ગોધરા હત્યાકાંડના 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન, ઈદ પર મુક્ત કરવાની કરી હતી અપીલ


  • Published By :
  • Published Date : 2023-04-21 16:01:41

ગુજરાતના ગોધરામાં 2002માં સાબરમતી એક્સપ્રેસમાં આગ લગાડનાર 8 દોષિતોને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા આ લોકોને કોર્ટમાંથી રાહત મળી છે. આ તમામ દોષિતોને 17 થી 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. જો કે, સુપ્રીમ કોર્ટે અન્ય ચારેય દોષિતોને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમને નીચલી અદાલતે મૃત્યુદંડની સજા ફટકારી હતી, પરંતુ બાદમાં હાઈકોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. 


ઈદને ધ્યાનમાં રાખી જામીન મંજુર


સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ગોધરા હત્યાકાંડ કેસના દોષિતોની જામીન મામલે ચુકાદો આપ્યો હતો. જામીન મેળવનાર 8 દોષિતો આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.કોર્ટે કહ્યું કે, જામીનની શરતો પૂરી કર્યા બાદ જ અન્યોને જામીન પર છોડવામાં આવે. દોષિતોના વકીલ સંજય હેગડેએ ઈદને ધ્યાનમાં રાખીને તેમને જામીન પર મુક્ત કરવાની અપીલ કરી હતી.


સુપ્રીમ કોર્ટે કોને જામીન આપ્યા?


સુપ્રીમ કોર્ટે જે 8 દોષિતોના જામીન મંજુર કર્યા છે, તેમાં અબ્દુલ સતાર ગડી,અયુબ પાટરીયા, રહમાન ઘતિયા, હનીફ બદામ, સુલેમાન ટાઈગર, ઈબ્રાહીમ સમોલ, શોએબ કલંદર, રઉફ ઠેસલીનો સમાવેશ થાય છે, જો કે અન્ય 4 લોકો મહેબુબ મીઠા, સીદીક મોડીયા, અનવર બલા અને શોકત બદામના જામીન નામંજુર કરવામાં આવ્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.