આવતીકાલે ગોંડલ બંધનું એલાન, રાદડિયાનું સમર્થન!


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:50:32

રાજ્યમાં સતત વધતી ગુનાખોરીની ઘટનાઓ સવાલ પુછે છે શાંતિ , સલામતી અને સુરક્ષા ક્યાં છે. પણ સતત ઉઠતા સવાલોની વચ્ચે આવી ઘટનાઓનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વાત ગોંડલની કરીએ જ્યાં કોલેજ ચોકમાં હનુમાન મંદિર પાસે એક સગીરને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. મારતી વખતે એ એવું કહી રહ્યાં હતા સગીરના પિતાને કે મારા દિકરાને એક મહિનાથી હેરાન કરે છે એટલે માર માર્યો, અત્યારે તો બચી ગયો પણ હવે સામે આવશે તો જાનથી મારી નાંખીશું. જે સગીરને માર મારવામાં આવ્યો એ પાટીદાર સમાજમાંથી આવતો હતો. સગીરના માતા-પિતાને પણ માર્યું હતું. બીજા દિવસે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું અને સમાજ આખો ભેગો થઈ ગયો. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પાટીદાર સમાજે આવતીકાલે એટલે કે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલમાં સંગ્રામસિંહ હાઈસ્કુલના મેદાનમાં ત્રણ શખ્સોએ એક સીગર યુવકને માર માર્યો. ભગવતપરામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા સગીર યુવકને ઢોર માર માર્યો એટલુ જ નહીં તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્વરુપે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. જયેશ રાદડિયા, ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના ભાજપના આગેવાનોએ એ સગીરની મુલાકાત પણ લીધી હતી અને બંધને સમર્થન પણ આપ્યું છે. 


ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.


તો ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવતા સમાજ હવે મેદાને આવ્યો છે. સામે પક્ષે દર્શન અને મયુરસિંહ ઝાલા જે આરોપીઓ હતા તે ઝડપાય ગયા છે . આરોપી મયુરસિંહના કહેવા પ્રમાણે ભોગ બનનાર સગીર મયુરસિંહના દિકરાને એક મહિનાથી હેરાન કરતો હતો એટલે માર માર્યો છે.તો ક્રિકેટનું કોચિંગ આપતો હજુ એક શખ્સ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો છે અને હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .