ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હાલ પુરતો રદ્દ, શાળાઓને બદલે વિદ્યાર્થીઓને જ મળશે સીધી સહાય


  • Published By :
  • Published Date : 2023-06-06 20:51:03

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટને સરકારે હાલ પુરતો રદ્દ કર્યો છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ બાદ રાજ્ય સરકારે શાળાઓને જ્ઞાનસેતુ માટે બજેટ નહીં ફાલવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સલાહકાર હશમુખ અઢીયાએ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટને મંજુરી આપી નથી. રાજય સરકાર હવે શાળાઓને બદલે  વિદ્યાર્થીઓને જ સીધી આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે સરકારે છેલ્લી ઘડીએ કે જ્યારે શાળાઓનું નવુ સત્ર શરૂ થવાનું છે ત્યારે જ રાજ્ય સરકારે નિર્ણયમાં પલટી મારતા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


જમાવટે પૂછ્યું તો આવો જવાબ મળ્યો 


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે જમાવટે જ્ર્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરી પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચાલુ જ છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ થયો હોવાના સમાચારને તેમણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટમાં થોડો ફેરફાર કરાવમાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધુ શાળાઓનો વિકલ્પ મળે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર એક- બે દિવસમાં જીઆર જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


અસમંજશની સ્થિતી પ્રવર્તી હતી


નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવાનું શરુ પણ કરી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાની જાહેરાત કરાઈ હતી તેનું શું થયું? તેના પર સવાલો ઉઠ્યા હતા. શું આ પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું કે શું? કેમ શૈક્ષણિક સત્ર શરુ થવા છતાં શાળાઓની ફાળવણી થઈ નથી કે કોઈ જાહેરાત થઈ નથી. તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં હતા.


5.24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા


રાજ્યભરમાં ગત એપ્રિલ મહિનામાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ નવું શૈક્ષણિક સત્ર તો શરુ થયું પણ જ્ઞાન સેતુ સ્કૂલને લઈને ડખા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું છે?


સરકારી શાળા તેમજ તેની શિક્ષણ પધ્ધતિમાં સુધારો કરવા, સરકારી સ્કૂલોમાં પણ ખાનગી શાળાઓ જેવું જ શિક્ષણ આપવા રાજ્યમાં 400 જ્ઞાનસેતુ સ્કૂલ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ જ્ઞાનસેતુ સ્કૂલમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા માટે આ વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. રાજ્યના ધોરણ 6થી 12ના આશરે એક લાખ વિદ્યાર્થીઓને આ જ્ઞાનસેતુ ડે સ્કુલમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે તેવો પ્રોજેક્ટ તૈયાર તો કરવામાં આવ્યો છે. આ માટે સરકાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજારની સહાય આપશે.પરંતુ હાલ જ્ઞાનસેતુ સ્કૂલના જાહેરાત નહીં થતાં નવો વિવાદ સર્જાયો છે.




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.