લાંચ લેવામાં ડિજિટલ થયા કર્મચારીઓ , ACBનું કામ થશે સરળ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-22 19:57:33

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાાકેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર. હવે તલાટી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યા છે. ઉપરથી નીચે આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારથી ખદબદવા માંડે ત્યારે એમાંથી બહાર આવવાનો એક માત્ર રસ્તો નાગરીકોની જાગૃતિ છે. 


ગુજરાતમાં એન્ટી કરપ્શન બ્યુરો એ વાત સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરે છે કે લોકો જાગૃત થઈને ફરીયાદ કરે તો ભ્રષ્ટાચારીઓને તરત ઝડપી લેવાય. જૂનાગઢના ભેંસાણના પરબ વાવડીમાં એસીબીને ફરીયાદ મળી કે આંતરજાતિય લગ્નનો લાભ મેળવવા માટે અઢી લાખ રૂપિયાની સરકારી સહાય મળે એ માટે ફરીયાદીને લગ્નના પ્રમાણપત્રની જરૂર હતી, એ પ્રમાણપત્ર કાઢી આપવા માટે તલાટી જયદીપ જનકભાઈ ચાવડાએ ૧૫૦૦રૂપિયાની લાંચ માંગી અને યુપીઆઈથી પેમેન્ટ કરવાનું કહ્યું.

એસીબીએ કેવી રીતે પકડ્યો આરોપી?

ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો, જેમાં ખબર પડી કે ક્યુ આર કોડ મોકલીને પેમેન્ટ કરવા માટે કહ્યું હતુ, એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં ફરીયાદી અને આરોપી વચ્ચે લેતીદેતીની વાત થઈ, જે વ્યહવાર થયો એ તો પારદર્શી રીતે ઓનલાઈન થયો હતો. લાંચની માંગ અને વ્યહવાર સિદ્ધ થતા આરોપીને પકડી લેવામાં આવ્યો


આ લાંચ કેસમાં ટ્રેપીંગ અધિકારી આર.આર.સોલંકી , પી.આઈ, એસીબી અને સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહીલ, ઈ.ચા.મદદનીશ નિયામક, રાજકોટએ સમગ્ર કામગીરી કરી હતી. સરળ એ હતુ કે લાંચ લેવામાં તલાટીએ પ્રક્રીયા એકદમ પારદર્શી રાખી, ક્યુઆર મોકલીને કહ્યું કે આમાં નાખી દો.. પણ આ ક્યુઆર મોકલ્યું છે અને લાંચના હેતુથી જ થયેલો વ્યહવાર છે એ સુનિશ્ચિત કર્યા પછી છટકું ગોઠવવામાં આવ્યું. લાંચ ભલે ૧૫૦૦ રૂપિયાની હોય પણ ડિજીટલ ભારતમાં યુપીઆઈથી લાંચનો પહેલો કિસ્સો ગુજરાત એસીબીએ નોંધ્યો હોવાથી ચારેય બાજુ ચર્ચાનો વિષય બન્યો છે.



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.