Gopal Italiaએ Chaitar Vasava કેસને લઈ આપી અપડેટ, કહ્યું કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર..


  • Published By :
  • Published Date : 2023-11-23 13:25:27

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઘણા સમયથી ફરાર છે. પોલીસ ફરિયાદ થઈ ત્યારથી તે પોલીસ પકડની બહાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાના પત્ની જેલમાં છે. થોડા દિવસો પહેલા તેમણે એક નિવેદન આપ્યું હતું કે તે ચૈતર વસાવાના પત્ની છે એટલે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. ચૈતર વસાવા કેસની અપડેટ લેવા જ્યારે જમાવટની ટીમે આપના નેતા ગોપાલ ઈટાલિયાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને કેસને લંબાવી રહી છે. કેસ લાંબો ખેંચવાનું BJPનું ષડયંત્ર છે. ચૈતર વસાવાને ક્યારે હાજર કરવા તે અંગે પણ ગોપાલ ઈટાયિલાને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. 

આગોતરા જામીનને કોર્ટે ફગાવી   

થોડા દિવસો પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે ચૈતર વસાવાની જામીન અરજીને ફગાવી દીધી હતી. નર્મદાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે તેમને કોઈ રાહત આપી ન હતી.   ઉલ્લેખનિય છે કે ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારીઓને ધમકાવવામાં તથા માર મારવામાં મામલે કલમ 386 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. વન વિભાગ નર્મદા દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.


અનેક દિવસોથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે

ચૈતર વસાવા વિરૂદ્ધ કેસ થયો છે ત્યારથી તે ફરાર છે. ધારાસભ્યના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો આવ્યા છે. અનંત પટેલ તેમજ જિજ્ઞેશ મેવાણીએ ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરી હતી. મહત્વનું છે કે 15 દિવસથી વધુનો સમય વિતી ગયો છે પરંતુ હજી સુધી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે.   



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી