સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જાણો શા માટે સતત વધી રહી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-10-16 20:39:02

વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 56 હજાર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 59 હજાર ચાલી રહ્યો છે. તે જ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવ તેજ ગતિથી વધી રહ્યા છે.    


સોનાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો


ગત શુક્રવારે સોનાના ભાવમાં 59, 408 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આજે સવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારા સોનાનો ભાવ 59, 209 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. જો કે બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 


ચાંદીનો ભાવ કેટલો વધ્યો?


એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારી ચાંદી 71,200 રૂપિયાના સ્તર પર ખુલી છે. જે ગત શુક્રવારે 71,287 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી. જ્યારે 5 માર્ચ 2024ને રોજ ડિલિવરી થનારી ચાંદીનો ભાવ 72,570  રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. 


શા માટે વધ્યા સોના-ચાંદીના ભાવ?


વિશ્વમાં અસ્થિતાનો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ લોહિયાળ જંગ શરૂ થઈ છે. આ જ કારણે રોકાણકારો તેમનું રોકાણ સુરક્ષિત મનાતા સોના અને ચાંદી તરફ ડાયવર્ટ કરી રહ્યા છે. આમ પણ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોના અને ચાંદીનો ભાવ વધે તે અવારનવાર જોવા મળ્યું છે, આવો જ ટ્રેન્ડ કોરોના કાળમાં પણ જોવા મળ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.