UPથી INDIA Alliance માટે સામે આવ્યા સારા સમાચાર! સીટોની વહેંચણીને લઈ Congress અને SP વચ્ચે થઈ ડીલ! Akhilesh Yadavએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-01-27 14:32:43

ઈન્ડિયા ગઠબંધન એક તરફ તૂટશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એસપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સીટોને લઈ જાહેરાત કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટો માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. યુપીમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સીટનું એલાન કરવામાં આવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે 11 સીટો પર ગઠબંધન કરવામાં આવ્યું છે તેની જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે..

   

નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષની અનેક પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું હતું. ભાજપને હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ જ ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડી ગમે ત્યારે એનડીએમાં સામેલ થઈ શકે છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.


કોંગ્રેસ અને સપા વચ્ચે થઈ ડીલ!

એવું લાગી રહ્યું હતું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે પરંતુ આજે ગઠબંધન માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશથી સામે આવ્યા છે. સીટોની વહેંચણીને લઈ સહમતી બની ગઈ છે તેવી જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે અને આ અંગેની જાણકારી અખિલેશ યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શનિવારે પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું- કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘ભારત’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ ઈતિહાસ બદલી નાખશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.