Gopal Italiaએ Chaitar Vasava કેસને લઈ આપી અપડેટ, કહ્યું કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર..


  • Published By :
  • Published Date : 2023-11-23 13:25:27

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી ફરાર છે. પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તે પોલીસ પકડની બહાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. થોડા દિવસો પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે તે ચૈતર વસાવાના પત્ની છે એટલે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા કેસની અપડેટ લેવા જ્યારે જમાવટની ટીમે આપના નેતા ગોપાલ ઈટાલિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને કેસને લંબાવી રહી છે. કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર છે. ચૈતર વસાવાને ક્યારે હાજર કરવા તે અંગે પણ ગોપાલ ઈટાયિલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

આગોતરા જામીનને કોર્ટે ફગાવી   

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. નર્મદાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હતી.   ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


અનેક દિવસોથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે. અનંત પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીએ ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે 15 દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .