ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, કહ્યું જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:54:31

મોરબીમાં બનેલી દુર્ઘટના પર અનેક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે આ ઘટના માટે ભાજપ જવાબદાર છે. ઈટાલિયાએ કહ્યું કે મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનાર જનતાને બદલામાં મોત મળ્યું.   


ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે - ઈટાલિયા 

હાલ ગુજરાતમાં માત્ર મોરબીમાં બનેલી દુર્ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પર ચર્ચા કેમ ન થાય. અનેક લોકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ બાળકો  આ ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી એકદમ આક્રમક બની છે. આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓની ઘટના બની રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂજાય છે. પરંતુ કોઈનું કાંઈ નથી થતું.

  

કમિટી બને છે પરંતુ પરિણામ નથી આવતું - ઈટાલિયા 

ઘટનાની તપાસ માટે સરકાર કમિટીની રચના કરે છે. તેની ઉપર ટિપ્પણી કરતા ઈટાલિયાએ કહ્યું કે આજ સુધી કઈ કમિટીએ તીર મારી લીધા? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા સમિતી બની, પાટીદાર આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં પેપરલીક કાંડમાં તપાસ માટે કમિટી બની પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. 


દરેક ઘટનાનો દોષ આખરે જનતા પર નખાય છે - ગોપાલ

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ન કરવી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી સલાહ આપનાર લોકો જ રાજકારણ કરે છે. આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. દરેક ઘટનાનો દોષ આખરે તો જનતા પર નખાય છે.   ,            




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.