અશ્લીલ વીડિયો બતાવતી 18 ઓટીટી, 19 સાઇટ્સ-10 એપ્સ સરકારે કર્યા બ્લોક, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-03-14 17:40:00

કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ સામે ફરી એકવાર આક્રમક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટ, 10 એપ અને 57 ઓટીટી સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મને અનેક વખત ચેતવણી આપી હતી. આમ છતાં, તેઓ દ્વારા આઈટી એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું હતું. એટલે કેન્દ્ર સરકારે આ બધા પ્લેટફોર્મ સામે આંખ દેખાડી છે. 

કયા કયા ઓટિટી પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારે લગાવ્યો પ્રતિબંધ? 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી છે જેમાં લખ્યું છે કે  ‘આ ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરાઈ રહ્યું હતું. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવાઈ છે.’ એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી આપી હતી. પણ એ લોકોએ કઈ એક્શન ન લેતા કેન્દ્ર સરકારે એક્શન લીધા જે 18 ઓટીટી એપને હટાવી દેવાઈ છે એમ  Dreams Films, Voovi, Yessma, Uncut Adda, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, વગેરે વગેરે ott પ્લેટફોર્મ હતા પણ આ બધા વચ્ચે સૌથી મોટો સવાલ અને અત્યરે ટ્વીટર પર ટ્રેન્ડ કે ullu અને alt બાલાજીને કેમ આ લિસ્ટમાં સામેલ કરવામાં ના આવ્યા એના પર રોક કેમ નહીં?


ઓટિટી પ્લેટફોર્મ પર બતાવવામાં આવતા કન્ટેન્ટથી વધી રહ્યા છે અપરાધ!

આ બધા ott પ્લેટફોર્મ વેબ સીરિઝના નામે પોર્ન કે અત્યારની ભાષામાં કહીએ તો સોફ્ટ પોર્ન બતાવતા હતા અને જે જોઈને આજના યુવાનો ખોટા રસ્તે ચઢી રહ્યા હતા દિવસે અને અને દિવસે રેપ કેસ વધતાં જાય છે જેમાં મોટા ભાગના આરોપીઓ પોર્ન કે અસલીલ કન્ટેન્ટ જોવાના આદિ હોય છે અત્યારે રોજ છાપા ખોલીએ તો એક કેસ એવો દેખાય કે ઘર માંજ બાપ દીકરીના ખોટા સબંધ , ભાભી અને દીયરના ખોટા સબંધ અને એના કારણે થતાં અપરાધો અને આ બધુ શીખી રહ્યા છે. તો એ છે આવી વેબસાઇટ અને આવા પ્લેટફોર્મ માટે સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ અને એપ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA 1986ની કલમ 4 હેઠળ લગાવાયો છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.