આફત ટાળવા લેવાયો ભગવાનનો આશરો! દ્વારકાધીશ મંદિરમાં વાવાઝોડાને કારણે કરાઈ વિશેષ પૂજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-15 16:42:35

દ્વારકા પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતથી માત્ર થોડા કિલોમીટર દૂર જ વાવાઝોડું છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક મંદિરોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આફત ટળે તે માટે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. વાવાઝોડા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે   


દ્વારકા મંદિરમાં કરાઈ વિશેષ પૂજા!

સંકટ સમયે ભગવાન સૌથી પહેલા યાદ આવતા હોય છે. સુખ સમયે આપણે ભગવાનને યાદ નથી કરતા પરંતુ જ્યારે આપણી પર વિપત્તિ આવતી હોય છે ત્યારે ભગવાનને આપણે યાદ કરતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ફરી રહ્યું છે. રાતના સમયે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર પડવાની છે. જેને કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાત પર આવેલું સંકટ ટળી જાય તે માટે પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિરમાં વિશેષ પૂજા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. 


સુરક્ષાને ધ્યાનમાં રાખી નહીં ચઢાવવામાં આવે ધજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે 17 જૂન સુધી દ્વારકા મંદિર પર ધજા નહીં ફરકાવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તે સિવાય ભારે પવન ફૂંકાવવાને કારણે મંદિરની ધજા પણ ફાટી ગઈ હતી જેને લઈ ભક્તો કહેતા હતા કે ભગવાને આફત પોતાના પર લઈ લીધી છે. મહત્વનું છે કે અનેક નેતાઓ પણ ભગવાનના શરણે જતા દેખાઈ રહ્યા છે. મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તે સિવાય હર્ષ સંઘવીએ પણ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી.        




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?