ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને પરમિટ અંગે નવા નિયમો જાહેર, સરકારે ગાઈડલાઈન્સની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-31 13:02:35

ગુજરાત સરકારે ગિફ્ટ સીટીમાં દારૂ પીવા અંગે છૂટછાટ જાહેર કર્યા બાદ હવે દારૂના પરમિટ અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. ગુજરાતના સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા હતા. ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પીવા અને વેચી શકાય તે માટે શું છે નવી શરતો અને નિયમો તે અંગે આવો જાણીએ. 


શું છે નવા નિયમો?


લાયસન્સ ધરાવતી હોટેલો , રેસ્ટોરન્ટ કે ક્લબમાં આવેલા ગ્રાહકે ખરીદેલો દારૂ બોટલમાં બાકી રહે તો તે બીજા ગ્રાહકને વેચી શકાશે નહિ , પણ હોટેલે જ તેનો નાશ કરવો પડશે . બીજું કે , ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસોના અધિકારીઓ-કર્મચારીઓ કે માલિકોને બે વર્ષની દારૂ પીવાની પરમીટ આપવામાં આવશે .જેની વાર્ષિક ફી રૂ. 1000 ભરવી પડશે,વળી આ પરમીટને દર બે વર્ષે રિન્યૂ કરાવવી પડશે . હવે આખા ગુજરાતના લોકોને એક મહત્વનો પ્રશ્ન કેટલાય દિવસોથી સતાવી રહ્યો છે કે ગિફ્ટ સિટીમાં જનાર મુલાકાતીઓનું શું ? તો મુલાકાતીઓ માટે સારા સમાચાર એ છે કે , મુલાકાતીઓને જે પરમિટ અપાશે તેની ફી એટલે જે કોઈ રૂપિયા નહીં ભરવા પડે , પરંતુ મુલાકાતીઓની પરમિટ  હંગામી એટલેકે , એક દિવસની રહેશે , અને આ પરમિટ ગિફ્ટ સિટીની ઑથોરિટી પાસેથી લેવાની રહેશે. અહીં સૌથી મહત્વનો પ્રશ્નએ છે કે , જો મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાંથી પી ને ગિફ્ટ સિટીની બહાર પોલીસ દ્વારા પકડાય તો, પોલીસને પોતાની હંગામી પરમિટ અને ગિફ્ટ સિટીની હોટેલમાંથી પીધેલા દારૂનું બિલ બતાવી મુક્તિ મેળવી શકે છે . 


રેસ્ટોરન્ટ અને બાર માટેનું લાયસન્સ


હવે જો વાત કરીએ, રેસ્ટોરન્ટ અને બારનું સાયસન્સ મેળવવા અંગેની તો આની સમય મર્યાદા 1થી લઈને 5 વર્ષ માટેની રહેશે. ઉપરાંત અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે રૂ 2 લાખ પરમિટ ફી તરીકે વાર્ષિક અને રૂ 1 લાખ નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરવાના રહેશે. આ લાઇસન્સની ખાસિયત એ છે કે , અન્ય કોઈ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર નહીં થઈ શકે. એક વાતની ખાસ નોંધ લેવાની રહી કે, આ લાઇસન્સ ધારક નિયમભંગ કરે તો, લાઇસન્સ રદ થશે અને તેની પાસેનો દારૂનો જથ્થો ત્વરિત નશાબંધી અને આબકારી ઈન્સ્પેક્ટરને જમા કરાવવાનો રહેશે અને તેનું વેચાણ નહીં કરી શકાય . 


ગિફ્ટ સિટીના અધિકારીની શું સત્તા રહેશે?

 

ગિફ્ટ સિટીના MD એટલે કે મૅનેજિંગ ડિરેક્ટર પરમિટ ઈસ્યુ કરનારા અધિકારીની નિયુક્તિ કરશે અને તેની જાણ નશાબંધી ખાતાને કરશે, આ જ અધિકારી ગિફ્ટ સિટીની કંપની અને કચેરીઓમાં કામ કરતા કોઈ એક્ઝીક્યટિવને ભલામણ અધિકારી તરીકે નીમશે. તેમણે ટેમ્પોરરી પરમિટની નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે, જો લાઇસન્સધારક હોટેલ કે પરમીટ ધારક નિયમોનો ભંગ કરે તો , તેની જાણ સરકારના નશાબંધી અને આબકારી વિભાગને કરશે, આ ઉપરાંત કંપનીના અધિકારી દારૂની પરમીટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરશે તો તેની જાણ ત્વરિત સરકારને કરવી પડશે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે