ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કર્યા હતા, કહ્યું જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે


  • Published By :
  • Published Date : 2022-10-31 18:54:31

મોરબીમાં બનેલી દુર્ઘટના પર અનેક પાર્ટીની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર સીધો હુમલો કરતા કહ્યું કે આ ઘટના માટે ભાજપ જવાબદાર છે. ઈટાલિયાએ કહ્યું કે મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠકો ભાજપ પાસે છે, પરંતુ ભાજપને આટલો પ્રેમ આપનાર જનતાને બદલામાં મોત મળ્યું.   


ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓ થઈ રહી છે - ઈટાલિયા 

હાલ ગુજરાતમાં માત્ર મોરબીમાં બનેલી દુર્ઘટનાની જ ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના પર ચર્ચા કેમ ન થાય. અનેક લોકોએ આ ગોઝારી ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી વધુ બાળકો  આ ઘટનામાં મોતને ભેટ્યા છે. ત્યારે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી એકદમ આક્રમક બની છે. આપ ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં વારંવાર સામુહિક હત્યાઓની ઘટના બની રહી છે, લોકો લઠ્ઠાકાંડમાં મરે છે, તક્ષશિલામાં જીવતા ભૂજાય છે. પરંતુ કોઈનું કાંઈ નથી થતું.

  

કમિટી બને છે પરંતુ પરિણામ નથી આવતું - ઈટાલિયા 

ઘટનાની તપાસ માટે સરકાર કમિટીની રચના કરે છે. તેની ઉપર ટિપ્પણી કરતા ઈટાલિયાએ કહ્યું કે આજ સુધી કઈ કમિટીએ તીર મારી લીધા? થાનગઢ હત્યાકાંડની તપાસ કરવા સમિતી બની, પાટીદાર આંદોલનમાં, ખેડૂત આંદોલનમાં પેપરલીક કાંડમાં તપાસ માટે કમિટી બની પરંતુ તેનું કોઈ પરિણામ નથી આવ્યું. 


દરેક ઘટનાનો દોષ આખરે જનતા પર નખાય છે - ગોપાલ

ગુજરાતમાં સરકારની નિષ્ફળતા, ભ્રષ્ટાચારને કારણે લોકોના જીવ જાય છે ત્યારે આવું થાય ત્યારે સવાલ ના પૂછવા, રાજકારણ ન કરવી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ આવી સલાહ આપનાર લોકો જ રાજકારણ કરે છે. આ ઘટના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠાવવો રાજનીતિ નહીં પરંતુ જવાબદારી છે. દરેક ઘટનાનો દોષ આખરે તો જનતા પર નખાય છે.   ,            




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.