ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હાલ પુરતો રદ્દ, શાળાઓને બદલે વિદ્યાર્થીઓને જ મળશે સીધી સહાય


  • Published By :
  • Published Date : 2023-06-06 20:51:03

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા સ્કૂલોમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટને સરકારે હાલ પુરતો રદ્દ કર્યો છે. રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ બાદ રાજ્ય સરકારે શાળાઓને જ્ઞાનસેતુ માટે બજેટ નહીં ફાલવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના સલાહકાર હશમુખ અઢીયાએ છેલ્લી ઘડીએ પ્રોજેક્ટને મંજુરી આપી નથી. રાજય સરકાર હવે શાળાઓને બદલે  વિદ્યાર્થીઓને જ સીધી આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા 6 મહિનાથી આ પ્રોજેક્ટના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી હતી. જો કે સરકારે છેલ્લી ઘડીએ કે જ્યારે શાળાઓનું નવુ સત્ર શરૂ થવાનું છે ત્યારે જ રાજ્ય સરકારે નિર્ણયમાં પલટી મારતા લોકોમાં આઘાત સાથે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.


જમાવટે પૂછ્યું તો આવો જવાબ મળ્યો 


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ મામલે જમાવટે જ્ર્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરી પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે પ્રોજેક્ટ ચાલુ જ છે. જ્ઞાનસેતુ પ્રોજેક્ટ બંધ થયો હોવાના સમાચારને તેમણે ખોટા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટમાં થોડો ફેરફાર કરાવમાં આવ્યો છે. વિદ્યાર્થીઓને વધુ શાળાઓનો વિકલ્પ મળે તે દિશામાં કાર્યવાહી ચાલી રહી છે. સરકાર એક- બે દિવસમાં જીઆર જાહેર કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


અસમંજશની સ્થિતી પ્રવર્તી હતી


નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ ગયું અને વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જવાનું શરુ પણ કરી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળાની જાહેરાત કરાઈ હતી તેનું શું થયું? તેના પર સવાલો ઉઠ્યા હતા. શું આ પ્રોજેક્ટનું સુરસુરિયું થઈ ગયું કે શું? કેમ શૈક્ષણિક સત્ર શરુ થવા છતાં શાળાઓની ફાળવણી થઈ નથી કે કોઈ જાહેરાત થઈ નથી. તેને લઈને અનેક તર્ક વિતર્ક ચર્ચાઈ રહ્યાં હતા.


5.24 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા


રાજ્યભરમાં ગત એપ્રિલ મહિનામાં જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનસેતુ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ તથા સ્કૂલ ફોર એક્સલેન્સ જેવી શાળામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 202 સેન્ટર પર પરીક્ષાનું આયોજન થયું હતું. પરંતુ નવું શૈક્ષણિક સત્ર તો શરુ થયું પણ જ્ઞાન સેતુ સ્કૂલને લઈને ડખા પડ્યા હોય તેવું સામે આવી રહ્યું છે.


જ્ઞાનસેતુ પ્રોજેક્ટ શું છે?


સરકારી શાળા તેમજ તેની શિક્ષણ પધ્ધતિમાં સુધારો કરવા, સરકારી સ્કૂલોમાં પણ ખાનગી શાળાઓ જેવું જ શિક્ષણ આપવા રાજ્યમાં 400 જ્ઞાનસેતુ સ્કૂલ બનાવવાનો નિર્ણય કરાયો છે. આ જ્ઞાનસેતુ સ્કૂલમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ભણાવાશે. સરકારી કે ગ્રાન્ટેડ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને અલગ તારવવા માટે આ વિદ્યાર્થીઓને એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. રાજ્યના ધોરણ 6થી 12ના આશરે એક લાખ વિદ્યાર્થીઓને આ જ્ઞાનસેતુ ડે સ્કુલમાં ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે તેવો પ્રોજેક્ટ તૈયાર તો કરવામાં આવ્યો છે. આ માટે સરકાર વિદ્યાર્થી દીઠ વાર્ષિક 20 હજારની સહાય આપશે.પરંતુ હાલ જ્ઞાનસેતુ સ્કૂલના જાહેરાત નહીં થતાં નવો વિવાદ સર્જાયો છે.




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.