Congress - AAPના ગઠબંધનને લઈ Gopal Italiaએ આપી પ્રતિક્રિયા તો Mansukh Vasavaએ BJPના જીત અંગે કહી આ વાત! સાંભળો...


  • Published By :
  • Published Date : 2024-02-23 10:45:08

ગઈકાલે રાજકીય વર્તુળમાં એક ચર્ચાએ જોર પકડ્યું હતું. સૂત્રો પાસેથી એવી માહિતી સામે આવી હતી કે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે. સમાચાર તો ત્યાં સુધી આવ્યા કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. હજી સત્તાવાર જાહેરાત નથી થઈ ત્યાં તો ઘમાસાણ શરૂ થઈ ગયું છે. સૂત્રો પ્રમાણે એવી માહિતી સામે આવી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે સીટો પર ચૂંટણી લડી રહી છે તે છે ભરૂચ અને ભાવનગર. આ બે બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

ગઠબંધનની જાહેરાત થાય તે પહેલા જ જોવા મળી રહ્યા છે ડખા   

ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે જ્યારે ભાવનગર બેઠક પરથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત આપ દ્વારા કરવામાં આવી છે. ગઠબંધનને લઈ હજી સુધી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી તે પહેલા જ ઘમાસાણ શરૂ થઈ ગયું છે. મુમતાઝ પટેલ અને ફેઝલ પટેલે આ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપી છે. તે સિવાય મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે.

મનસુખ વસાવાએ આપી પ્રતિક્રિયા  

મનસુખ વસાવાએ ગઠબંધનને લઈ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન અગાઉથીજ નક્કી હતું. બે પક્ષના એકસાથે ચૂંટણી લડવાથી કે સંમતિથી ઉમેદવારની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફર્ક પડશે નહીં. ભરૂચ બેઠક વધુ એક વાર ભાજપાજ જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઈટાલિયા દ્વારા પણ આને લઈ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવાને લઈ વાત કરી છે.            



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે