લાંચ લેવામાં ડિજિટલ થયા કર્મચારીઓ , ACBનું કામ થશે સરળ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-22 19:57:33

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાાકેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર. હવે તલાટી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યા છે. ઉપરથી નીચે આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારથી ખદબદવા માંડે ત્યારે એમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો નાગરીકોની જાગૃતિ છે. 


ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો એ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો જાગૃત થઈને ફરીયાદ કરે તો ભ્રષ્ટાચારીઓને તરત ઝડપી લેવાય. જૂનાગઢના ભેંસાણના પરબ વાવડીમાં એસીબીને ફરીયાદ મળી કે આંતરજાતિય લગ્નનો લાભ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની સરકારી સહાય મળે એ માટે ફરીયાદીને લગ્નના પ્રમાણપત્રની જરૂર હતી, એ પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી જયદીપ જનકભાઈ ચાવડાએ ૧૫૦૦રૂપિયાની લાંચ માંગી અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું કહ્યું.

એસીબીએ કેવી રીતે પકડ્યો આરોપી?

ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જેમાં ખબર પડી કે ક્યુ આર કોડ મોકલીને પેમેન્ટ કરવા માટે કહ્યું હતુ, એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં ફરીયાદી અને આરોપી વચ્ચે લેતીદેતીની વાત થઈ, જે વ્યહવાર થયો એ તો પારદર્શી રીતે ઓનલાઈન થયો હતો. લાંચની માંગ અને વ્યહવાર સિદ્ધ થતા આરોપીને પકડી લેવામાં આવ્યો


આ લાંચ કેસમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી , પી.આઈ, એસીબી અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, ઈ.ચા.મદદનીશ નિયામક, રાજકોટએ સમગ્ર કામગીરી કરી હતી. સરળ એ હતુ કે લાંચ લેવામાં તલાટીએ પ્રક્રીયા એકદમ પારદર્શી રાખી, ક્યુઆર મોકલીને કહ્યું કે આમાં નાખી દો.. પણ આ ક્યુઆર મોકલ્યું છે અને લાંચના હેતુથી જ થયેલો વ્યહવાર છે એ સુનિશ્ચિત કર્યા પછી છટકું ગોઠવવામાં આવ્યું. લાંચ ભલે ૧૫૦૦ રૂપિયાની હોય પણ ડિજીટલ ભારતમાં યુપીઆઈથી લાંચનો પહેલો કિસ્સો ગુજરાત એસીબીએ નોંધ્યો હોવાથી ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.



ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."