સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જાણો શા માટે સતત વધી રહી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-10-16 20:39:02

વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 56 હજાર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 59 હજાર ચાલી રહ્યો છે. તે જ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવ તેજ ગતિથી વધી રહ્યા છે.    


સોનાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો


ગત શુક્રવારે સોનાના ભાવમાં 59, 408 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આજે સવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારા સોનાનો ભાવ 59, 209 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. જો કે બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 


ચાંદીનો ભાવ કેટલો વધ્યો?


એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારી ચાંદી 71,200 રૂપિયાના સ્તર પર ખુલી છે. જે ગત શુક્રવારે 71,287 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી. જ્યારે 5 માર્ચ 2024ને રોજ ડિલિવરી થનારી ચાંદીનો ભાવ 72,570  રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. 


શા માટે વધ્યા સોના-ચાંદીના ભાવ?


વિશ્વમાં અસ્થિતાનો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ લોહિયાળ જંગ શરૂ થઈ છે. આ જ કારણે રોકાણકારો તેમનું રોકાણ સુરક્ષિત મનાતા સોના અને ચાંદી તરફ ડાયવર્ટ કરી રહ્યા છે. આમ પણ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોના અને ચાંદીનો ભાવ વધે તે અવારનવાર જોવા મળ્યું છે, આવો જ ટ્રેન્ડ કોરોના કાળમાં પણ જોવા મળ્યો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે