ગોંડલના મસીતાળા ગામે વિધવાએ બે પુત્રીઓ સાથે કૂવો પૂર્યો, 30 વર્ષીય મહિલાના આપઘાતથી ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-20 21:29:17

રાજકોટના ગોંડલમાં એક મહિલાએ તેની બે પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરતા અરેરાટી મચી ગઈ છે. 30 વર્ષીય રાણી માલાણી નામની વિધવાએ પોતાની બે વર્ષીય રાજલ માલાણી અને વેજલ માલાણી નામની દીકરીઓ સાથે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મસીતાળા ગામની સીમમાં આવેલા કુવામાં ઝંપલાવી આતમહત્યા કરી હતી. આ મામલાની જાણ પોલીસને થતા ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કુવામાંથી માતા સહિત તેની બંને પુત્રીઓની લાશ ફાયર સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના સુલતાનપુર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બંને પુત્રી અને તેની માતા સહિત બંને મૃતક પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


શા માટે આત્મહત્યા કરી?


મા-દિકરીની આત્મહત્યા અંગે જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે રાણી બેનના લગ્ન અંદાજિત પાંચ વર્ષ પૂર્વે જૂનાગઢના પાદરીયા ગામ ખાતે થયા હતા. રાણીબેનના પતિએ પણ બે વર્ષ પહેલાં અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો, જેથી તે પોતાના પિયરમાં તેમના માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ સાથે મસીતાળા ગામ ખાતે રહેતા હતા. પિતા પશુપાલન દ્વારા દૂધનો વેપાર કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. મૃતકના પિયર પક્ષના લોકોએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, સવારના રોજ મૃતક રાણી માલાણી ઘરેથી પોતાની બંને પુત્રીઓને સાથે લઈ શૌચક્રિયા અર્થે બહાર જતી હોવાનું કહ્યું હતું. ત્યારે ઘરથી 100થી 150 મીટર દૂર આવેલા પંચાયતના કૂવામાં જઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. રાણી બેને સોમવારના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાની બંને પુત્રીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસ કયા સંજોગોમાં મહિલાએ આત્મહત્યા કરી તેને લઈને તપાસ હાથ ધરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.