Farmer Protest અંગે આવ્યા સારા સમાચાર! સરકારે વધુ ચાર પાક પર MSP આપવાની તૈયારી દર્શાવી.. જાણો મીટિંગ બાદ શું આવી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-02-19 14:44:39

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. સરકાર સામે આંદોલન છેડવા જતા ખેડૂતોને આગળ વધતા રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તાનાત કરવામાં આવ્યા હતા! બોર્ડર પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ના કરી શકે તેવી વ્યવસ્થા સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ સકારાત્મક આવ્યું છે તેવું લાગે છે કારણ કે સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર થઈ છે. કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

 


બેઠકમાં શું થઈ ચર્ચા? 

રવિવારે મોડી રાત સુધી ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક રહી છે તેવું લાગી રહ્યું છે. ચંડીગઢમાં આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનની સાથે સાથે કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યામંદ રાય હાજર હતા. આ બેઠકમાં સરકાર દ્વારા વધુ ચાર પાક પર એમએસપી આપવાની વાત પર સહેમત થઈ છે.  ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે પરંતુ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે સીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના ખેડૂતોને રહેશે.



દિલ્હી કૂચને લઈ ખેડતોએ કહ્યું કે... 

બેઠક બાદ ખેડૂત નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી બે દિવસ આ વાત પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસ વિચારણા કરવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી કે 21 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો આંદોલનને રોકવામાં આવ્યું છે. જો આગામી બે દિવસની અંદર સમાધાન થઈ જાય છે તો આંદોલન ખતમ થઈ શકે છે. જો પરિણામ સકારાત્મક નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હી ચલો આંદોલન ચાલું રાખીશું તેવી જાણકારી આપવામાં આવી છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.