ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને બંધ કરવાનો આદેશ, શા માટે તેને કહેવાય છે ગોલ્ડન બ્રિજ? જાણો


  • Published By :
  • Published Date : 2023-07-13 20:29:25

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર નર્મદા નદી પર બાંધવામાં આવેલો 143 વર્ષ જુનો ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આજે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બ્રિજ પર જવા પ્રતિબંધ લગાવી દીધો છે. લોકો હવે આ બ્રિજનો ઉપયોગ અવરજવર માટે નહીં કરી શકે. લોકોને નર્મદા મૈયા બ્રિજનો લોકોને ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.  દેશના સૌથી જોખમી 7 બ્રિજમાં ગોલ્ડન બ્રિજને સમાવેશ કરાયા બાદ ગોલ્ડન બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે અગમચેતીના ભાગ રૂપે બ્રિજને વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજનો થશે ઉપયોગ


ભરૂચની ઓળખ સમાન ગોલ્ડન બ્રિજને લઈને કલેક્ટરે જાહેર કરેલા જાહેરનામામાં કહેવાયું છે કે આ બ્રિજની સમય મર્યાદા પુરી થઈ ગઈ છે. બ્રિજને સમાંતર નવા ફોર લેન નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી આપવામાં આવતા તેને 2021થી ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. વર્ષ 2015-16 માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય નર્મદા બ્રિજની કામગીરી માટે મંજુરી મળતા થતા 12 જુલાઈ 2021 થી 4 લેન નર્મદા મૈયા બ્રિજ ઉપયોગમાં લેવામાં આવે છે. ગોલ્ડન બ્રિજ ઉપરથી હાલ પણ છૂટા છવાયા વાહનો પસાર થતા હતા.


શું છે બ્રિજનો ઈતિહાસ?


બ્રિટિશ શાસન વખતે બાંધવામાં આવેલા રેલવે બ્રિજને બાદમાં રોડ બ્રિજમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એશિયાની સૌપ્રથમ ટ્રેન 1853ના એપ્રિલમાં મુંબઈમાં શરૂ થઈ ગઈ હતી. બ્રિટિશરો રેલવે નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હતા, પરંતુ નર્મદા નદીને પાર કરવામાં બાધા નડતી હતી. તેથી બ્રિટિશ શાસકોએ એ વખતના બોમ્બે પ્રાંતના વહીવટીય વડામથક બોમ્બે (મુંબઈ)ને ગુજરાત અને તેનાથી આગળના વિસ્તારો સાથે જોડતો એક રેલવે બ્રિજ નર્મદા નદી પર બાંધવાનું નક્કી કર્યું હતું. એ બ્રિજ બંધાવાથી વેપાર-ઉદ્યોગની પ્રવૃત્તિઓને મોટો વેગ મળે એમ હતું. તે કામકાજની આગેવાની જાણીતા બ્રિટિશ આર્કિટેક્ટ સર જોન હોકશૉએ લીધી હતી. એમણે 1861માં નર્મદા બ્રિજ બાંધવાની શરૂઆત કરી હતી, પરંતુ 1863, 1868, 1871, 1872, 1873, 1876માં નર્મદામાં આવેલા ભયાનક પૂરને કારણે બ્રિજના મોટા અને નાના ભાગો તૂટી પડ્યા હતા. એને કારણે અનેક કામદારો પણ માર્યા ગયા હતા. આ વિષય પર લંડનમાં બ્રિટિશ સંસદમાં પણ ચર્ચા થઈ હતી. સર હોકશૉ જોકે નાસીપાસ થયા નહોતા અને એમણે 1877માં એ જ સ્થળે નવેસરથી અને લોખંડનો મજબૂત પૂલ બાંધવાનું શરૂ કર્યું હતું. આખરે 1881ના મે મહિનામાં એ પૂલ તેમણે પૂરો કરાવ્યો હતો. 1.41 કિલોમીટર લાંબો પૂલ લોખંડનો હતો અને એ માટે 45.65 લાખનો ખર્ચ થયો હતો. ખર્ચ બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઈન્ડિયા (BB&CI) રેલવે કંપનીએ ઉઠાવ્યો હતો. આમ  તો આ પૂલનું નામ ‘નર્મદા બ્રિજ’ રાખવામાં આવ્યું હતું, પરંતુ તે જ યુગમાં એ ‘ગોલ્ડન બ્રિજ’ તરીકે જાણીતો થયો. તે સમયે લોકો એવું કહેતા હતા કે ‘ઓહો, કેટલો બધો ખર્ચો કર્યો!! આટલા ખર્ચામાં તો સોનાનો પૂલ બંધાઈ જાય.’ 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.