લાંચ લેવામાં ડિજિટલ થયા કર્મચારીઓ , ACBનું કામ થશે સરળ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-22 19:57:33

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાાકેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર. હવે તલાટી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યા છે. ઉપરથી નીચે આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારથી ખદબદવા માંડે ત્યારે એમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો નાગરીકોની જાગૃતિ છે. 


ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો એ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો જાગૃત થઈને ફરીયાદ કરે તો ભ્રષ્ટાચારીઓને તરત ઝડપી લેવાય. જૂનાગઢના ભેંસાણના પરબ વાવડીમાં એસીબીને ફરીયાદ મળી કે આંતરજાતિય લગ્નનો લાભ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની સરકારી સહાય મળે એ માટે ફરીયાદીને લગ્નના પ્રમાણપત્રની જરૂર હતી, એ પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી જયદીપ જનકભાઈ ચાવડાએ ૧૫૦૦રૂપિયાની લાંચ માંગી અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું કહ્યું.

એસીબીએ કેવી રીતે પકડ્યો આરોપી?

ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જેમાં ખબર પડી કે ક્યુ આર કોડ મોકલીને પેમેન્ટ કરવા માટે કહ્યું હતુ, એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં ફરીયાદી અને આરોપી વચ્ચે લેતીદેતીની વાત થઈ, જે વ્યહવાર થયો એ તો પારદર્શી રીતે ઓનલાઈન થયો હતો. લાંચની માંગ અને વ્યહવાર સિદ્ધ થતા આરોપીને પકડી લેવામાં આવ્યો


આ લાંચ કેસમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી , પી.આઈ, એસીબી અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, ઈ.ચા.મદદનીશ નિયામક, રાજકોટએ સમગ્ર કામગીરી કરી હતી. સરળ એ હતુ કે લાંચ લેવામાં તલાટીએ પ્રક્રીયા એકદમ પારદર્શી રાખી, ક્યુઆર મોકલીને કહ્યું કે આમાં નાખી દો.. પણ આ ક્યુઆર મોકલ્યું છે અને લાંચના હેતુથી જ થયેલો વ્યહવાર છે એ સુનિશ્ચિત કર્યા પછી છટકું ગોઠવવામાં આવ્યું. લાંચ ભલે ૧૫૦૦ રૂપિયાની હોય પણ ડિજીટલ ભારતમાં યુપીઆઈથી લાંચનો પહેલો કિસ્સો ગુજરાત એસીબીએ નોંધ્યો હોવાથી ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.