ગોરધન ઝડફિયાનો વીડિયો વાયરલ, નરેન્દ્ર મોદીને કરોડોના ભ્રષ્ટાચારને સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 16:29:09

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના તમામ રાજકીય પક્ષો એકબીજા સામે વીડિયો વોર ચલાવી રહ્યા છે. કોંગ્રેસે મોદીની સભાનો ખાલી ખુરશીઓનો વીડિયો વાયરલ કરી ભાજપને ભરાવી તો આપના ગોપાલ ઇટાલિયા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિદ કેજરીવાલ જૂનો વીડિયો વાયરલ કરી વિવાદ ઉભો કરનાર ભાજપ હવે ખુદ એક જૂના વીડિયોમાં ભરાઈ છે. ગોરધન ઝડફિયાના આ જુના વીડિયો અંગે ભાજપ હવે શું સ્પષ્ટતા કરે છે તે જોવાનું છે.


ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ

 

ભાજપના કદાવર નેતા અને કમલમમાં બેસી સંગઠનમાં કામગીરી કરતા પૂર્વ મંત્રી ગોરધન ઝડફિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપને 1 લાખ કરોડના ભ્રષ્ટાચારને સાબિત કરવાની ખુલ્લી ચેલેન્જ આપી રહ્યાં છે. એટલું જ નહીં ગોરધન ઝડફિયા તેમના આરોપના સમર્થનમાં તેમની પાસે 1200 પાનાના દસ્તાવેજો હોવાની હામી ભરી રહ્યાં છે. આ જ નેતા આજે ભાજપમાં બેસી મોદી અને ભાજપના ગુણગાન ગાઈ રહ્યાં છે.  ગોરધન ઝડફિયાનો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં તેઓ જાહેરમાં બોલી રહ્યા છે કે ભાજપ કે નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો ખુલ્લેઆમ ચર્ચા કરવા આવે. તેમની પાસે 1 લાખ કરોડના ભ્રષ્ટાચારના 1200 પાનાનો દસ્તાવેજ છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .