IPO રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, આજથી T+3 નિયમનો અમલ, જાણો ઈન્વેસ્ટોરોને શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-12-01 14:34:22

જો તમે શેર બજારમાં પૈસા લગાવો છે કે પછી આઈપીઓમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સેબી દ્વારા આઈપીઓમાં પૈસા લગાવવાનો નવો નિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે શેર એલોટમેન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઓછામાં ઓછા સમયમાં જ શેર ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. આઈપીઓની લિસ્ટીગના માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. આઈપીઓના બંધ થવા એલોટમેન્ટ થવાના તુરંત થયા બાદ જ લિસ્ટિંગ થશે. સેબીએ ઓગસ્ટ દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે આઈપીઓની લિસ્ટિંગ ડેડલાઈન 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવશે.  


રોકાણકારોને મોટી રાહત


સેબીઓ આઈપીઓ લિસ્ટિંગના દિવસોમાં ઘટડો કરતા રોકાણકારોને મોટો લાભ થયો છે. તેમના પૈસા હવે લાંબા સમય સુધી લોક-ઈન નહીં રહે. આ નિયમ લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક તમામ કંપનીઓને લાગુ પડે છે. રોકાણકારોના ડિમેટ ખાતામાં જો શેર નહીં આવે તો તેમને તરત જ રિફંડ મળી જશે, પહેલા તો રિફંડ મેળવવા માટે 4 દિવસ સુધી રાહ જોવી પડતી નથી. આ સાથે જ 1 ડિસેમ્બર 2023 બાદ  તમામ કંપનીઓ માટે આ નિયમ અનિવાર્યપણે લાગું કરી દેવામાં આવશે.


સેબીએ શું કહ્યું? 


સેબીએ આ પગલું એંકર ઈન્વેસ્ટરો, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટો, બ્રોકર, બેંકો સહિત તમામ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉઠાવ્યું છે. ટેસ્ટીંગ બાદ યોગ્ય જણાતા તેની પુષ્ટી કરવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ પગલાથી એ નક્કી થશે કે બેંકો, સ્ટોક એક્સચેન્જો, બ્રોકરો જેવાના સંસાધનોનો ઉપયોગ ઘટશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.