સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જાણો શા માટે સતત વધી રહી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-10-16 20:39:02

વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 56 હજાર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 59 હજાર ચાલી રહ્યો છે. તે જ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવ તેજ ગતિથી વધી રહ્યા છે.    


સોનાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો


ગત શુક્રવારે સોનાના ભાવમાં 59, 408 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આજે સવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારા સોનાનો ભાવ 59, 209 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. જો કે બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 


ચાંદીનો ભાવ કેટલો વધ્યો?


એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારી ચાંદી 71,200 રૂપિયાના સ્તર પર ખુલી છે. જે ગત શુક્રવારે 71,287 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી. જ્યારે 5 માર્ચ 2024ને રોજ ડિલિવરી થનારી ચાંદીનો ભાવ 72,570  રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. 


શા માટે વધ્યા સોના-ચાંદીના ભાવ?


વિશ્વમાં અસ્થિતાનો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ લોહિયાળ જંગ શરૂ થઈ છે. આ જ કારણે રોકાણકારો તેમનું રોકાણ સુરક્ષિત મનાતા સોના અને ચાંદી તરફ ડાયવર્ટ કરી રહ્યા છે. આમ પણ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોના અને ચાંદીનો ભાવ વધે તે અવારનવાર જોવા મળ્યું છે, આવો જ ટ્રેન્ડ કોરોના કાળમાં પણ જોવા મળ્યો હતો.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.