ગુગલે ભૂપેન હજારીકાનું ડૂડલ બનાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:14:09

કોઈ પણ તહેવાર હોય કે કોઈ મહાન હસ્તીનો જન્મ દિવસ હોય, ત્યારે ગૂગલ પોતાના ડૂડલ બદલી તેમને યાદ કરે છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય સંગીતકાર ભૂપેન હજારીકાનો જન્મદિવસ છે. સંગીત શ્રેત્રના તેમના યોગદાનને યાદ કરવા ગૂગલે વિશેષ ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ગૂગલ ડૂડલમાં મહાન સંગીતકાર ભૂપેન હજારીકાને હાર્મોનિયમ વગાડાતા બતાવવામાં આવ્યા છે. ડૂડલ આર્ટિસ્ટ રૂતૂજા માલીએ બનાવ્યું છે.  


જમાવટ પર જાણીએ ભૂપેન હજારીકાની સફર

8 સપ્ટેમ્બર 1926ના રોજ અસમના સાદિયા ખાતે ભૂપેન હજારીકાનો જન્મ થયો હતો. હજારીકાજી પૂર્વોત્તર ભારતના પ્રમુખ સામાજીક સુધારકોમાંથી એક માનવા આવે છે. ગુવાહાટીમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કોલેજના સમયે સંગીત પ્રત્યેક તેમની રૂચી વધી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કંઠે મહારાજ પાસે થઈ હતી. પ્રાપ્ત થયેલી વિદ્યાનો ઉપયોગ પોતાની અસમિયા ગાયકીમાં કર્યો હતો. તેમણે અનેકો ફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. સંગીત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બિરદાવવા તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર હજારીકાના અનેક ગાયનો આજે પણ લોકો યાદ કરે છે.



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.