ગોપાલ ઈટાલિયાએ કવિતાને બનાવી હથિયાર, પેપર કાંડ મુદ્દે સરકાર પર કર્યા કટાક્ષ


  • Published By :
  • Published Date : 2023-01-29 14:01:28

રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ હડકંપ મચી ગયો છે. સમગ્ર રાજ્યમાં ઉમેદવારો જબરદસ્ત ધરણા અને પ્રદર્શનો કરી રહ્યા છે. એક પરીક્ષા પણ સારી રીતે યોજવામાં નિષ્ફળ ભાજપની સરકાર પર ચારે બાજુથી માછલા ધોવામાં આવી રહ્યા છે. પરીક્ષાર્થીઓની સાથે સાથે-સાથે વિરોધ પક્ષોએ પણ સરકારને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કવિતા લખીને તેમની વ્યથા વર્ણવી છે. 


પેપર લીક કાંડ મુદ્દે ઈટાલિયાએ કવિતા લખી


જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આપના નેતા ગોપાલ ઈટાલિયાએ કવિતા લખીને ભાજપની સરકારની મનસુફી પર મર્મવેધક કટાક્ષ કર્યો છે. ગોપાલ ઈટાલિયા તેમની કવિતાનો પ્રારંભ જ 'અમે તો ભાજપવાળા ભાઈ'થી કરે છે. ગળું ફાડીને રોષ વ્યક્ત કરવાને બદલે ગોપાલ ઈટાલિયાએ કવિતાનો ઉપયોગ એક હથિયાર તરીકે કર્યો છે. ગોપાલ ઈટાલિયાની આ કવિતા હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે