Farmer Protest અંગે આવ્યા સારા સમાચાર! સરકારે વધુ ચાર પાક પર MSP આપવાની તૈયારી દર્શાવી.. જાણો મીટિંગ બાદ શું આવી પ્રતિક્રિયા?


  • Published By :
  • Published Date : 2024-02-19 14:44:39

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. સરકાર સામે આંદોલન છેડવા જતા ખેડૂતોને આગળ વધતા રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તાનાત કરવામાં આવ્યા હતા! બોર્ડર પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ના કરી શકે તેવી વ્યવસ્થા સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ સકારાત્મક આવ્યું છે તેવું લાગે છે કારણ કે સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર થઈ છે. કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

 


બેઠકમાં શું થઈ ચર્ચા? 

રવિવારે મોડી રાત સુધી ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક રહી છે તેવું લાગી રહ્યું છે. ચંડીગઢમાં આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનની સાથે સાથે કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યામંદ રાય હાજર હતા. આ બેઠકમાં સરકાર દ્વારા વધુ ચાર પાક પર એમએસપી આપવાની વાત પર સહેમત થઈ છે.  ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે પરંતુ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે સીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના ખેડૂતોને રહેશે.



દિલ્હી કૂચને લઈ ખેડતોએ કહ્યું કે... 

બેઠક બાદ ખેડૂત નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી બે દિવસ આ વાત પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસ વિચારણા કરવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી કે 21 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો આંદોલનને રોકવામાં આવ્યું છે. જો આગામી બે દિવસની અંદર સમાધાન થઈ જાય છે તો આંદોલન ખતમ થઈ શકે છે. જો પરિણામ સકારાત્મક નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હી ચલો આંદોલન ચાલું રાખીશું તેવી જાણકારી આપવામાં આવી છે.  



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .