મહીસાગર જિલ્લામાં ગૂગલ મેપથી જમીન માપણીમાં છબરડા, ખેડૂતો વચ્ચે કજિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-04-06 22:22:16

ગુજરાતમાં ગૂગલ મેપની મદદથી થતી જમીન માપણીના કારણે ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર વધી રહ્યા છે. ગૂગલ મેપના કારણે મહીસાગર જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, ગૂગલ પર ખેડૂતોને પોતાના ખેતરનો નકશો અને સરકારે તૈયાર કરેલો ખેતરનો નકશો સાવ અગલ આવતા ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે.


ખેડૂતોના સર્વે નંબર બદલાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામમાં જે જમીનનો સર્વે ગૂગલ મેપથી કરવામાં આવ્યો છે. જેમાં જમીનોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


ખેડૂતોની જમીનોનું બારોબાર વેચાણ


ખેડૂતોની જમીનોના સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લેભાગુઓ દ્વારા કેટલીક ખેતીની જમીનો બારોબાર વેચી મારતા ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોની મુખ્ય રસ્તા ઉપર આવેલી મોંઘીદાટ જમીનો વેચાઇ ચૂકી છે. ગૂગલ મેપથી માપણી બાદ અનેક જમીનોની અદલાબદલી થઈ જતાં મોટી-મોટી ખેતીની જમીનો અન્ય ખેડૂતના નામે થઈ ગઈ છે.


રજુઆત છતા સમસ્યા યથાવત


સજ્જનપુર ગામનો મુખ્ય સરકારી રસ્તો, તળાવો પણ ગૂગલ મેપથી માપણી બાદ અદલાબદલી થઈ જતાં સરકારી જમીનો પણ અન્ય ખેડૂતોના નામે થઈ ગઈ છે. ત્યારે મૂળ જમીન માલિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફરી માપણી કરાવી અમારી જમીનો પરત મેળવવા માંગ કરી રહ્યા છે. પરંતુ નખરોળ તંત્ર ખેડૂતોની વાત સાંભળતું જ નથી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.