ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને બંધ કરવાનો આદેશ, શા માટે તેને કહેવાય છે ગોલ્ડન બ્રિજ? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-13 20:29:25

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નર્મદા નદી પર બાંધવામાં આવેલો 143 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ પર જવા પ્રતિબંધ લગાવી દીધો છે. લોકો હવે આ બ્રિજનો ઉપયોગ અવરજવર માટે નહીં કરી શકે. લોકોને નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.  દેશના સૌથી જોખમી 7 બ્રિજમાં ગોલ્ડન બ્રિજને સમાવેશ કરાયા બાદ ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગ રૂપે બ્રિજને વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજનો થશે ઉપયોગ


ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને લઈને કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામામાં કહેવાયું છે કે આ બ્રિજની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. બ્રિજને સમાંતર નવા ફોર લેન નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી આપવામાં આવતા તેને 2021થી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. વર્ષ 2015-16 માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા થતા 12 જુલાઈ 2021 થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થતા હતા.


શું છે બ્રિજનો ઈતિહાસ?


બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા, પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું. તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા. આ વિષય પર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સર હોકશૉ જોકે નાસીપાસ થયા નહોતા અને એમણે 1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ તેમણે પૂરો કરાવ્યો હતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો અને એ માટે 45.65 લાખનો ખર્ચ થયો હતો. ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો. આમ  તો આ પૂલનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો. તે સમયે લોકો એવું કહેતા હતા કે ‘ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’ 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.