મહીસાગર જિલ્લામાં ગૂગલ મેપથી જમીન માપણીમાં છબરડા, ખેડૂતો વચ્ચે કજિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-04-06 22:22:16

ગુજરાતમાં ગૂગલ મેપની મદદથી થતી જમીન માપણીના કારણે ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર વધી રહ્યા છે. ગૂગલ મેપના કારણે મહીસાગર જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, ગૂગલ પર ખેડૂતોને પોતાના ખેતરનો નકશો અને સરકારે તૈયાર કરેલો ખેતરનો નકશો સાવ અગલ આવતા ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે.


ખેડૂતોના સર્વે નંબર બદલાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામમાં જે જમીનનો સર્વે ગૂગલ મેપથી કરવામાં આવ્યો છે. જેમાં જમીનોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


ખેડૂતોની જમીનોનું બારોબાર વેચાણ


ખેડૂતોની જમીનોના સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લેભાગુઓ દ્વારા કેટલીક ખેતીની જમીનો બારોબાર વેચી મારતા ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોની મુખ્ય રસ્તા ઉપર આવેલી મોંઘીદાટ જમીનો વેચાઇ ચૂકી છે. ગૂગલ મેપથી માપણી બાદ અનેક જમીનોની અદલાબદલી થઈ જતાં મોટી-મોટી ખેતીની જમીનો અન્ય ખેડૂતના નામે થઈ ગઈ છે.


રજુઆત છતા સમસ્યા યથાવત


સજ્જનપુર ગામનો મુખ્ય સરકારી રસ્તો, તળાવો પણ ગૂગલ મેપથી માપણી બાદ અદલાબદલી થઈ જતાં સરકારી જમીનો પણ અન્ય ખેડૂતોના નામે થઈ ગઈ છે. ત્યારે મૂળ જમીન માલિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફરી માપણી કરાવી અમારી જમીનો પરત મેળવવા માંગ કરી રહ્યા છે. પરંતુ નખરોળ તંત્ર ખેડૂતોની વાત સાંભળતું જ નથી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.