ગોરધન ઝડફિયાનો વીડિયો વાયરલ, નરેન્દ્ર મોદીને કરોડોના ભ્રષ્ટાચારને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:29:09

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા સામે વીડિયો વોર ચલાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની સભાનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરી ભાજપને ભરાવી તો આપના ગોપાલ ઇટાલિયા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ જૂનો વીડિયો વાયરલ કરી વિવાદ ઉભો કરનાર ભાજપ હવે ખુદ એક જૂના વીડિયોમાં ભરાઈ છે. ગોરધન ઝડફિયાના આ જુના વીડિયો અંગે ભાજપ હવે શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું છે.


ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ

 

ભાજપના કદાવર નેતા અને કમલમમાં બેસી સંગઠનમાં કામગીરી કરતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપને 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. એટલું જ નહીં ગોરધન ઝડફિયા તેમના આરોપના સમર્થનમાં તેમની પાસે 1200 પાનાના દસ્તાવેજો હોવાની હામી ભરી રહ્યાં છે. આ જ નેતા આજે ભાજપમાં બેસી મોદી અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે.  ગોરધન ઝડફિયાનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે ભાજપ કે નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ખુલ્લેઆમ ચર્ચા કરવા આવે. તેમની પાસે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના 1200 પાનાનો દસ્તાવેજ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.