Congress - AAPના ગઠબંધનને લઈ Gopal Italiaએ આપી પ્રતિક્રિયા તો Mansukh Vasavaએ BJPના જીત અંગે કહી આ વાત! સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-02-23 10:45:08

ગઈકાલે રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું. સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી હતી કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે. સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. હજી સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં તો ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે એવી માહિતી સામે આવી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે તે છે ભરૂચ અને ભાવનગર. આ બે બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

ગઠબંધનની જાહેરાત થાય તે પહેલા જ જોવા મળી રહ્યા છે ડખા   

ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે જ્યારે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. ગઠબંધનને લઈ હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તે પહેલા જ ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે આ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપી છે. તે સિવાય મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.

મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા  

મનસુખ વસાવાએ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઈટાલિયા દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવાને લઈ વાત કરી છે.            



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.