'સરકાર MSP પર વટહુકમ લાવે', કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની આજે ચોથા રાઉન્ડની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 18:31:37

પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે. ખેડૂત નેતાઓએ MSP પર વટહુકમ લાવવાની પણ માંગ કરી રહ્યા છે. આજે ખેડૂત નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. અગાઉની ત્રણ બેઠકો નિષ્ફળ રહી હતી. MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી અને કાયદાકીય માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે.


વટહુકમથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી-પંઢેર


પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ છે. આજે અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તે આ મુદ્દે ચર્ચા કરશે. સરકારે આ અંગે વટહુકમ લાવવો જોઈએ. અમે તેનાથી ઓછું કંઈ સ્વીકારતા નથી.


આજે સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે વાતચીત


સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા જેવા ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સાથે બેઠક કરશે.


 પંજાબના 7 જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ ઠપ


ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના સાત જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. પટિયાલા જિલ્લાના શંભુ, જુલ્કન, પાસિયાન, પટડાં, શુતકરાણા, સમાના, ઘનૌર, દેવીગઢ અને બલભેરા અને એસએએસ નગર જિલ્લાના લાલરુમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. 


હરિયાણામાં 19 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ


હરિયાણા સરકારે શનિવારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ પરના પ્રતિબંધને બે દિવસ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હાલમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ 19 ફેબ્રુઆરી સુધી અમલમાં છે.


 હરિયાણાના ખેડૂતોએ આપી ચીમકી


જો આજે સાંજે પંજાબ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે સરકાર સાથેની બેઠક નિષ્ફળ જશે તો હરિયાણાના ખેડૂતો પણ સંપૂર્ણપણે રસ્તા પર આવી જશે. તમામ ખેડૂત સંગઠનો, ખાપ પંચાયતો અને અન્ય સંગઠનો એક થઈને એક મોટી લડાઈ લડશે અને તેમની માંગણીઓ પૂરી કર્યા બાજ જ પરત ફરશે. આ વખતે દિલ્હીના ખેડૂતોનો પણ સાથે લેવામાં આવશે, જેમના દ્વારા દિલ્હીને ઘેરવામાં આવશે. રાજ્ય વતી આ લડાઈ BKU પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં લડવામાં આવશે, જ્યારે દિલ્હીની ખાપ પંચાયતો અને ત્યાંના ખેડૂતો સાથે આંદોલનની રણનીતિ ધનખર ખાપના વડા. ડૉ. ઓમપ્રકાશ ખનખરના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિ દ્વારા બનાવવામાં આવશે. આ જાહેરાત આજે રવિવારે બ્રહ્મસરોવરના કિનારે કરવામાં આવી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.