ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો વાઈરલ થવાની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 21:59:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભયંકર ટક્કર સોશિયલ મીડિયા પર જોવા મળી છે. નેતાઓના નિવેદનોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે. ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનો શોધવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનની ટ્વીટ શેર કરી ગોપાલના ભૂતકાળના નિવેદનથી તેમને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા પર કરી ટ્વીટ

યજ્ઞેશ દવેએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઈટાલિયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુસંસ્કાર દેખાય છે આ વીડિયોમાં"


વીડિયોમાં શું બોલી રહ્યા છે ગોપાલ ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયા આ વીડિયોમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી બોલતા દેખાય છે કે, ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નૌટંકી કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ તો ડિજિટલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પણ વોટ આપવા માટે હું દિલ્લીથી દોડ્યા આવે છે." આ વીડિયોની અંદર અપશબ્દ માટે શોર્ટમાં વાક્ય બોલવામાં આવી રહ્યો છે. 


ગોપાલ ઈટાલિયાના વિવાદિત ઈતિહાસ વિશે ભાજપ મોટી ગેમ રમી શકે છે. કોલ રેકોર્ડિંગ આપ પણ પહેલા વાઈરલ થઈ ચૂક્યા છે અને તે તમામ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કથાકાર સાથે વાત કરતા હોય, કર્મકાંડ પર વાત કરી રહ્યા હોય, જાતપાત, ભગવાન જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લે આમ વાત કરતા જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂના રેકોર્ડિંગને ભાજપ હિરોશીમા-નાગાસાકી પર ફેંકેલા બોમ્બની જેમ વાપરશે તેવું આ ટ્વીટ પરથી દેખાઈ રહ્યું છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.