Gopal Italiaએ Chaitar Vasava કેસને લઈ આપી અપડેટ, કહ્યું કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-23 13:25:27

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી ફરાર છે. પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તે પોલીસ પકડની બહાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. થોડા દિવસો પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે તે ચૈતર વસાવાના પત્ની છે એટલે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા કેસની અપડેટ લેવા જ્યારે જમાવટની ટીમે આપના નેતા ગોપાલ ઈટાલિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને કેસને લંબાવી રહી છે. કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર છે. ચૈતર વસાવાને ક્યારે હાજર કરવા તે અંગે પણ ગોપાલ ઈટાયિલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

આગોતરા જામીનને કોર્ટે ફગાવી   

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. નર્મદાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હતી.   ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


અનેક દિવસોથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે. અનંત પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીએ ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે 15 દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.   



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.