જમાવટના દર્શકો માટે ખુશખબર.... ટૂંક સમયમાં જમાવટ આવશે આ પ્લેટફોર્મ પર!


  • Published By :
  • Published Date : 2023-04-01 16:29:47

જમાવટને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક વખત જમાવટને રજૂઆતો મળી હતી કે તમારે તમારી ટીવી ચેનલ શરૂ કરવી જોઈએ. ત્યારે દર્શકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં અમારી ટીવી ચેનલ શરૂ થવાની છે. ટૂંક સમયમાં જ અમારી ચેનલને ટીવી પર જોઈ શકશો. પણ......



આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને એપ્રિલ ફૂલ બનાવાયા છે. પહેલી એપ્રિલે લોકો એક બીજાને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ડિબેટ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે ડિબેટ કેન્સલ થઈ હતી. આવા કિસ્સા માત્ર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૂરતા સીમિત નથી હોતા. ઘણી વખત નેતાઓ તેમના નિવેદન દ્વારા લોકોને એપ્રિલફૂલ બનાવતા હોય છે. ત્યારે જમાવટ તરફથી એપ્રિલ ફૂલની શુભકામનાઓ... જોતા રહો જમાવટ અને જીવનમાં કરતા રહો જમાવટ...          



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.