દિવાળી બાદ સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો, જાણો શું છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-11-21 19:01:03

સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે, મંગળવારે સવારે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ભાવ વધ્યા છે. એમસીએક્સ એક્સચેન્જ પર 5 ડિસેમ્બર 2023ની ડિલિવરીવાળા સોના 0.59 ટકા એટલે કે 356 રૂપિયાની વૃધ્ધી સાથે રૂ. 61,013 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તે ઉપરાંત ફેબ્રુઆરી 2024ની ડિલિવરીવાળા આ સોનાનો સમય 0.58 ટકા એટલે કે 353 રૂપિયાની વૃધ્ધી સાથે 61,401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.


ચાંદીના ભાવમાં પણ વધારો થયો  


સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. મંગળવારે સવારે, 5 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટેની ચાંદી MCX એક્સચેન્જ પર 0.80 ટકા અથવા રૂ. 583ના વધારા સાથે રૂ. 73,227 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ ઉપરાંત, 5 માર્ચ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી હાલમાં 0.71 ટકા અથવા રૂ. 528 વધીને રૂ. 74,791 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


વૈશ્વિક સોનાના ભાવ


મંગળવારે સવારે વૈશ્વિક સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.67 ટકા અથવા 13.20 ડોલરના વધારા સાથે 1993.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જ્યારે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 0.69 ટકા અથવા 13.58 ડોલરના વધારા સાથે 1991.65 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


ચાંદીનો વૈશ્વિક ભાવ


મંગળવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીના વાયદા 0.84 ટકા અથવા 0.20 ડોલરના વધારા સાથે 24.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 1.42 ટકા અથવા 0.33 ડોલરના વધારા સાથે 23.78 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.