PM મોદી વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાને નોટિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:34:20

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તેમના વાયરલ વીડિયોને લઈને બરાબરના ભરાયા છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાતના  પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારી છે. 



ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ 


રાષ્ટ્રીય મહિલા આયોગની ગોપાલ ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી આપણા દેશની મહિલાઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. સમન્સની અવગણના કરવા બદલ ઇટાલિયા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


ભાજપના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર 


ભારતીય જનતા પાર્ટીએ પણ ઈટાલિયાની ભાષાને લઈને પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, કેજરીવાલનો જમણો હાથ અને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી ગયા છે. PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રને અપશબ્દો બોલવા એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.


ગોપાલ ઈટાલિયા પર આરોપ શું છે?


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, એવું કહેવામા આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નીચ વ્યક્તિ છે. હું તેની પુષ્ટિ નથી કરતો. પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે અને બધા પાસેથી એ જાણવા માંગુ છું કે, શું ભૂતકાળમાં કોઈ પણ પીએમ એ મત મેળવવા માટે આવો ડ્રામો કર્યો હતો. આવા નીચ વ્યક્તિ અહીં રોડ શો કરી રહ્યો છે. તેની સાથે જ અનેક બીજા વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. આ વીડિયો 2019નો છે અવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અનેક વખત ઈટાલિયાએ શબ્દોની મર્યાદા લાંઘી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.