ખેલૈયાઓ માટે આનંદના સમાચાર... આગામી દિવસોમાં વરસાદ નહીં બગાડે ગરબાની મજા, જાણો Navratri દરમિયાન કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-10-18 10:00:40

રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ લેટેસ્ટ આગાહી બદલાઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી પાંચ-છ દિવસ રાજ્યનું તાપમાન ડ્રાય રહેશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે પોલીસ 12 વાગ્યા બાદ ગરબા બંધ નહીં કરાવે.    

 મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં ડ્રાય રહેશે વાતાવરણ 

એક સમયે આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રીમાં વરસાદ થશે પરંતુ હવે આગાહીમાં બદલાવ થયો છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ. મહત્તમ તેમજ લઘુતમ તાપમાનની વાત કરીએ તો  મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેશે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં  એક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે જેની પર હવામાન વિભાગ નજર રાખશે કારણ કે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર, ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. 


અંબાલાલ કાકાએ ચક્રવાતને લઈ કરી આગાહી

ગુજરાતને વધુ એક ચક્રવાત માટે આગામી દિવસોમાં તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આવનારૂં વાવાઝોડું બિપોરજોય જેવું ખતરનાક સાબિત થઈ શકે છે. 17થી 19 ઓક્ટોબર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. મહત્વનું છે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.