IPO રોકાણકારો માટે ગૂડ ન્યુઝ, આજથી T+3 નિયમનો અમલ, જાણો ઈન્વેસ્ટોરોને શું લાભ થશે


  • Published By :
  • Published Date : 2023-12-01 14:34:22

જો તમે શેર બજારમાં પૈસા લગાવો છે કે પછી આઈપીઓમાં રોકાણનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. સેબી દ્વારા આઈપીઓમાં પૈસા લગાવવાનો નવો નિયમ લાગું કરી દેવામાં આવ્યો છે. જે મુજબ હવે તમારે શેર એલોટમેન્ટ માટે વધુ રાહ જોવી પડશે નહીં. ઓછામાં ઓછા સમયમાં જ શેર ડીમેટ એકાઉન્ટમાં આવી જશે. આઈપીઓની લિસ્ટીગના માટે હવે લાંબા સમય સુધી રાહ જોવી પડશે નહીં. આઈપીઓના બંધ થવા એલોટમેન્ટ થવાના તુરંત થયા બાદ જ લિસ્ટિંગ થશે. સેબીએ ઓગસ્ટ દરમિયાન એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે તે આઈપીઓની લિસ્ટિંગ ડેડલાઈન 6 દિવસથી ઘટાડીને 3 દિવસ કરી દેવામાં આવશે.  


રોકાણકારોને મોટી રાહત


સેબીઓ આઈપીઓ લિસ્ટિંગના દિવસોમાં ઘટડો કરતા રોકાણકારોને મોટો લાભ થયો છે. તેમના પૈસા હવે લાંબા સમય સુધી લોક-ઈન નહીં રહે. આ નિયમ લિસ્ટિંગ કરાવવા ઇચ્છુક તમામ કંપનીઓને લાગુ પડે છે. રોકાણકારોના ડિમેટ ખાતામાં જો શેર નહીં આવે તો તેમને તરત જ રિફંડ મળી જશે, પહેલા તો રિફંડ મેળવવા માટે 4 દિવસ સુધી રાહ જોવી પડતી નથી. આ સાથે જ 1 ડિસેમ્બર 2023 બાદ  તમામ કંપનીઓ માટે આ નિયમ અનિવાર્યપણે લાગું કરી દેવામાં આવશે.


સેબીએ શું કહ્યું? 


સેબીએ આ પગલું એંકર ઈન્વેસ્ટરો, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટો, બ્રોકર, બેંકો સહિત તમામ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ઉઠાવ્યું છે. ટેસ્ટીંગ બાદ યોગ્ય જણાતા તેની પુષ્ટી કરવામાં આવી છે. સેબીએ કહ્યું કે આ પગલાથી એ નક્કી થશે કે બેંકો, સ્ટોક એક્સચેન્જો, બ્રોકરો જેવાના સંસાધનોનો ઉપયોગ ઘટશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે