કરવામાં આવી છે. NRI ક્વોટાના વિદ્યાર્થીઓએ હવે વાર્ષિક 25,000 ડોલર ચૂકવવા પડશે જે અગાઉ  22,000 ડોલર હતી. NRI ક્વોટા ફીમાં 13.63%નો વધારો કરવામાં આવ્યો છે.


13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો


રાજ્યમાં GMERS દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો છે. નિયમો મુજબ, કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી 75% રાજ્ય ક્વોટા તરીકે અનામત છે, 10% બેઠકો મેનેજમેન્ટ ક્વોટા માટે અને બાકીની 15% NRI ક્વોટા માટે અનામત છે.


સરકારી હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા ફરજિયાત


સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સરકારે સ્પષ્ટતા કરી નથી કે ફી વધારો 2023-24 શૈક્ષણિક વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે તે 3-વર્ષની સાયકલ માટે અમલી રહેશે.સરકારે એમ પણ કહ્યું હતું કે રાજ્ય ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે GMERS હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા આપવી પડશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમણે સરકારને 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.જો કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાઓનો લાભ મેળવે તો તેને સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના નિયમ મુજબ બોન્ડ લાગુ રહેશે.


સરકારનો વિરોધાભાસી નિર્ણય


તબીબી શિક્ષણ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તીવ્ર ફી વધારો એ વિરોધાભાસી નિર્ણય છે કારણ કે રાજ્ય સરકારે રોગચાળાની પરિસ્થિતિને કારણે ખાનગી મેડિકલ કોલેજોને ફી ન વધારવા જણાવ્યું હતું જ્યારે બીજી તરફ તેણે સરકારી મેડિકલ કોલેજોની ફીમાં વધારો કર્યો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.