ધનતેરસના દિવસે થાય છે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની પૂજા, આ સ્તોત્રથી કરવી જોઈએ માતાજીની પૂજા


  • Published By :
  • Published Date : 2024-10-29 18:18:20

દિવાળીના દિવસો દરમિયાન ત્રણ મહા શક્તિઓની આરાધના થતી હોય છે... મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી.. મહાલક્ષ્મીની ઉપાસના કરવાનો પર્વ એટલે ધનતેરસ.. ધનતેરસના દિવસે લોકો પોતાના ધનની પૂજા કરતા હોય છે... તે સિવાય ઘરમાં રહેલા સોનાની, દાગીનાની પૂજા કરવામાં આવે છે.. અનેક લોકો ધનને ધોવે છે... ધન ધોવાની પાછળનું સાચું મહાત્મ્ય એ છે કે આપણે જે કંઈ લક્ષ્મી-સંપત્તિ પ્રાપ્ત કરી હોય તેને સાફ કરવી, ઉજળી કરવી.     

Bhakti: માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવવા શુક્રવારે અચૂક અર્પણ કરો તેમના આ  સૌથી પ્રિય પ્રસાદ ! - Gujarati News | In order to get the immense grace of  mother Lakshmi, offer this


લક્ષ્મીજીની સાથે આયુર્વેદના દેવ ધનવંતરીની પણ થાય છે પૂજા 

ધનતેરસનો ઉલ્લેખ અનેક ધાર્મિક ગ્રંથોમાં મળે છે.. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી અનેક પદાર્થો નિકળ્યા...  અન્ય પદાર્થોની સાથે કમલાસના શ્રીલક્ષ્મી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળ સાથે પ્રગટ થયાં. આમ ધનતેરસના દિવસે ધનની દેવી લક્ષ્મીજીની ઉત્પત્તિ થઈ હતી.. આજના દિવસે ના માત્ર માતા લક્ષ્મીની પરંતુ ધનવંતરીની પણ પૂજા કરવામાં આવે છે.. આયુર્વેદના દેવ ભગવાન ધનવંતરી પણ ઘટ સાથે ઉદભવ્યા હતા... 

Dhanvantari Mantra – Wiral Feed


ધનતેરસના દિવસે થાય છે ધનની પૂજા

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની કેમ પૂજા કરવામાં આવે છે તેની વાત કરીએ તો માતા લક્ષ્મી ધન સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે.. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સારા ધનની પ્રાપ્તિ થાય છે, ધન સંપત્તિ વધે છે.. ધનતેરસના દિવસે કયા મંત્રથી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.. આ દિવસે શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.. તે સિવાય લક્ષ્મીનો ગાયત્રી મંત્ર બોલાય છે: ૐ મહાલક્ષ્મી ચ વિદમહે, લક્ષ્મીપત્ની ચ ધીમહિ ... તન્નો લક્ષ્મી: પ્રચોદયાત્... માતા લક્ષ્મીની કૃપા આપ પર આપના પરિવાર પર સદૈવ રહે તેવી પ્રાર્થના.. 



એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.