ગોંડલના મસીતાળા ગામે વિધવાએ બે પુત્રીઓ સાથે કૂવો પૂર્યો, 30 વર્ષીય મહિલાના આપઘાતથી ચકચાર


  • Published By :
  • Published Date : 2023-11-20 21:29:17

રાજકોટના ગોંડલમાં એક મહિલાએ તેની બે પુત્રીઓ સાથે મોતને વ્હાલું કરતા અરેરાટી મચી ગઈ છે. 30 વર્ષીય રાણી માલાણી નામની વિધવાએ પોતાની બે વર્ષીય રાજલ માલાણી અને વેજલ માલાણી નામની દીકરીઓ સાથે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મસીતાળા ગામની સીમમાં આવેલા કુવામાં ઝંપલાવી આતમહત્યા કરી હતી. આ મામલાની જાણ પોલીસને થતા ફાયર સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, કુવામાંથી માતા સહિત તેની બંને પુત્રીઓની લાશ ફાયર સ્ટાફ દ્વારા બહાર કાઢવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટ ગ્રામ્યના સુલતાનપુર પોલીસ દ્વારા બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બંને પુત્રી અને તેની માતા સહિત બંને મૃતક પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવી છે. તેમજ બનાવ સંદર્ભે કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


શા માટે આત્મહત્યા કરી?


મા-દિકરીની આત્મહત્યા અંગે જાણકારી આપતા પોલીસે જણાવ્યું હતું કે રાણી બેનના લગ્ન અંદાજિત પાંચ વર્ષ પૂર્વે જૂનાગઢના પાદરીયા ગામ ખાતે થયા હતા. રાણીબેનના પતિએ પણ બે વર્ષ પહેલાં અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો, જેથી તે પોતાના પિયરમાં તેમના માતા-પિતા ઉપરાંત ત્રણ ભાઈઓ સાથે મસીતાળા ગામ ખાતે રહેતા હતા. પિતા પશુપાલન દ્વારા દૂધનો વેપાર કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. મૃતકના પિયર પક્ષના લોકોએ પોલીસને નિવેદન આપ્યું હતું કે, સવારના રોજ મૃતક રાણી માલાણી ઘરેથી પોતાની બંને પુત્રીઓને સાથે લઈ શૌચક્રિયા અર્થે બહાર જતી હોવાનું કહ્યું હતું. ત્યારે ઘરથી 100થી 150 મીટર દૂર આવેલા પંચાયતના કૂવામાં જઈ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. રાણી બેને સોમવારના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં પોતાની બંને પુત્રીઓ સાથે કુવામાં ઝંપલાવ્યું હોવાનું માનવામાં આવે છે. પોલીસ કયા સંજોગોમાં મહિલાએ આત્મહત્યા કરી તેને લઈને તપાસ હાથ ધરી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી