ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને પરમિટ અંગે નવા નિયમો જાહેર, સરકારે ગાઈડલાઈન્સની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-31 13:02:35

ગુજરાત સરકારે ગિફ્ટ સીટીમાં દારૂ પીવા અંગે છૂટછાટ જાહેર કર્યા બાદ હવે દારૂના પરમિટ અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. ગુજરાતના સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા હતા. ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પીવા અને વેચી શકાય તે માટે શું છે નવી શરતો અને નિયમો તે અંગે આવો જાણીએ. 


શું છે નવા નિયમો?


લાયસન્સ ધરાવતી હોટેલો , રેસ્ટોરન્ટ કે ક્લબમાં આવેલા ગ્રાહકે ખરીદેલો દારૂ બોટલમાં બાકી રહે તો તે બીજા ગ્રાહકને વેચી શકાશે નહિ , પણ હોટેલે જ તેનો નાશ કરવો પડશે . બીજું કે , ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસોના અધિકારીઓ-કર્મચારીઓ કે માલિકોને બે વર્ષની દારૂ પીવાની પરમીટ આપવામાં આવશે .જેની વાર્ષિક ફી રૂ. 1000 ભરવી પડશે,વળી આ પરમીટને દર બે વર્ષે રિન્યૂ કરાવવી પડશે . હવે આખા ગુજરાતના લોકોને એક મહત્વનો પ્રશ્ન કેટલાય દિવસોથી સતાવી રહ્યો છે કે ગિફ્ટ સિટીમાં જનાર મુલાકાતીઓનું શું ? તો મુલાકાતીઓ માટે સારા સમાચાર એ છે કે , મુલાકાતીઓને જે પરમિટ અપાશે તેની ફી એટલે જે કોઈ રૂપિયા નહીં ભરવા પડે , પરંતુ મુલાકાતીઓની પરમિટ  હંગામી એટલેકે , એક દિવસની રહેશે , અને આ પરમિટ ગિફ્ટ સિટીની ઑથોરિટી પાસેથી લેવાની રહેશે. અહીં સૌથી મહત્વનો પ્રશ્નએ છે કે , જો મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાંથી પી ને ગિફ્ટ સિટીની બહાર પોલીસ દ્વારા પકડાય તો, પોલીસને પોતાની હંગામી પરમિટ અને ગિફ્ટ સિટીની હોટેલમાંથી પીધેલા દારૂનું બિલ બતાવી મુક્તિ મેળવી શકે છે . 


રેસ્ટોરન્ટ અને બાર માટેનું લાયસન્સ


હવે જો વાત કરીએ, રેસ્ટોરન્ટ અને બારનું સાયસન્સ મેળવવા અંગેની તો આની સમય મર્યાદા 1થી લઈને 5 વર્ષ માટેની રહેશે. ઉપરાંત અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે રૂ 2 લાખ પરમિટ ફી તરીકે વાર્ષિક અને રૂ 1 લાખ નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરવાના રહેશે. આ લાઇસન્સની ખાસિયત એ છે કે , અન્ય કોઈ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર નહીં થઈ શકે. એક વાતની ખાસ નોંધ લેવાની રહી કે, આ લાઇસન્સ ધારક નિયમભંગ કરે તો, લાઇસન્સ રદ થશે અને તેની પાસેનો દારૂનો જથ્થો ત્વરિત નશાબંધી અને આબકારી ઈન્સ્પેક્ટરને જમા કરાવવાનો રહેશે અને તેનું વેચાણ નહીં કરી શકાય . 


ગિફ્ટ સિટીના અધિકારીની શું સત્તા રહેશે?

 

ગિફ્ટ સિટીના MD એટલે કે મૅનેજિંગ ડિરેક્ટર પરમિટ ઈસ્યુ કરનારા અધિકારીની નિયુક્તિ કરશે અને તેની જાણ નશાબંધી ખાતાને કરશે, આ જ અધિકારી ગિફ્ટ સિટીની કંપની અને કચેરીઓમાં કામ કરતા કોઈ એક્ઝીક્યટિવને ભલામણ અધિકારી તરીકે નીમશે. તેમણે ટેમ્પોરરી પરમિટની નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે, જો લાઇસન્સધારક હોટેલ કે પરમીટ ધારક નિયમોનો ભંગ કરે તો , તેની જાણ સરકારના નશાબંધી અને આબકારી વિભાગને કરશે, આ ઉપરાંત કંપનીના અધિકારી દારૂની પરમીટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરશે તો તેની જાણ ત્વરિત સરકારને કરવી પડશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.