GSRTC ફિક્સ -પેના કર્મચારીઓ માટે સારા સમાચાર, નાણા મંત્રાલયે આપી પગાર વધારો કરવાની મંજૂરી, Yuvrajsinhએ પ્રશ્ન પૂછ્યું કે ક્યારે મળશે પગાર વધારાનો લાભ?


  • Published By :
  • Published Date : 2023-12-29 10:00:10

GSRTCના ફિક્સ પેના કર્મચારીઓની માગ છે કે તેમનો પગાર વધારવામાં આવે. 30 ટકા પગાર વધારવાની વાત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. એસટી વિભાગના કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી. પોસ્ટ કાર્ડ પણ લખ્યા. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે જે નાણા વિભાગે 30 ટકાનો પગાર વધારો કરવા અંગેની મંજૂરી આપી દીધી છે. ભલે પગાર વધારાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ આ પગાર વધારો ક્યારે કરાશે તે અંગેની જાણકારી આપવામાં નથી આવી. મળતી માહિતી અનુસાર આ અંગેનો કોઈ ઓફિસિયલ લેટર બહાર નથી પાડવામાં આવ્યો. 

પોસ્ટ કાર્ડ લખી સરકારને પોતાનું વચન કરાવ્યું યાદ!

થોડા સમયથી એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓ 30 ટકા પગાર વધારો કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો પરંતુ એસટી વિભાગના કર્મચારીઓને આમાંથી બાકાત રાખવામાં આવ્યા. કર્મચારીઓ માગ કરી રહ્યા છે કે તેમના પગારમાં પણ વધારો કરવામાં આવે. અનેક રજૂઆતો કરી, માસ સીએલ પર ઉતરવાની ચીમકી પણ આપી હતી. તે બાદ તેમની માગણી સ્વીકારાઈ. પરંતુ સમય વીત્યા બાદ પણ આ અંગેની કોઈ અપડેટ સામે ન આવી હતી જેને લઈ કર્મચારીઓ માની રહ્યા હતા કે તેમને લોલીપોપ તો નથી આપવામાં આવીને? કોઈ અપડેટ સામે ન આવતા તેમણે પોસ્ટ કાર્ડ લખી સરકારને તેમનું વચન ફરી-યાદ કરાવ્યું હતું. 


મંજૂરી તો આપી પરંતુ પગાર વધારો ક્યારે કરાશે તે એક પ્રશ્ન 

ત્યારે એવી માહિતી સામે આવી છે કે નાણા વિભાગ દ્વારા આને લઈ મંજૂરી આપવામાં આવી ગઈ છે. 30 ટકા પગાર વધારા અંગેની મંજૂરી આપવામાં આવી છે પરંતુ પ્રશ્ન એ થાય કે આ પગાર વધારો ક્યારે મળશે? 2 મહિના જેટલો સમય વીતિ ગયો છે પરંતુ હજી સુધી કોઈ પગાર વધારો કરવામાં નથી આવ્યો. પગાર વધારાની જાહેરાત તો કરવામાં આવી પરંતુ પગાર વધારો ક્યારે કરવામાં આવશે તે પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. આ અંગેનો ઓફિશિયલ લેટર જાહેર નથી કરવામાં આવ્યો. ત્યારે જોવું રહ્યું કે આ પગાર વધારો ક્યારે કરવામાં આવે છે.       



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.