ગુગલે ભૂપેન હજારીકાનું ડૂડલ બનાવ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 15:14:09

કોઈ પણ તહેવાર હોય કે કોઈ મહાન હસ્તીનો જન્મ દિવસ હોય, ત્યારે ગૂગલ પોતાના ડૂડલ બદલી તેમને યાદ કરે છે. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ભારતીય સંગીતકાર ભૂપેન હજારીકાનો જન્મદિવસ છે. સંગીત શ્રેત્રના તેમના યોગદાનને યાદ કરવા ગૂગલે વિશેષ ડૂડલ બનાવી તેમને શ્રદ્ધાંજલી આપી હતી. ગૂગલ ડૂડલમાં મહાન સંગીતકાર ભૂપેન હજારીકાને હાર્મોનિયમ વગાડાતા બતાવવામાં આવ્યા છે. ડૂડલ આર્ટિસ્ટ રૂતૂજા માલીએ બનાવ્યું છે.  


જમાવટ પર જાણીએ ભૂપેન હજારીકાની સફર

8 સપ્ટેમ્બર 1926ના રોજ અસમના સાદિયા ખાતે ભૂપેન હજારીકાનો જન્મ થયો હતો. હજારીકાજી પૂર્વોત્તર ભારતના પ્રમુખ સામાજીક સુધારકોમાંથી એક માનવા આવે છે. ગુવાહાટીમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. કોલેજના સમયે સંગીત પ્રત્યેક તેમની રૂચી વધી હતી. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન, કંઠે મહારાજ પાસે થઈ હતી. પ્રાપ્ત થયેલી વિદ્યાનો ઉપયોગ પોતાની અસમિયા ગાયકીમાં કર્યો હતો. તેમણે અનેકો ફિલ્મી ગીતોમાં પણ સંગીત આપ્યું છે. સંગીત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાનને બિરદાવવા તેમને સંગીત નાટક એકેડેમી પુરસ્કાર, પદ્મશ્રી, અને પદ્મ વિભૂષણ જેવા એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર હજારીકાના અનેક ગાયનો આજે પણ લોકો યાદ કરે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .