MBBSમાં એડમિશન મોંઘુ થયું, GMERS હસ્તકની મેડીકલ કોલેજોની ફીમાં 66.6 ટકાનો તોતિંગ વધારો


  • Published By :
  • Published Date : 2023-07-21 19:14:44

ગુજરાતમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે ડોક્ટર બનવું હવે લોઢાના ચણા ચાવવા જેટલું મુશ્કેલ બન્યું છે. ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે ગુરુવારે રાજ્યમાં ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સની ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નવા ફી માળખામાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટા અને NRI ક્વોટાની બેઠકોનો સમાવેશ થાય છે. GMERS હસ્તકની મેડીકલ કોલેજોમાં MBBSના અભ્યાસક્રમમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે GMERS હેઠળ આવતી અર્ધસરકારી-ખાનગી એવી કુલ 13 મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે.


ફીમાં કેટલો વધારો કરવામાં આવ્યો?


સરકારી ક્વોટાની બેઠકો માટેની વાર્ષિક ફી અગાઉના રૂ. 3.30 લાખ પ્રતિ વર્ષ એટલે કે 66.66% થી વધારીને રૂ. 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટા ફી વાર્ષિક રૂ. 9 લાખથી વધારીને રૂ. 17 લાખ કરવામાં આવી છે અથવા 88.88 ટકા કરવામાં આવી છે. NRI ક્વોટાના વિદ્યાર્થીઓએ હવે વાર્ષિક 25,000 ડોલર ચૂકવવા પડશે જે અગાઉ  22,000 ડોલર હતી. NRI ક્વોટા ફીમાં 13.63%નો વધારો કરવામાં આવ્યો છે.


13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો


રાજ્યમાં GMERS દ્વારા સંચાલિત 13 મેડિકલ કોલેજોમાં 2,100 મેડિકલ સીટો છે. નિયમો મુજબ, કુલ ઉપલબ્ધ બેઠકોમાંથી 75% રાજ્ય ક્વોટા તરીકે અનામત છે, 10% બેઠકો મેનેજમેન્ટ ક્વોટા માટે અને બાકીની 15% NRI ક્વોટા માટે અનામત છે.


સરકારી હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા ફરજિયાત


સૂત્રોના જણાવ્યા પ્રમાણે  સરકારે સ્પષ્ટતા કરી નથી કે ફી વધારો 2023-24 શૈક્ષણિક વર્ષ માટે નક્કી કરવામાં આવ્યો છે તે 3-વર્ષની સાયકલ માટે અમલી રહેશે.સરકારે એમ પણ કહ્યું હતું કે રાજ્ય ક્વોટાની બેઠકો પર પ્રવેશ મેળવનાર અને અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે GMERS હોસ્પિટલોમાં એક વર્ષ માટે સેવા આપવી પડશે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમણે સરકારને 2 લાખ રૂપિયા ચૂકવવા પડશે.જો કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાઓનો લાભ મેળવે તો તેને સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના નિયમ મુજબ બોન્ડ લાગુ રહેશે.


સરકારનો વિરોધાભાસી નિર્ણય


તબીબી શિક્ષણ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ તીવ્ર ફી વધારો એ વિરોધાભાસી નિર્ણય છે કારણ કે રાજ્ય સરકારે રોગચાળાની પરિસ્થિતિને કારણે ખાનગી મેડિકલ કોલેજોને ફી ન વધારવા જણાવ્યું હતું જ્યારે બીજી તરફ તેણે સરકારી મેડિકલ કોલેજોની ફીમાં વધારો કર્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.