ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી આ જગ્યાએથી લડશે ચૂંટણી, જાણો કઈ બેઠક કરી છે પસંદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 15:09:26

વિધાનસભા ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ચૂંટણીને જીતવા ઉમેદવારોને પાર્ટી મેદાનમાં ઉતારતા હોય છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આપના ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી કયા બેઠક પરથી ચૂંટણી લડશે તેની પર બધાની નજર છે.

આ બેઠક પરથી લડશે ઈસુદાન અને ઈટાલિયા ચૂંટણી

આપમાં બે નેતાઓ છે જે મુખ્યમંત્રીનો ચહેરો બની શકે છે. એક છે ગોપાલ ઈટાલિયા અને બીજા છે ઈસુદાન ગઢવી. આમ આદમી પાર્ટી ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે પરંતુ આ બંને નેતા કઈ બેઠક પરથી ચૂંટણી લડવાના છે તે હજી સામે નથી આવ્યું. મળતી માહિતી મુજબ વિવિધ બેઠકોને પસંદ કરવામાં આવી છે જ્યાંથી તેઓ ચૂંટણી લડી શકે છે. ઈસુદાન ગઢવી રાજકોટ, જામખંભાળીયા કે દ્વારકાથી ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે જ્યારે ઈટાલિયા બોટાદ અથવા ધારી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ બાબતે લઈ આપમાં મનોમંથન ચાલી રહ્યું છે.   

मंदिर और कथाएं शोषण का घर', BJP ने गुजरात AAP संयोजक इटालिया का एक और  वीडियो किया जारी - Gujarat BJP tweet another controversial video of Gopal  Italiya AAP president ntc - AajTak

ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે પ્રચાર

આપ ગુજરાતમાં જોર શોરથી પ્રચાર કરી રહ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. અનેક વખત તેઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે 16 અને 17 ઓક્ટોબરના રોજ તેઓ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈ અનેક વખત વિવાદ છેડાયો છે. તેમની સાથે સાથે ગોપાલ ઈટાલિયા પણ ચર્ચાનો વિષય બન્યા છે. ગોપાલ ઈટાલિયાના વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.    

देश के टॉप 10 सरकारी स्‍कूलों में 5 दिल्‍ली के, CM केजरीवाल ने ट्वीट कर दी  बधाई - Arvind kejriwal tweet 5 Out of Top 10 Best Government Colleges in  India Are

ગુજરાતમાં AAPની સરકાર બનશે - ગોપાલ ઈટાલિયા 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા નેતાઓના અનેક જૂના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આપના ગોપાલ ઈટાલિયાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી રહ્યા છે. જેને લઈ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. પરંતુ આટલું બધું થયા પછી પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનશે તેવી વાત તેઓ કરી રહ્યા છે. ત્યારે હવે મતદારો કોની રાજપોષી કરશે તે તો આવનારો સમય જ બતાવશે.                




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"