PM મોદી વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાને નોટિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:34:20

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તેમના વાયરલ વીડિયોને લઈને બરાબરના ભરાયા છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાતના  પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારી છે. 



ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ 


રાષ્ટ્રીય મહિલા આયોગની ગોપાલ ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી આપણા દેશની મહિલાઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. સમન્સની અવગણના કરવા બદલ ઇટાલિયા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


ભાજપના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર 


ભારતીય જનતા પાર્ટીએ પણ ઈટાલિયાની ભાષાને લઈને પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, કેજરીવાલનો જમણો હાથ અને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી ગયા છે. PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રને અપશબ્દો બોલવા એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.


ગોપાલ ઈટાલિયા પર આરોપ શું છે?


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, એવું કહેવામા આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નીચ વ્યક્તિ છે. હું તેની પુષ્ટિ નથી કરતો. પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે અને બધા પાસેથી એ જાણવા માંગુ છું કે, શું ભૂતકાળમાં કોઈ પણ પીએમ એ મત મેળવવા માટે આવો ડ્રામો કર્યો હતો. આવા નીચ વ્યક્તિ અહીં રોડ શો કરી રહ્યો છે. તેની સાથે જ અનેક બીજા વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. આ વીડિયો 2019નો છે અવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અનેક વખત ઈટાલિયાએ શબ્દોની મર્યાદા લાંઘી છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"