Farmer Protest અંગે આવ્યા સારા સમાચાર! સરકારે વધુ ચાર પાક પર MSP આપવાની તૈયારી દર્શાવી.. જાણો મીટિંગ બાદ શું આવી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-02-19 14:44:39

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. સરકાર સામે આંદોલન છેડવા જતા ખેડૂતોને આગળ વધતા રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તાનાત કરવામાં આવ્યા હતા! બોર્ડર પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ના કરી શકે તેવી વ્યવસ્થા સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ સકારાત્મક આવ્યું છે તેવું લાગે છે કારણ કે સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર થઈ છે. કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

 


બેઠકમાં શું થઈ ચર્ચા? 

રવિવારે મોડી રાત સુધી ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક રહી છે તેવું લાગી રહ્યું છે. ચંડીગઢમાં આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનની સાથે સાથે કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યામંદ રાય હાજર હતા. આ બેઠકમાં સરકાર દ્વારા વધુ ચાર પાક પર એમએસપી આપવાની વાત પર સહેમત થઈ છે.  ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે પરંતુ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે સીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના ખેડૂતોને રહેશે.



દિલ્હી કૂચને લઈ ખેડતોએ કહ્યું કે... 

બેઠક બાદ ખેડૂત નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી બે દિવસ આ વાત પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસ વિચારણા કરવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી કે 21 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો આંદોલનને રોકવામાં આવ્યું છે. જો આગામી બે દિવસની અંદર સમાધાન થઈ જાય છે તો આંદોલન ખતમ થઈ શકે છે. જો પરિણામ સકારાત્મક નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હી ચલો આંદોલન ચાલું રાખીશું તેવી જાણકારી આપવામાં આવી છે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .