ગુગલે ભૂપેન હજારીકાનું ડૂડલ બનાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:14:09

કોઈ પણ તહેવાર હોય કે કોઈ મહાન હસ્તીનો જન્મ દિવસ હોય, ત્યારે ગૂગલ પોતાના ડૂડલ બદલી તેમને યાદ કરે છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય સંગીતકાર ભૂપેન હજારીકાનો જન્મદિવસ છે. સંગીત શ્રેત્રના તેમના યોગદાનને યાદ કરવા ગૂગલે વિશેષ ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ગૂગલ ડૂડલમાં મહાન સંગીતકાર ભૂપેન હજારીકાને હાર્મોનિયમ વગાડાતા બતાવવામાં આવ્યા છે. ડૂડલ આર્ટિસ્ટ રૂતૂજા માલીએ બનાવ્યું છે.  


જમાવટ પર જાણીએ ભૂપેન હજારીકાની સફર

8 સપ્ટેમ્બર 1926ના રોજ અસમના સાદિયા ખાતે ભૂપેન હજારીકાનો જન્મ થયો હતો. હજારીકાજી પૂર્વોત્તર ભારતના પ્રમુખ સામાજીક સુધારકોમાંથી એક માનવા આવે છે. ગુવાહાટીમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કોલેજના સમયે સંગીત પ્રત્યેક તેમની રૂચી વધી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કંઠે મહારાજ પાસે થઈ હતી. પ્રાપ્ત થયેલી વિદ્યાનો ઉપયોગ પોતાની અસમિયા ગાયકીમાં કર્યો હતો. તેમણે અનેકો ફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. સંગીત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બિરદાવવા તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર હજારીકાના અનેક ગાયનો આજે પણ લોકો યાદ કરે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.