ખેલૈયાઓ માટે આનંદના સમાચાર... આગામી દિવસોમાં વરસાદ નહીં બગાડે ગરબાની મજા, જાણો Navratri દરમિયાન કેવું રહેશે વાતાવરણ?


  • Published By :
  • Published Date : 2023-10-18 10:00:40

રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે પરંતુ અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ લેટેસ્ટ આગાહી બદલાઈ ગઈ છે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. આગામી પાંચ-છ દિવસ રાજ્યનું તાપમાન ડ્રાય રહેશે તેવી જાણકારી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. અમદાવાદમાં વરસાદ થવાની સંભાવના નહીંવત છે. હવામાન વિભાગની આગાહીથી ખેલૈયાઓ ખુશ થઈ ગયા છે. મહત્વનું છે કે પોલીસ 12 વાગ્યા બાદ ગરબા બંધ નહીં કરાવે.    

 મનોરમા મોહન્તીએ એમ પણ જણાવ્યુ કે, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. અરબી સમુદ્રમાં એક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બને તેવી શક્યતા છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આગામી દિવસોમાં ડ્રાય રહેશે વાતાવરણ 

એક સમયે આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રીમાં વરસાદ થશે પરંતુ હવે આગાહીમાં બદલાવ થયો છે. આવનાર દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીંવત છે. ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ. મહત્તમ તેમજ લઘુતમ તાપમાનની વાત કરીએ તો  મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રીની આસપાસ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન પણ આશરે 23થી 24 ડિગ્રીની આસપાસ રહેશે તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં  એક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે જેની પર હવામાન વિભાગ નજર રાખશે કારણ કે તેની સીધી અસર ગુજરાતના તાપમાન પર, ગુજરાતના વાતાવરણ પર પડતી હોય છે. 


અંબાલાલ કાકાએ ચક્રવાતને લઈ કરી આગાહી

ગુજરાતને વધુ એક ચક્રવાત માટે આગામી દિવસોમાં તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જમાવટની ટીમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે આવનારૂં વાવાઝોડું બિપોરજોય જેવું ખતરનાક સાબિત થઈ શકે છે. 17થી 19 ઓક્ટોબર દરમિયાન દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આ સમય દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા,રાજસ્થાન, મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે. મહત્વનું છે આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી