ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર! લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, શ્રમ અને રોજગાર મંત્રીએ આ અંગે કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-20 17:39:05

હાલ ગુજરાતમાં વિધાનસભાસત્ર ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત ગૃહમાં કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


શ્રમિકોના વેતનમાં કરાયો વધારો    

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું કે કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રૂ. 9887.80 આપવામાં આવતું હતું તે વધારીને રૂ.12324 કરી દેવામાં આવી છે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રુ.9653.80 મળતું હતું જે વધારીને રૂ.11986 કરવામાં આવ્યું છે. જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા રૂ. 9445.80 મળતું હતું તેને વધારી દેવામાં આવ્યું છે. જે હવે રૂ. 11,752 આપવામાં આવશે. 


ઉપરાંત કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને રૂ. 12012 આપવામાં આવશે જે પહેલા રૂ. 9653.80 આપવામાં આવતી હતી. અર્ધ કુશળ શ્રમિકોને હવેથી રૂ. 11752 આપવામાં આવશે જે પહેલા રૂ. 9445.80 આપવામાં આવતું હતું. બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા 9237.80 મળતું હતું તે વધારી રૂ. 11466 કરવામાં આવ્યો છે. 


અનેક મુદ્દાઓને લઈ સરકારને પૂછાયા છે પ્રશ્ન

વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક મુદ્દાઓને લઈ સરકારને પ્રશ્નોને પૂછવામાં આવતા હોય છે. અનેક પ્રશ્નોના જવાબ સરકારે આપ્યા છે અને જવાબમાં આપેલા આંકકા ચોંકાવાનારા છે. કુપોષિત બાળકોને લઈ  પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષિત બેરોજગાર મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની કુલ મંજૂર કરવામાં આવી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.                    




વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.