ગુગલે ભૂપેન હજારીકાનું ડૂડલ બનાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:14:09

કોઈ પણ તહેવાર હોય કે કોઈ મહાન હસ્તીનો જન્મ દિવસ હોય, ત્યારે ગૂગલ પોતાના ડૂડલ બદલી તેમને યાદ કરે છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય સંગીતકાર ભૂપેન હજારીકાનો જન્મદિવસ છે. સંગીત શ્રેત્રના તેમના યોગદાનને યાદ કરવા ગૂગલે વિશેષ ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ગૂગલ ડૂડલમાં મહાન સંગીતકાર ભૂપેન હજારીકાને હાર્મોનિયમ વગાડાતા બતાવવામાં આવ્યા છે. ડૂડલ આર્ટિસ્ટ રૂતૂજા માલીએ બનાવ્યું છે.  


જમાવટ પર જાણીએ ભૂપેન હજારીકાની સફર

8 સપ્ટેમ્બર 1926ના રોજ અસમના સાદિયા ખાતે ભૂપેન હજારીકાનો જન્મ થયો હતો. હજારીકાજી પૂર્વોત્તર ભારતના પ્રમુખ સામાજીક સુધારકોમાંથી એક માનવા આવે છે. ગુવાહાટીમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કોલેજના સમયે સંગીત પ્રત્યેક તેમની રૂચી વધી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કંઠે મહારાજ પાસે થઈ હતી. પ્રાપ્ત થયેલી વિદ્યાનો ઉપયોગ પોતાની અસમિયા ગાયકીમાં કર્યો હતો. તેમણે અનેકો ફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. સંગીત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બિરદાવવા તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર હજારીકાના અનેક ગાયનો આજે પણ લોકો યાદ કરે છે.



રાજ્યના અનેક ભાગોના વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો છે. અંબાજી પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. તે ઉપરાંત વલસાડના વાતાવરણમાં પલટો આવ્યો છે. કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે..તે સિવાય ભાવનગરમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે.

માતાના પ્રેમને આપણે શબ્દોથી ના તોલી શકીએ.. શબ્દોમાં આપણે તેના પ્રેમનું વર્ણન ના કરી શકીએ.. બાળક દુખી હોય ત્યારે બાળક કરતા પણ વધારે કોઈ દુખી હોય તો તે મા હોય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે માતાને સમર્પિત એક રચના...

એલઆરડી, પીએમઆઈની ભરતી અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. PSI અને LRD ભરતીમાં હજુ એકવાર ફોર્મ ભરવા માટે સાઈટ ખુલશે તેવી માહિતી સામે આવી છે... ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેમણે અનેક મુદ્દાઓને લઈ જાણકારી આપી હતી.

ભાજપનો આંતરિક કકડાટ સતત વધી રહ્યો છે ચૂંટણી પહેલા અને બાદમાં સતત પાર્ટીના નેતાઓ નારાજ થઈ રહ્યા છે. અમરેલી ભાજપમાં નારણ કાછડિયા હાલ નારાજ છે અને તેમની નારાજગી છે ઉમેદવાર ભરત સૂતરિયાથી.. હવે નારણભાઈના થેંક્યું વાળા નિવેદન પણ ભરત ભાઈએ સીધો જવાબ આપ્યો છે.