ગોધરા હત્યાકાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ઈદ પર મુક્ત કરવાની કરી હતી અપીલ


  • Published By :
  • Published Date : 2023-04-21 16:01:41

ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનાર 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ તમામ દોષિતોને 17 થી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે અન્ય ચારેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. 


ઈદને ધ્યાનમાં રાખી જામીન મંજુર


સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ગોધરા હત્યાકાંડ કેસના દોષિતોની જામીન મામલે ચુકાદો આપ્યો હતો. જામીન મેળવનાર 8 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.કોર્ટે કહ્યું કે, જામીનની શરતો પૂરી કર્યા બાદ જ અન્યોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઈદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે કોને જામીન આપ્યા?


સુપ્રીમ કોર્ટે જે 8 દોષિતોના જામીન મંજુર કર્યા છે, તેમાં અબ્દુલ સતાર ગડી,અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર, રઉફ ઠેસલીનો સમાવેશ થાય છે, જો કે અન્ય 4 લોકો મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા અને શોકત બદામના જામીન નામંજુર કરવામાં આવ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.