Farmer Protest અંગે આવ્યા સારા સમાચાર! સરકારે વધુ ચાર પાક પર MSP આપવાની તૈયારી દર્શાવી.. જાણો મીટિંગ બાદ શું આવી પ્રતિક્રિયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-19 14:44:39

છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો પોતાની માગ સાથે દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા હતા. સરકાર સામે આંદોલન છેડવા જતા ખેડૂતોને આગળ વધતા રોકવા માટે મોટી સંખ્યામાં સુરક્ષા બળોને તાનાત કરવામાં આવ્યા હતા! બોર્ડર પર ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ ના કરી શકે તેવી વ્યવસ્થા સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ખેડૂત નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ગઈકાલે બેઠક થઈ હતી. આ બેઠકનું પરિણામ સકારાત્મક આવ્યું છે તેવું લાગે છે કારણ કે સરકાર વધુ ચાર પાક પર MSP આપવા તૈયાર થઈ છે. કેન્દ્ર સરકાર વધુ ચાર પાક પર એમએસપી આપવા સંમત થઈ હતી. ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે.

 


બેઠકમાં શું થઈ ચર્ચા? 

રવિવારે મોડી રાત સુધી ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ચાલેલી બેઠક સકારાત્મક રહી છે તેવું લાગી રહ્યું છે. ચંડીગઢમાં આ બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં ખેડૂત આગેવાનની સાથે સાથે કિસાન કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહરાજ્ય મંત્રી નિત્યામંદ રાય હાજર હતા. આ બેઠકમાં સરકાર દ્વારા વધુ ચાર પાક પર એમએસપી આપવાની વાત પર સહેમત થઈ છે.  ડાંગર અને ઘઉં ઉપરાંત કેન્દ્ર સરકારે મસૂર, અડદ, મકાઈ અને કપાસના પાક પર પણ એમએસપી આપવાનો પ્રસ્તાવ મુક્યો છે પરંતુ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ) અને કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે સીસીઆઇ સાથે પાંચ વર્ષના કરાર પર હસ્તાક્ષર કરવાના ખેડૂતોને રહેશે.



દિલ્હી કૂચને લઈ ખેડતોએ કહ્યું કે... 

બેઠક બાદ ખેડૂત નેતાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આગામી બે દિવસ આ વાત પર ચર્ચા કરવામાં આવશે. બે દિવસ વિચારણા કરવામાં આવશે. એવી પણ જાણકારી આપવામાં આવી કે 21 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો આંદોલનને રોકવામાં આવ્યું છે. જો આગામી બે દિવસની અંદર સમાધાન થઈ જાય છે તો આંદોલન ખતમ થઈ શકે છે. જો પરિણામ સકારાત્મક નહીં આવે તો આગામી દિવસોમાં દિલ્હી ચલો આંદોલન ચાલું રાખીશું તેવી જાણકારી આપવામાં આવી છે.  



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.