આવતીકાલે ગોંડલ બંધનું એલાન, રાદડિયાનું સમર્થન!


  • Published By : Admin
  • Published Date : 2025-03-21 21:50:32

રાજ્યમાં સતત વધતી ગુનાખોરીની ઘટનાઓ સવાલ પુછે છે શાંતિ , સલામતી અને સુરક્ષા ક્યાં છે. પણ સતત ઉઠતા સવાલોની વચ્ચે આવી ઘટનાઓનો આંકડો પણ સતત વધી રહ્યો છે. વાત ગોંડલની કરીએ જ્યાં કોલેજ ચોકમાં હનુમાન મંદિર પાસે એક સગીરને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. મારતી વખતે એ એવું કહી રહ્યાં હતા સગીરના પિતાને કે મારા દિકરાને એક મહિનાથી હેરાન કરે છે એટલે માર માર્યો, અત્યારે તો બચી ગયો પણ હવે સામે આવશે તો જાનથી મારી નાંખીશું. જે સગીરને માર મારવામાં આવ્યો એ પાટીદાર સમાજમાંથી આવતો હતો. સગીરના માતા-પિતાને પણ માર્યું હતું. બીજા દિવસે કલેક્ટર કચેરીમાં આવેદન આપવામાં આવ્યું અને સમાજ આખો ભેગો થઈ ગયો. સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. પાટીદાર સમાજે આવતીકાલે એટલે કે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. 


રાજકોટ જિલ્લાના ગોંડલમાં સંગ્રામસિંહ હાઈસ્કુલના મેદાનમાં ત્રણ શખ્સોએ એક સીગર યુવકને માર માર્યો. ભગવતપરામાં રહેતા પાટીદાર સમાજમાંથી આવતા સગીર યુવકને ઢોર માર માર્યો એટલુ જ નહીં તેના માતા-પિતાને પણ માર મારવામાં આવ્યો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સ્વરુપે પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. પાટીદાર સમાજે શનિવારે ગોંડલ બંધનું એલાન આપ્યું છે. જયેશ રાદડિયા, ભરત બોઘરા, અલ્પેશ ઢોલરિયા સહિતના ભાજપના આગેવાનોએ એ સગીરની મુલાકાત પણ લીધી હતી અને બંધને સમર્થન પણ આપ્યું છે. 


ગોંડલમાં પાટીદાર સમાજનાં સગીરને માર મારવા અને ગોંડલ બંધ મામલે સહકારી આગેવાન જયેશ રાદડિયાએ કહ્યું કે, બંધને સમર્થન આપીએ છીએ. બંધના એલાનને લઈ પાટીદાર આગેવાનો સાથે બેઠક કરી હતી. આ ઘટના દુઃખદ છે પાટીદાર હોય કે અન્ય યુવાન હોય આવી ઘટના ન થવી જોઈએ. કડક કાર્યવાહી થાય તે માટે પોલીસને પણ ભલામણ કરી છે. જયેશ રાદડીયાએ આગળ કહ્યું કે, કલમો ઓછી લાગી છે તે અંગે પણ ભલામણ કરી છે. ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે. આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યનાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ઇજાગ્રસ્ત સગીરને મળવા માટે MLA જયેશ રાદડિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમની સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ હતા. ત્યાર બાદ પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી.


તો ગોંડલમાં પાટીદાર સમાજના સગીરને માર મારવામાં આવતા સમાજ હવે મેદાને આવ્યો છે. સામે પક્ષે દર્શન અને મયુરસિંહ ઝાલા જે આરોપીઓ હતા તે ઝડપાય ગયા છે . આરોપી મયુરસિંહના કહેવા પ્રમાણે ભોગ બનનાર સગીર મયુરસિંહના દિકરાને એક મહિનાથી હેરાન કરતો હતો એટલે માર માર્યો છે.તો ક્રિકેટનું કોચિંગ આપતો હજુ એક શખ્સ ફરાર છે. પોલીસ શોધખોળ કરી રહી છે. પાટીદાર સમાજ ન્યાય માટે માંગ કરી રહ્યો છે અને હવે આ મામલે ઝડપી ન્યાય મળે તે માટે ગોંડલ બંધનું એલાન કર્યું છે.



થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.