દિવાળી બાદ સોનાના ભાવમાં વધારો, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો, જાણો શું છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-11-21 19:01:03

સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે, મંગળવારે સવારે સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં ભાવ વધ્યા છે. એમસીએક્સ એક્સચેન્જ પર 5 ડિસેમ્બર 2023ની ડિલિવરીવાળા સોના 0.59 ટકા એટલે કે 356 રૂપિયાની વૃધ્ધી સાથે રૂ. 61,013 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. તે ઉપરાંત ફેબ્રુઆરી 2024ની ડિલિવરીવાળા આ સોનાનો સમય 0.58 ટકા એટલે કે 353 રૂપિયાની વૃધ્ધી સાથે 61,401 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.


ચાંદીના ભાવમાં પણ વધારો થયો  


સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. મંગળવારે સવારે, 5 ડિસેમ્બર, 2023 ના રોજ ડિલિવરી માટેની ચાંદી MCX એક્સચેન્જ પર 0.80 ટકા અથવા રૂ. 583ના વધારા સાથે રૂ. 73,227 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. આ ઉપરાંત, 5 માર્ચ, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી હાલમાં 0.71 ટકા અથવા રૂ. 528 વધીને રૂ. 74,791 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


વૈશ્વિક સોનાના ભાવ


મંગળવારે સવારે વૈશ્વિક સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.67 ટકા અથવા 13.20 ડોલરના વધારા સાથે 1993.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી. જ્યારે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં 0.69 ટકા અથવા 13.58 ડોલરના વધારા સાથે 1991.65 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.


ચાંદીનો વૈશ્વિક ભાવ


મંગળવારે સવારે સોનાની સાથે ચાંદીના વૈશ્વિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. કોમેક્સ પર ચાંદીના વાયદા 0.84 ટકા અથવા 0.20 ડોલરના વધારા સાથે 24.16 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીનો વૈશ્વિક હાજર ભાવ 1.42 ટકા અથવા 0.33 ડોલરના વધારા સાથે 23.78 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.



ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.