કેસર કેરીના રસીયાઓ માટે સારા સમાચાર, પોરબંદર માર્કેટ યાર્ડમાં ભરશિયાળે કેસર કેરીની આવક શરૂ


  • Published By :
  • Published Date : 2023-11-28 22:35:00

ગુજરાતમાં કેસર કેરીના રસીયાઓ માટે પોરબંદરથી સારા સમાચાર આવ્યા છે. કેસર કેરીનો આસ્વાદ માણવાના શોખિનોને કદાચ ભરશિયાળામાં પણ તેમની મનગમતા ફળનો સ્વાદ માણવા મળશે. પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. જો કે આ કેરીના ભાવ પણ ઘણા ઉંચા છે.  જાહેર હરાજીમાં કેસર કેરીનો ભાવ 7000 રૂપિયા કિલો સુધી બોલાયો હતો. સામાન્ય રીતે કેરીએ ઉનાળુ ફળ છે અને ભર ઉનાળામાં જ જોવા મળે છે. જો કે આ વખતે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કડકડતી ઠંડી વચ્ચે પણ કેરીની આવક શરૂ થતા વેપારીઓમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે. નવેમ્બર મહિનામાં કેરીની યાર્ડ ખાતે આવક થઇ હોય તેવું યાર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. જ્યારે ખેડુતો આને કુદરતનો કરિશ્મો બતાવી રહ્યા છે. ખેડુતોએ કહ્યું દેશમાં આવું પહેલીવાર બન્યું છે.


પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ


ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની પોરબંદર માર્કેટ યાર્ડમાં આવક શરૂ થઇ છે વર્ષોથી યાર્ડમાં ફળોના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાણાવાવની જાંબુવાનની ગુફા નજીકના ફાર્મમાં થી 2 બોક્સ કેરીની આવક થઇ હતી. જે બન્ને બોક્સ હરરાજીમાં કિલોના 700 લેખે વેચાયા હતા ઉલ્લેખનીય છે કે હજુ મોટા ભાગના આંબામાં મોર પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરીની હરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાર્થીઓમાં પણ આશ્ચર્ય જોવા મળતું હતું એ સિવાય અન્ય એક વેપારીને ત્યાં પણ એક બોક્સ કેરી આવી હતી .જેનું રૂપિયા 600 ની કિલોના ભાવે વેચાણ થયું હતું. 


5 મહિના પહેલાં આંબા પર મોર આવ્યો હતો


પોરબંદરના આદિત્યાણા ગામમાં આ વર્ષે પાંચ મહિના પહેલાં આંબાના ઝાડમાં કેરીના મોર જોવા મળી રહ્યા છે. કોઈ આંબામાં કેરીની આવક થતા આજે ભરશિયાળે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે કેસર કેરીનું આગમન થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં સુદામા ફ્રૂટ કંપની ખાતે 2 બોક્સ કેસર કેરી એટલે કે 20 કિલો કેસર કેરી વેચાણ માટે આવી હતી. હાલ જિલ્લાના બિલેશ્વર, ખંભાળા, હનુમાનગઢ અને કાટવાણા તેમજ આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોમાં મબલખ કેરીનું ઉત્પાદન થાય છે.


શા માટે ભરશિયાળે કેસર કેરી?


ભરશિયાળામાં કેસર કેરીની આવક શરૂ થઈ તે અંગે પોરબંદરના એક બાગાયત અધિકારી બી.એ. અડોદરાનું કહેવું છ કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવિરગ થતું હોય છે. પરંતુ આ વખતે ચોમાસા બાદ છેલ્લે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરીને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ અને બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીગ વહેલું જોવા મળ્યું છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.