આફત ટાળવા લેવાયો ભગવાનનો આશરો! દ્વારકાધીશ મંદિરમાં વાવાઝોડાને કારણે કરાઈ વિશેષ પૂજા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-15 16:42:35

દ્વારકા પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ સતત વધતું જઈ રહ્યું છે. ગુજરાતથી માત્ર થોડા કિલોમીટર દૂર જ વાવાઝોડું છે. આ વાવાઝોડું વિનાશકારી સાબિત થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે વાવાઝોડું લેન્ડફોલ કરી શકે છે. વાવાઝોડાની ગંભીરતાને જોતા અનેક મંદિરોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આફત ટળે તે માટે દ્વારકાધીશ મંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. વાવાઝોડા સામે લોકોને રક્ષણ મળે તે હેતુથી આ પૂજા કરવામાં આવી રહી છે   


દ્વારકા મંદિરમાં કરાઈ વિશેષ પૂજા!

સંકટ સમયે ભગવાન સૌથી પહેલા યાદ આવતા હોય છે. સુખ સમયે આપણે ભગવાનને યાદ નથી કરતા પરંતુ જ્યારે આપણી પર વિપત્તિ આવતી હોય છે ત્યારે ભગવાનને આપણે યાદ કરતા હોઈએ છીએ. ત્યારે ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ ફરી રહ્યું છે. રાતના સમયે વાવાઝોડું ટકરાઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વાવાઝોડાની સૌથી વધારે અસર દ્વારકા, જામનગર તેમજ કચ્છ પર પડવાની છે. જેને કારણે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગુજરાત પર આવેલું સંકટ ટળી જાય તે માટે પૂજા અર્ચન કરવામાં આવી રહી છે. દ્વારકા મંદિરમાં વિશેષ પૂજા પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. 


સુરક્ષાને ધ્યાનમાં રાખી નહીં ચઢાવવામાં આવે ધજા!

મહત્વનું છે કે વાવાઝોડાને પગલે 17 જૂન સુધી દ્વારકા મંદિર પર ધજા નહીં ફરકાવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. તે સિવાય ભારે પવન ફૂંકાવવાને કારણે મંદિરની ધજા પણ ફાટી ગઈ હતી જેને લઈ ભક્તો કહેતા હતા કે ભગવાને આફત પોતાના પર લઈ લીધી છે. મહત્વનું છે કે અનેક નેતાઓ પણ ભગવાનના શરણે જતા દેખાઈ રહ્યા છે. મહાદેવના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તે સિવાય હર્ષ સંઘવીએ પણ દ્વારકા મંદિરની મુલાકાત લીધી હતી.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.