ગોધરા હત્યાકાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ઈદ પર મુક્ત કરવાની કરી હતી અપીલ


  • Published By :
  • Published Date : 2023-04-21 16:01:41

ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનાર 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ તમામ દોષિતોને 17 થી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે અન્ય ચારેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. 


ઈદને ધ્યાનમાં રાખી જામીન મંજુર


સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ગોધરા હત્યાકાંડ કેસના દોષિતોની જામીન મામલે ચુકાદો આપ્યો હતો. જામીન મેળવનાર 8 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.કોર્ટે કહ્યું કે, જામીનની શરતો પૂરી કર્યા બાદ જ અન્યોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઈદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે કોને જામીન આપ્યા?


સુપ્રીમ કોર્ટે જે 8 દોષિતોના જામીન મંજુર કર્યા છે, તેમાં અબ્દુલ સતાર ગડી,અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર, રઉફ ઠેસલીનો સમાવેશ થાય છે, જો કે અન્ય 4 લોકો મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા અને શોકત બદામના જામીન નામંજુર કરવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.