જમાવટના દર્શકો માટે ખુશખબર.... ટૂંક સમયમાં જમાવટ આવશે આ પ્લેટફોર્મ પર!


  • Published By :
  • Published Date : 2023-04-01 16:29:47

જમાવટને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. અનેક વખત જમાવટને રજૂઆતો મળી હતી કે તમારે તમારી ટીવી ચેનલ શરૂ કરવી જોઈએ. ત્યારે દર્શકોને જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં અમારી ટીવી ચેનલ શરૂ થવાની છે. ટૂંક સમયમાં જ અમારી ચેનલને ટીવી પર જોઈ શકશો. પણ......



આ વાંચીને તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને એપ્રિલ ફૂલ બનાવાયા છે. પહેલી એપ્રિલે લોકો એક બીજાને એપ્રિલ ફૂલ બનાવતા હોય છે. આજે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ડિબેટ કરવાના હતા પરંતુ છેલ્લા સમયે ડિબેટ કેન્સલ થઈ હતી. આવા કિસ્સા માત્ર મનસુખ વસાવા અને ચૈતર વસાવા પૂરતા સીમિત નથી હોતા. ઘણી વખત નેતાઓ તેમના નિવેદન દ્વારા લોકોને એપ્રિલફૂલ બનાવતા હોય છે. ત્યારે જમાવટ તરફથી એપ્રિલ ફૂલની શુભકામનાઓ... જોતા રહો જમાવટ અને જીવનમાં કરતા રહો જમાવટ...          



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.