ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો વાઈરલ થવાની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 21:59:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભયંકર ટક્કર સોશિયલ મીડિયા પર જોવા મળી છે. નેતાઓના નિવેદનોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે. ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનો શોધવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનની ટ્વીટ શેર કરી ગોપાલના ભૂતકાળના નિવેદનથી તેમને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા પર કરી ટ્વીટ

યજ્ઞેશ દવેએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઈટાલિયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુસંસ્કાર દેખાય છે આ વીડિયોમાં"


વીડિયોમાં શું બોલી રહ્યા છે ગોપાલ ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયા આ વીડિયોમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી બોલતા દેખાય છે કે, ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નૌટંકી કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ તો ડિજિટલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પણ વોટ આપવા માટે હું દિલ્લીથી દોડ્યા આવે છે." આ વીડિયોની અંદર અપશબ્દ માટે શોર્ટમાં વાક્ય બોલવામાં આવી રહ્યો છે. 


ગોપાલ ઈટાલિયાના વિવાદિત ઈતિહાસ વિશે ભાજપ મોટી ગેમ રમી શકે છે. કોલ રેકોર્ડિંગ આપ પણ પહેલા વાઈરલ થઈ ચૂક્યા છે અને તે તમામ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કથાકાર સાથે વાત કરતા હોય, કર્મકાંડ પર વાત કરી રહ્યા હોય, જાતપાત, ભગવાન જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લે આમ વાત કરતા જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂના રેકોર્ડિંગને ભાજપ હિરોશીમા-નાગાસાકી પર ફેંકેલા બોમ્બની જેમ વાપરશે તેવું આ ટ્વીટ પરથી દેખાઈ રહ્યું છે. 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે