UPથી INDIA Alliance માટે સામે આવ્યા સારા સમાચાર! સીટોની વહેંચણીને લઈ Congress અને SP વચ્ચે થઈ ડીલ! Akhilesh Yadavએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2024-01-27 14:32:43

ઈન્ડિયા ગઠબંધન એક તરફ તૂટશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. મમતા બેનર્જીની ટીએમસી પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો બીજી તરફ ઉત્તરપ્રદેશમાં એસપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સીટોને લઈ જાહેરાત કરવામાં આવી છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટો માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. યુપીમાં ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સીટનું એલાન કરવામાં આવ્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે એક મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ સાથે 11 સીટો પર ગઠબંધન કરવામાં આવ્યું છે તેની જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે..

   

નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે!

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભાજપને હરાવવા માટે વિપક્ષની અનેક પાર્ટી દ્વારા ઈન્ડિયા ગઠબંધન કરવામાં આવ્યું હતું. ભાજપને હરાવવા માટે આ ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ જ ગઠબંધનમાં તિરાડો પડી રહી છે. નીતિશ કુમાર ઈન્ડિયા ગઠબંધનમાંથી છેડો ફાડી ગમે ત્યારે એનડીએમાં સામેલ થઈ શકે છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ તેમજ પંજાબમાં આમ આદમી પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.


કોંગ્રેસ અને સપા વચ્ચે થઈ ડીલ!

એવું લાગી રહ્યું હતું કે આ સંઘ કાશીએ નહીં પહોંચે પરંતુ આજે ગઠબંધન માટે સારા સમાચાર ઉત્તર પ્રદેશથી સામે આવ્યા છે. સીટોની વહેંચણીને લઈ સહમતી બની ગઈ છે તેવી જાહેરાત અખિલેશ યાદવ દ્વારા કરવામાં આવી છે. કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે અને આ અંગેની જાણકારી અખિલેશ યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. શનિવારે પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું- કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘ભારત’ની ટીમ અને ‘PDA’ની રણનીતિ ઈતિહાસ બદલી નાખશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.