ગોરધન ઝડફિયાનો વીડિયો વાયરલ, નરેન્દ્ર મોદીને કરોડોના ભ્રષ્ટાચારને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:29:09

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા સામે વીડિયો વોર ચલાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની સભાનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરી ભાજપને ભરાવી તો આપના ગોપાલ ઇટાલિયા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ જૂનો વીડિયો વાયરલ કરી વિવાદ ઉભો કરનાર ભાજપ હવે ખુદ એક જૂના વીડિયોમાં ભરાઈ છે. ગોરધન ઝડફિયાના આ જુના વીડિયો અંગે ભાજપ હવે શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું છે.


ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ

 

ભાજપના કદાવર નેતા અને કમલમમાં બેસી સંગઠનમાં કામગીરી કરતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપને 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. એટલું જ નહીં ગોરધન ઝડફિયા તેમના આરોપના સમર્થનમાં તેમની પાસે 1200 પાનાના દસ્તાવેજો હોવાની હામી ભરી રહ્યાં છે. આ જ નેતા આજે ભાજપમાં બેસી મોદી અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે.  ગોરધન ઝડફિયાનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે ભાજપ કે નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ખુલ્લેઆમ ચર્ચા કરવા આવે. તેમની પાસે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના 1200 પાનાનો દસ્તાવેજ છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"