GSRTC ફિક્સ -પેના કર્મચારીઓ માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે આપી પગાર વધારો કરવાની મંજૂરી, Yuvrajsinhએ પ્રશ્ન પૂછ્યું કે ક્યારે મળશે પગાર વધારાનો લાભ?


  • Published By :
  • Published Date : 2023-12-29 10:00:10

GSRTCના ફિક્સ પેના કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારવામાં આવે. 30 ટકા પગાર વધારવાની વાત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી. પોસ્ટ કાર્ડ પણ લખ્યા. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે જે નાણા વિભાગે 30 ટકાનો પગાર વધારો કરવા અંગેની મંજૂરી આપી દીધી છે. ભલે પગાર વધારાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ પગાર વધારો ક્યારે કરાશે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. મળતી માહિતી અનુસાર આ અંગેનો કોઈ ઓફિસિયલ લેટર બહાર નથી પાડવામાં આવ્યો. 

પોસ્ટ કાર્ડ લખી સરકારને પોતાનું વચન કરાવ્યું યાદ!

થોડા સમયથી એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા. કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે. અનેક રજૂઆતો કરી, માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. તે બાદ તેમની માગણી સ્વીકારાઈ. પરંતુ સમય વીત્યા બાદ પણ આ અંગેની કોઈ અપડેટ સામે ન આવી હતી જેને લઈ કર્મચારીઓ માની રહ્યા હતા કે તેમને લોલીપોપ તો નથી આપવામાં આવીને? કોઈ અપડેટ સામે ન આવતા તેમણે પોસ્ટ કાર્ડ લખી સરકારને તેમનું વચન ફરી-યાદ કરાવ્યું હતું. 


મંજૂરી તો આપી પરંતુ પગાર વધારો ક્યારે કરાશે તે એક પ્રશ્ન 

ત્યારે એવી માહિતી સામે આવી છે કે નાણા વિભાગ દ્વારા આને લઈ મંજૂરી આપવામાં આવી ગઈ છે. 30 ટકા પગાર વધારા અંગેની મંજૂરી આપવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ પગાર વધારો ક્યારે મળશે? 2 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી કોઈ પગાર વધારો કરવામાં નથી આવ્યો. પગાર વધારાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ પગાર વધારો ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. આ અંગેનો ઓફિશિયલ લેટર જાહેર નથી કરવામાં આવ્યો. ત્યારે જોવું રહ્યું કે આ પગાર વધારો ક્યારે કરવામાં આવે છે.       



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.