ધનતેરસના દિવસે થાય છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની પૂજા, આ સ્તોત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા


  • Published By :
  • Published Date : 2024-10-29 18:18:20

દિવાળીના દિવસો દરમિયાન ત્રણ મહા શક્તિઓની આરાધના થતી હોય છે... મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી.. મહાલક્ષ્મીની ઉપાસના કરવાનો પર્વ એટલે ધનતેરસ.. ધનતેરસના દિવસે લોકો પોતાના ધનની પૂજા કરતા હોય છે... તે સિવાય ઘરમાં રહેલા સોનાની, દાગીનાની પૂજા કરવામાં આવે છે.. અનેક લોકો ધનને ધોવે છે... ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી.     

Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ  સૌથી પ્રિય પ્રસાદ ! - Gujarati News | In order to get the immense grace of  mother Lakshmi, offer this


લક્ષ્મીજીની સાથે આયુર્વેદના દેવ ધનવંતરીની પણ થાય છે પૂજા 

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા...  અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી.. આજના દિવસે ના માત્ર માતા લક્ષ્મીની પરંતુ ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે.. આયુર્વેદના દેવ ભગવાન ધનવંતરી પણ ઘટ સાથે ઉદભવ્યા હતા... 

Dhanvantari Mantra – Wiral Feed


ધનતેરસના દિવસે થાય છે ધનની પૂજા

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કેમ પૂજા કરવામાં આવે છે તેની વાત કરીએ તો માતા લક્ષ્મી ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સારા ધનની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિ વધે છે.. ધનતેરસના દિવસે કયા મંત્રથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.. આ દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.. તે સિવાય લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ ... તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્... માતા લક્ષ્મીની કૃપા આપ પર આપના પરિવાર પર સદૈવ રહે તેવી પ્રાર્થના.. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.