અશ્લીલ વીડિયો બતાવતી 18 ઓટીટી, 19 સાઇટ્સ-10 એપ્સ સરકારે કર્યા બ્લોક, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 17:40:00

કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ સામે ફરી એકવાર આક્રમક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટ, 10 એપ અને 57 ઓટીટી સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મને અનેક વખત ચેતવણી આપી હતી. આમ છતાં, તેઓ દ્વારા આઈટી એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું હતું. એટલે કેન્દ્ર સરકારે આ બધા પ્લેટફોર્મ સામે આંખ દેખાડી છે. 

કયા કયા ઓટિટી પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ? 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી છે જેમાં લખ્યું છે કે  ‘આ ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરાઈ રહ્યું હતું. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવાઈ છે.’ એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી આપી હતી. પણ એ લોકોએ કઈ એક્શન ન લેતા કેન્દ્ર સરકારે એક્શન લીધા જે 18 ઓટીટી એપને હટાવી દેવાઈ છે એમ  Dreams Films, Voovi, Yessma, Uncut Adda, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, વગેરે વગેરે ott પ્લેટફોર્મ હતા પણ આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ અને અત્યરે ટ્વીટર પર ટ્રેન્ડ કે ullu અને alt બાલાજીને કેમ આ લિસ્ટમાં સામેલ કરવામાં ના આવ્યા એના પર રોક કેમ નહીં?


ઓટિટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા કન્ટેન્ટથી વધી રહ્યા છે અપરાધ!

આ બધા ott પ્લેટફોર્મ વેબ સીરિઝના નામે પોર્ન કે અત્યારની ભાષામાં કહીએ તો સોફ્ટ પોર્ન બતાવતા હતા અને જે જોઈને આજના યુવાનો ખોટા રસ્તે ચઢી રહ્યા હતા દિવસે અને અને દિવસે રેપ કેસ વધતાં જાય છે જેમાં મોટા ભાગના આરોપીઓ પોર્ન કે અસલીલ કન્ટેન્ટ જોવાના આદિ હોય છે અત્યારે રોજ છાપા ખોલીએ તો એક કેસ એવો દેખાય કે ઘર માંજ બાપ દીકરીના ખોટા સબંધ , ભાભી અને દીયરના ખોટા સબંધ અને એના કારણે થતાં અપરાધો અને આ બધુ શીખી રહ્યા છે. તો એ છે આવી વેબસાઇટ અને આવા પ્લેટફોર્મ માટે સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ અને એપ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA 1986ની કલમ 4 હેઠળ લગાવાયો છે. 




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.