ગોપાલ ઇટાલિયાના જૂના વિડિયો વાઈરલ થવાની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 21:59:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ભયંકર ટક્કર સોશિયલ મીડિયા પર જોવા મળી છે. નેતાઓના નિવેદનોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે. ગોપાલ ઈટાલિયાના જૂના વિવાદિત નિવેદનો શોધવાના શરૂ થઈ ગયા છે. ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયાના વિવાદિત નિવેદનની ટ્વીટ શેર કરી ગોપાલના ભૂતકાળના નિવેદનથી તેમને ઘેરવાની શરૂઆત કરી દીધી છે. 


યજ્ઞેશ દવેએ ગોપાલ ઈટાલિયા પર કરી ટ્વીટ

યજ્ઞેશ દવેએ ટ્વીટમાં લખ્યું છે કે, "ભારતના વડાપ્રધાન માટે નિમ્ન કક્ષાના શબ્દો વાપરનાર ગોપાલ ઈટાલિયા કેટલી ખરાબ માનસિકતા ધરાવે છે આમ આદમી પાર્ટીના કુસંસ્કાર દેખાય છે આ વીડિયોમાં"


વીડિયોમાં શું બોલી રહ્યા છે ગોપાલ ઈટાલિયા 

ગોપાલ ઈટાલિયા આ વીડિયોમાં નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરી બોલતા દેખાય છે કે, ચૂંટણી ચાલી રહી છે ત્યારે શું દેશના કોઈ પણ પ્રધાનમંત્રીએ આ પ્રકારની નૌટંકી કરી છે? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આમ તો ડિજિટલ ઈન્ડિયાની વાત કરી રહ્યા છે પણ વોટ આપવા માટે હું દિલ્લીથી દોડ્યા આવે છે." આ વીડિયોની અંદર અપશબ્દ માટે શોર્ટમાં વાક્ય બોલવામાં આવી રહ્યો છે. 


ગોપાલ ઈટાલિયાના વિવાદિત ઈતિહાસ વિશે ભાજપ મોટી ગેમ રમી શકે છે. કોલ રેકોર્ડિંગ આપ પણ પહેલા વાઈરલ થઈ ચૂક્યા છે અને તે તમામ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. કથાકાર સાથે વાત કરતા હોય, કર્મકાંડ પર વાત કરી રહ્યા હોય, જાતપાત, ભગવાન જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લે આમ વાત કરતા જોવા મળ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમના જૂના રેકોર્ડિંગને ભાજપ હિરોશીમા-નાગાસાકી પર ફેંકેલા બોમ્બની જેમ વાપરશે તેવું આ ટ્વીટ પરથી દેખાઈ રહ્યું છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"