ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને પરમિટ અંગે નવા નિયમો જાહેર, સરકારે ગાઈડલાઈન્સની કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-31 13:02:35

ગુજરાત સરકારે ગિફ્ટ સીટીમાં દારૂ પીવા અંગે છૂટછાટ જાહેર કર્યા બાદ હવે દારૂના પરમિટ અંગે ગાઈડલાઈન બહાર પાડી છે. ગુજરાતના સરકારના ગૃહ વિભાગે ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને દારૂ વેચવા માટે ઇચ્છુક હોટલ, ક્લબ અથવા રેસ્ટોરન્ટ માટે શનિવારે (30 ડિસેમ્બર) ના રોજ નિયમો જાહેર કર્યા હતા. ગિફ્ટ સિટીમાં લોકો દારૂ પીવા અને વેચી શકાય તે માટે શું છે નવી શરતો અને નિયમો તે અંગે આવો જાણીએ. 


શું છે નવા નિયમો?


લાયસન્સ ધરાવતી હોટેલો , રેસ્ટોરન્ટ કે ક્લબમાં આવેલા ગ્રાહકે ખરીદેલો દારૂ બોટલમાં બાકી રહે તો તે બીજા ગ્રાહકને વેચી શકાશે નહિ , પણ હોટેલે જ તેનો નાશ કરવો પડશે . બીજું કે , ગિફ્ટ સિટીમાં આવેલી ઓફિસોના અધિકારીઓ-કર્મચારીઓ કે માલિકોને બે વર્ષની દારૂ પીવાની પરમીટ આપવામાં આવશે .જેની વાર્ષિક ફી રૂ. 1000 ભરવી પડશે,વળી આ પરમીટને દર બે વર્ષે રિન્યૂ કરાવવી પડશે . હવે આખા ગુજરાતના લોકોને એક મહત્વનો પ્રશ્ન કેટલાય દિવસોથી સતાવી રહ્યો છે કે ગિફ્ટ સિટીમાં જનાર મુલાકાતીઓનું શું ? તો મુલાકાતીઓ માટે સારા સમાચાર એ છે કે , મુલાકાતીઓને જે પરમિટ અપાશે તેની ફી એટલે જે કોઈ રૂપિયા નહીં ભરવા પડે , પરંતુ મુલાકાતીઓની પરમિટ  હંગામી એટલેકે , એક દિવસની રહેશે , અને આ પરમિટ ગિફ્ટ સિટીની ઑથોરિટી પાસેથી લેવાની રહેશે. અહીં સૌથી મહત્વનો પ્રશ્નએ છે કે , જો મુલાકાતીઓ ગિફ્ટ સિટીમાંથી પી ને ગિફ્ટ સિટીની બહાર પોલીસ દ્વારા પકડાય તો, પોલીસને પોતાની હંગામી પરમિટ અને ગિફ્ટ સિટીની હોટેલમાંથી પીધેલા દારૂનું બિલ બતાવી મુક્તિ મેળવી શકે છે . 


રેસ્ટોરન્ટ અને બાર માટેનું લાયસન્સ


હવે જો વાત કરીએ, રેસ્ટોરન્ટ અને બારનું સાયસન્સ મેળવવા અંગેની તો આની સમય મર્યાદા 1થી લઈને 5 વર્ષ માટેની રહેશે. ઉપરાંત અરજી કરતી વખતે ગેરંટી તરીકે તેમણે રૂ 2 લાખ પરમિટ ફી તરીકે વાર્ષિક અને રૂ 1 લાખ નશાબંધી અને આબકારી વિભાગમાં જમા કરવાના રહેશે. આ લાઇસન્સની ખાસિયત એ છે કે , અન્ય કોઈ વ્યક્તિને વારસામાં કે વેચાણ થકી ટ્રાન્સફર નહીં થઈ શકે. એક વાતની ખાસ નોંધ લેવાની રહી કે, આ લાઇસન્સ ધારક નિયમભંગ કરે તો, લાઇસન્સ રદ થશે અને તેની પાસેનો દારૂનો જથ્થો ત્વરિત નશાબંધી અને આબકારી ઈન્સ્પેક્ટરને જમા કરાવવાનો રહેશે અને તેનું વેચાણ નહીં કરી શકાય . 


ગિફ્ટ સિટીના અધિકારીની શું સત્તા રહેશે?

 

ગિફ્ટ સિટીના MD એટલે કે મૅનેજિંગ ડિરેક્ટર પરમિટ ઈસ્યુ કરનારા અધિકારીની નિયુક્તિ કરશે અને તેની જાણ નશાબંધી ખાતાને કરશે, આ જ અધિકારી ગિફ્ટ સિટીની કંપની અને કચેરીઓમાં કામ કરતા કોઈ એક્ઝીક્યટિવને ભલામણ અધિકારી તરીકે નીમશે. તેમણે ટેમ્પોરરી પરમિટની નિયમિત ચકાસણી કરતા રહેવું પડશે, જો લાઇસન્સધારક હોટેલ કે પરમીટ ધારક નિયમોનો ભંગ કરે તો , તેની જાણ સરકારના નશાબંધી અને આબકારી વિભાગને કરશે, આ ઉપરાંત કંપનીના અધિકારી દારૂની પરમીટ માટેની ભલામણ કરવામાં ગેરરીતિ કરશે તો તેની જાણ ત્વરિત સરકારને કરવી પડશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.