ગોપાલ ઇટાલિયાની જાહેરાત "AAPની સરકાર બનશે તો જૂની પેન્શન યોજના લાગુ કરશે "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 20:00:35

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે આટલે હવે ગુજરાતમાં સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકોને અનેક વાયદા અને ગેરેન્ટી આપે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ops ને પંજાબમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ત્યારે આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતા જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ગુજરાતના સૌ કર્મચારી મિત્રોને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીને એક તક આપે.



શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ ????


ગોપાલ ઇટાલિયાએ કહ્યું "ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ ‘જૂની પેન્શન યોજના’લાગુ કરવામાં આવશે.સરકાર અને જનતાની વચ્ચેની પાવરફુલ કડી સરકારી કર્મચારી છે એટલે ચૂંટણી સમયે આપેલી ગેરેંટીઓ પૂરી કરવા માટે આમ આદમી પાર્ટી જાણીતી પાર્ટી છે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજી જે બોલે છે તે કરીને બતાવે છે ગુજરાતમાં કર્મચારીઓ ઘણા સમયથી આંદોલન, ધરણાઓ, રેલી, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગુજરાતના અને કેન્દ્રના મંત્રીઓ કેજરીવાલજીને અપશબ્દો કહે છે, આતંકવાદી કહે છે, ઠગ કહે છે  પરંતુ  અરવિંદ કેજરીવાલ તો કમો એ નિર્દોષ, નિખાલસ, સરળ અને સહજ સ્વભાવનો, ભગવાનો માણસ છે


તેમણે વધુમાં કહ્યું પંજાબની આમ આદમી પાર્ટી સરકારે નિર્ણય કર્યો છે અને કેબિનેટની અંદર સૈદ્ધાંતિક વહીવટી મંજૂરી મળી ચૂકી છે જેથી ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના માધ્યમથી પંજાબના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળવા જઈ રહ્યો છે. હું પંજાબના તમામ કર્મચારીઓની શુભેચ્છાઓ પાઠવું છું. આ ગુજરાતની અંદર પણ શક્ય છે. અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને ગેરંટી પણ આપી છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ તરત જ જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી