મહીસાગર જિલ્લામાં ગૂગલ મેપથી જમીન માપણીમાં છબરડા, ખેડૂતો વચ્ચે કજિયા વધ્યા


  • Published By :
  • Published Date : 2023-04-06 22:22:16

ગુજરાતમાં ગૂગલ મેપની મદદથી થતી જમીન માપણીના કારણે ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર વધી રહ્યા છે. ગૂગલ મેપના કારણે મહીસાગર જિલ્લામાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે, ગૂગલ પર ખેડૂતોને પોતાના ખેતરનો નકશો અને સરકારે તૈયાર કરેલો ખેતરનો નકશો સાવ અગલ આવતા ખેડૂતો મોટી મૂંઝવણમાં મુકાયા છે.


ખેડૂતોના સર્વે નંબર બદલાયા


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સજ્જનપુર ગામમાં જે જમીનનો સર્વે ગૂગલ મેપથી કરવામાં આવ્યો છે. જેમાં જમીનોના સર્વે નંબરો બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જમીનનો ભોગવટો અન્ય ખેડૂત પાસે તો તેની માલિકી અન્ય ખેડૂતના નામે થઇ જતા ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ છે. હદ તો ત્યારે થઈ જ્યારે ગામનો મુખ્ય સરકારી માર્ગ ખેડૂતના નામે ચડી ગયો તો ખેડૂતની મૂળ જમીન અન્ય ખેડૂતના નામે થઈ ગઈ હોવાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે.


ખેડૂતોની જમીનોનું બારોબાર વેચાણ


ખેડૂતોની જમીનોના સર્વે નંબર બદલાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. લેભાગુઓ દ્વારા કેટલીક ખેતીની જમીનો બારોબાર વેચી મારતા ખેડૂતોની અનેક રજૂઆત બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ખેડૂતોની મુખ્ય રસ્તા ઉપર આવેલી મોંઘીદાટ જમીનો વેચાઇ ચૂકી છે. ગૂગલ મેપથી માપણી બાદ અનેક જમીનોની અદલાબદલી થઈ જતાં મોટી-મોટી ખેતીની જમીનો અન્ય ખેડૂતના નામે થઈ ગઈ છે.


રજુઆત છતા સમસ્યા યથાવત


સજ્જનપુર ગામનો મુખ્ય સરકારી રસ્તો, તળાવો પણ ગૂગલ મેપથી માપણી બાદ અદલાબદલી થઈ જતાં સરકારી જમીનો પણ અન્ય ખેડૂતોના નામે થઈ ગઈ છે. ત્યારે મૂળ જમીન માલિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ફરી માપણી કરાવી અમારી જમીનો પરત મેળવવા માંગ કરી રહ્યા છે. પરંતુ નખરોળ તંત્ર ખેડૂતોની વાત સાંભળતું જ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.