મહીસાગર જિલ્લામાં ગૂગલ મેપથી જમીન માપણીમાં છબરડા, ખેડૂતો વચ્ચે કજિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-04-06 22:22:16

ગુજરાતમાં ગૂગલ મેપની મદદથી થતી જમીન માપણીના કારણે ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર વધી રહ્યા છે. ગૂગલ મેપના કારણે મહીસાગર જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, ગૂગલ પર ખેડૂતોને પોતાના ખેતરનો નકશો અને સરકારે તૈયાર કરેલો ખેતરનો નકશો સાવ અગલ આવતા ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે.


ખેડૂતોના સર્વે નંબર બદલાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામમાં જે જમીનનો સર્વે ગૂગલ મેપથી કરવામાં આવ્યો છે. જેમાં જમીનોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


ખેડૂતોની જમીનોનું બારોબાર વેચાણ


ખેડૂતોની જમીનોના સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લેભાગુઓ દ્વારા કેટલીક ખેતીની જમીનો બારોબાર વેચી મારતા ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોની મુખ્ય રસ્તા ઉપર આવેલી મોંઘીદાટ જમીનો વેચાઇ ચૂકી છે. ગૂગલ મેપથી માપણી બાદ અનેક જમીનોની અદલાબદલી થઈ જતાં મોટી-મોટી ખેતીની જમીનો અન્ય ખેડૂતના નામે થઈ ગઈ છે.


રજુઆત છતા સમસ્યા યથાવત


સજ્જનપુર ગામનો મુખ્ય સરકારી રસ્તો, તળાવો પણ ગૂગલ મેપથી માપણી બાદ અદલાબદલી થઈ જતાં સરકારી જમીનો પણ અન્ય ખેડૂતોના નામે થઈ ગઈ છે. ત્યારે મૂળ જમીન માલિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફરી માપણી કરાવી અમારી જમીનો પરત મેળવવા માંગ કરી રહ્યા છે. પરંતુ નખરોળ તંત્ર ખેડૂતોની વાત સાંભળતું જ નથી.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.