PM મોદી વિરૂધ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ગોપાલ ઈટાલિયાને નોટિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:34:20

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા તેમના વાયરલ વીડિયોને લઈને બરાબરના ભરાયા છે. વડાપ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરવાના મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે આમ આદમી પાર્ટીના ગુજરાતના  પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને નોટિસ ફટકારી છે. 



ગોપાલ ઈટાલિયાને રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ 


રાષ્ટ્રીય મહિલા આયોગની ગોપાલ ઈટાલિયાને પાઠવવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી આપણા દેશની મહિલાઓનું અપમાન થયું છે. મહિલા આયોગે આપ નેતા દ્વારા ઉપયોગ કરવામાં આવેલ શબ્દોમાં પદનું સમ્માન ન જાળવવા, ખરાબ શબ્દોમાં કરેલી જાતિગત અભદ્ર ટિપ્પણીને વખોડી કાઢી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આ મામલે 13 ઓક્ટોબરના રોજ બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા છે. સમન્સની અવગણના કરવા બદલ ઇટાલિયા સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 


ભાજપના ગોપાલ ઈટાલિયા પર પ્રહાર 


ભારતીય જનતા પાર્ટીએ પણ ઈટાલિયાની ભાષાને લઈને પ્રહારો કર્યા છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, કેજરીવાલનો જમણો હાથ અને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કેજરીવાલના સ્તરે ઉતરી ગયા છે. PM મોદી માટે અપશબ્દોનો ઉપયોગ કરીને ગુજરાતના ગૌરવ અને ધરતી પુત્રને અપશબ્દો બોલવા એ દરેક ગુજરાતીનું અપમાન છે જેણે તેમને અને ભાજપને 27 વર્ષથી મત આપ્યા છે.


ગોપાલ ઈટાલિયા પર આરોપ શું છે?


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગોપાલ ઈટાલિયા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, એવું કહેવામા આવી રહ્યું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નીચ વ્યક્તિ છે. હું તેની પુષ્ટિ નથી કરતો. પરંતુ અહીં ચૂંટણી ચાલી રહી છે અને બધા પાસેથી એ જાણવા માંગુ છું કે, શું ભૂતકાળમાં કોઈ પણ પીએમ એ મત મેળવવા માટે આવો ડ્રામો કર્યો હતો. આવા નીચ વ્યક્તિ અહીં રોડ શો કરી રહ્યો છે. તેની સાથે જ અનેક બીજા વાંધાજનક શબ્દોનો ઉપયોગ પણ કર્યો છે. આ વીડિયો 2019નો છે અવું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયોમાં અનેક વખત ઈટાલિયાએ શબ્દોની મર્યાદા લાંઘી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.