ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો વાઈરલ થવાની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 21:59:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભયંકર ટક્કર સોશિયલ મીડિયા પર જોવા મળી છે. નેતાઓના નિવેદનોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે. ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનો શોધવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનની ટ્વીટ શેર કરી ગોપાલના ભૂતકાળના નિવેદનથી તેમને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા પર કરી ટ્વીટ

યજ્ઞેશ દવેએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઈટાલિયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુસંસ્કાર દેખાય છે આ વીડિયોમાં"


વીડિયોમાં શું બોલી રહ્યા છે ગોપાલ ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયા આ વીડિયોમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી બોલતા દેખાય છે કે, ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નૌટંકી કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ તો ડિજિટલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પણ વોટ આપવા માટે હું દિલ્લીથી દોડ્યા આવે છે." આ વીડિયોની અંદર અપશબ્દ માટે શોર્ટમાં વાક્ય બોલવામાં આવી રહ્યો છે. 


ગોપાલ ઈટાલિયાના વિવાદિત ઈતિહાસ વિશે ભાજપ મોટી ગેમ રમી શકે છે. કોલ રેકોર્ડિંગ આપ પણ પહેલા વાઈરલ થઈ ચૂક્યા છે અને તે તમામ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કથાકાર સાથે વાત કરતા હોય, કર્મકાંડ પર વાત કરી રહ્યા હોય, જાતપાત, ભગવાન જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લે આમ વાત કરતા જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂના રેકોર્ડિંગને ભાજપ હિરોશીમા-નાગાસાકી પર ફેંકેલા બોમ્બની જેમ વાપરશે તેવું આ ટ્વીટ પરથી દેખાઈ રહ્યું છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે