ગુજરાતના શ્રમિકો માટે ખુશખબર! લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, શ્રમ અને રોજગાર મંત્રીએ આ અંગે કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-03-20 17:39:05

હાલ ગુજરાતમાં વિધાનસભાસત્ર ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે વિધાનસભામાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુતમ વેતનમાં વધારો કરવાની જાહેરાત ગૃહમાં કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતા શ્રમિકોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


શ્રમિકોના વેતનમાં કરાયો વધારો    

શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જાહેરાત કરતા જણાવ્યું કે કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રૂ. 9887.80 આપવામાં આવતું હતું તે વધારીને રૂ.12324 કરી દેવામાં આવી છે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન જે પહેલા રુ.9653.80 મળતું હતું જે વધારીને રૂ.11986 કરવામાં આવ્યું છે. જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા રૂ. 9445.80 મળતું હતું તેને વધારી દેવામાં આવ્યું છે. જે હવે રૂ. 11,752 આપવામાં આવશે. 


ઉપરાંત કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને રૂ. 12012 આપવામાં આવશે જે પહેલા રૂ. 9653.80 આપવામાં આવતી હતી. અર્ધ કુશળ શ્રમિકોને હવેથી રૂ. 11752 આપવામાં આવશે જે પહેલા રૂ. 9445.80 આપવામાં આવતું હતું. બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન જે પહેલા 9237.80 મળતું હતું તે વધારી રૂ. 11466 કરવામાં આવ્યો છે. 


અનેક મુદ્દાઓને લઈ સરકારને પૂછાયા છે પ્રશ્ન

વિધાનસભામાં અનેક મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવતી હોય છે. અનેક મુદ્દાઓને લઈ સરકારને પ્રશ્નોને પૂછવામાં આવતા હોય છે. અનેક પ્રશ્નોના જવાબ સરકારે આપ્યા છે અને જવાબમાં આપેલા આંકકા ચોંકાવાનારા છે. કુપોષિત બાળકોને લઈ  પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. શિક્ષિત બેરોજગાર મુદ્દે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઉપરાંત સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત ડોક્ટરની કુલ મંજૂર કરવામાં આવી છે તે અંગે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.                    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.