આવતીકાલે ગોંડલ બંધનું એલાન, રાદડિયાનું સમર્થન!


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:50:32

રાજ્યમાં સતત વધતી ગુનાખોરીની ઘટનાઓ સવાલ પુછે છે શાંતિ , સલામતી અને સુરક્ષા ક્યાં છે. પણ સતત ઉઠતા સવાલોની વચ્ચે આવી ઘટનાઓનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વાત ગોંડલની કરીએ જ્યાં કોલેજ ચોકમાં હનુમાન મંદિર પાસે એક સગીરને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. મારતી વખતે એ એવું કહી રહ્યાં હતા સગીરના પિતાને કે મારા દિકરાને એક મહિનાથી હેરાન કરે છે એટલે માર માર્યો, અત્યારે તો બચી ગયો પણ હવે સામે આવશે તો જાનથી મારી નાંખીશું. જે સગીરને માર મારવામાં આવ્યો એ પાટીદાર સમાજમાંથી આવતો હતો. સગીરના માતા-પિતાને પણ માર્યું હતું. બીજા દિવસે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું અને સમાજ આખો ભેગો થઈ ગયો. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પાટીદાર સમાજે આવતીકાલે એટલે કે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલમાં સંગ્રામસિંહ હાઈસ્કુલના મેદાનમાં ત્રણ શખ્સોએ એક સીગર યુવકને માર માર્યો. ભગવતપરામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા સગીર યુવકને ઢોર માર માર્યો એટલુ જ નહીં તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્વરુપે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. જયેશ રાદડિયા, ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના ભાજપના આગેવાનોએ એ સગીરની મુલાકાત પણ લીધી હતી અને બંધને સમર્થન પણ આપ્યું છે. 


ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.


તો ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવતા સમાજ હવે મેદાને આવ્યો છે. સામે પક્ષે દર્શન અને મયુરસિંહ ઝાલા જે આરોપીઓ હતા તે ઝડપાય ગયા છે . આરોપી મયુરસિંહના કહેવા પ્રમાણે ભોગ બનનાર સગીર મયુરસિંહના દિકરાને એક મહિનાથી હેરાન કરતો હતો એટલે માર માર્યો છે.તો ક્રિકેટનું કોચિંગ આપતો હજુ એક શખ્સ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો છે અને હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.