લાંચ લેવામાં ડિજિટલ થયા કર્મચારીઓ , ACBનું કામ થશે સરળ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-22 19:57:33

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાાકેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર. હવે તલાટી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યા છે. ઉપરથી નીચે આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારથી ખદબદવા માંડે ત્યારે એમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો નાગરીકોની જાગૃતિ છે. 


ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો એ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો જાગૃત થઈને ફરીયાદ કરે તો ભ્રષ્ટાચારીઓને તરત ઝડપી લેવાય. જૂનાગઢના ભેંસાણના પરબ વાવડીમાં એસીબીને ફરીયાદ મળી કે આંતરજાતિય લગ્નનો લાભ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની સરકારી સહાય મળે એ માટે ફરીયાદીને લગ્નના પ્રમાણપત્રની જરૂર હતી, એ પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી જયદીપ જનકભાઈ ચાવડાએ ૧૫૦૦રૂપિયાની લાંચ માંગી અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું કહ્યું.

એસીબીએ કેવી રીતે પકડ્યો આરોપી?

ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જેમાં ખબર પડી કે ક્યુ આર કોડ મોકલીને પેમેન્ટ કરવા માટે કહ્યું હતુ, એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં ફરીયાદી અને આરોપી વચ્ચે લેતીદેતીની વાત થઈ, જે વ્યહવાર થયો એ તો પારદર્શી રીતે ઓનલાઈન થયો હતો. લાંચની માંગ અને વ્યહવાર સિદ્ધ થતા આરોપીને પકડી લેવામાં આવ્યો


આ લાંચ કેસમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી , પી.આઈ, એસીબી અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, ઈ.ચા.મદદનીશ નિયામક, રાજકોટએ સમગ્ર કામગીરી કરી હતી. સરળ એ હતુ કે લાંચ લેવામાં તલાટીએ પ્રક્રીયા એકદમ પારદર્શી રાખી, ક્યુઆર મોકલીને કહ્યું કે આમાં નાખી દો.. પણ આ ક્યુઆર મોકલ્યું છે અને લાંચના હેતુથી જ થયેલો વ્યહવાર છે એ સુનિશ્ચિત કર્યા પછી છટકું ગોઠવવામાં આવ્યું. લાંચ ભલે ૧૫૦૦ રૂપિયાની હોય પણ ડિજીટલ ભારતમાં યુપીઆઈથી લાંચનો પહેલો કિસ્સો ગુજરાત એસીબીએ નોંધ્યો હોવાથી ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.



ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.