પોલીસ કેદમાંથી છુટ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 20:48:03


ગોપાલ ઇટાલિયાને નવી દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને આજે 3 કલાક લાંબી પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.


 છૂટયા બાદ ગોપાલ ઇટાલિયાએ શું ક્હ્યું?     

                                             

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાએ ધરપકડ બાદ કહ્યું કે મને કોઈ જ નોટિસ હજુ સુધી મને મળી નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી મને નોટિસની ખબર પડી તેમ છતાં કાયદામાં માનનાર અમે હાજર થયા હતા.  મહિલા આયોગ સામે મારી વાત રાખવા માટે હું આવ્યો હતો.  ત્યાં પહોંચ્યા અને મારી સાથેના મારા વકીલને રોકવામાં આવ્યા.  મને રોકીને કહેવામાં આવ્યું તમારે એકલાએ જ આવવું પડશે. આમ વકીલને સાથે લઈ જવા દેવામાં આવ્યા ન હતા. વધુમાં તેમણે કહ્યું " મને ખુબ ધમકાવાયો, ડરાવાયો. તુ શું સમજે છે. તને પોલીસ સ્ટેશને મોકલી દઇશ ત્યાર બાદ પોલીસને કમિશને બોલાવી લીધા શું વાત થઈ તેમની વચ્ચે એ મને તો કઈ જ ખબર નથી આ દરમિયાન કોઈ છોકરી સતત મારો વીડિયો લઈ રહી હતી. જેમને પૂછતાં કહ્યું કે ઓફિશિયલ છે તો કહે હા..મારે આની એક કોપી જોઈએ છે.  પછી બધા લોકો મળીને મને ધમકાવવા લાગ્યા. જે મામલે મને લઈ જવામાં આવ્યો હતો રે મામલે કઈ કહેવામાં આવ્યું ન હતું. આ સમગ્ર ઘટનામાં નોટિસને લઈને મહિલા આયોગને કોઈ રસ નહતો. તેમનો રસ ફક્ત મને ધમકાવવા અને ગાળો આપવામાં હતો.

મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી    


આ ચૂંટણીમાં પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધમાં ઉભો થયો છો. ભાજપ પાટીદારોથી ખુબ નફરત કરે છે. પાટીદાર યુવાઓનો પર ભાજપે ગોળીઓ ચલાવી જે બચી ગયા તેવા હજારો યુવાનોને જેલમાં ભરીને કરિયર ખરાબ કર્યું. પણ પછી ભાજપને લાગ્યું કે આ પાટીદાર યુવાન ઈટાલિયા કેમ બચી ગયો.પાટીદાર સમાજથી ભાજપ નફરત કરી રહ્યાં છે એટલી હદે કે ગુજરાતથી મને ઉપાડી અને ઓખલા મોકલી દીધો. પૂરી ભાજપ મારી પાછળ પડી છે. હું શું છું. સામાન્ય યુવાન છું. ભાજપની માનસીકતાનું પ્રદર્શન થઈ રહ્યું છે. તે પાટીદારને નફરત કરે છે. મારુ નામ ગોપાલ છે, હું કંસની ઓલાદથી ડરતો નથી."


ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે