સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો બમ્પર ઉછાળો, જાણો શા માટે સતત વધી રહી છે કિંમત


  • Published By :
  • Published Date : 2023-10-16 20:39:02

વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં સોના અને ચાંદીના ભાવમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા એક સપ્તાહથી સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે 56 હજાર રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે ત્યારે આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 59 હજાર ચાલી રહ્યો છે. તે જ પ્રકારે ચાંદીની કિંમતોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝન પહેલા સોના અને ચાંદીના ભાવ તેજ ગતિથી વધી રહ્યા છે.    


સોનાના ભાવમાં કેટલો ઉછાળો આવ્યો


ગત શુક્રવારે સોનાના ભાવમાં 59, 408 રૂપિયાના ભાવ પર બંધ થયો હતો. આજે સવારે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારા સોનાનો ભાવ 59, 209 રૂપિયાના સ્તર પર ખુલ્યો હતો. જો કે બુલિયન માર્કેટના વેપારીઓના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. 


ચાંદીનો ભાવ કેટલો વધ્યો?


એમસીએક્સ એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે 5 ડિસેમ્બર 2023ના રોજ ડિલિવરી થનારી ચાંદી 71,200 રૂપિયાના સ્તર પર ખુલી છે. જે ગત શુક્રવારે 71,287 રૂપિયાના ભાવ પર બંધ થઈ હતી. જ્યારે 5 માર્ચ 2024ને રોજ ડિલિવરી થનારી ચાંદીનો ભાવ 72,570  રૂપિયાના ભાવ પર ખુલ્યો છે. 


શા માટે વધ્યા સોના-ચાંદીના ભાવ?


વિશ્વમાં અસ્થિતાનો માહોલ સર્જાઈ રહ્યો છે, એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચેનું ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પણ લોહિયાળ જંગ શરૂ થઈ છે. આ જ કારણે રોકાણકારો તેમનું રોકાણ સુરક્ષિત મનાતા સોના અને ચાંદી તરફ ડાયવર્ટ કરી રહ્યા છે. આમ પણ વૈશ્વિક અસ્થિરતાના સમયમાં સોના અને ચાંદીનો ભાવ વધે તે અવારનવાર જોવા મળ્યું છે, આવો જ ટ્રેન્ડ કોરોના કાળમાં પણ જોવા મળ્યો હતો.



સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.

ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.