'સરકાર MSP પર વટહુકમ લાવે', કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની આજે ચોથા રાઉન્ડની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 18:31:37

પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે. ખેડૂત નેતાઓએ MSP પર વટહુકમ લાવવાની પણ માંગ કરી રહ્યા છે. આજે ખેડૂત નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. અગાઉની ત્રણ બેઠકો નિષ્ફળ રહી હતી. MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી અને કાયદાકીય માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે.


વટહુકમથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી-પંઢેર


પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ છે. આજે અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તે આ મુદ્દે ચર્ચા કરશે. સરકારે આ અંગે વટહુકમ લાવવો જોઈએ. અમે તેનાથી ઓછું કંઈ સ્વીકારતા નથી.


આજે સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે વાતચીત


સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા જેવા ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સાથે બેઠક કરશે.


 પંજાબના 7 જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ ઠપ


ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના સાત જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. પટિયાલા જિલ્લાના શંભુ, જુલ્કન, પાસિયાન, પટડાં, શુતકરાણા, સમાના, ઘનૌર, દેવીગઢ અને બલભેરા અને એસએએસ નગર જિલ્લાના લાલરુમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. 


હરિયાણામાં 19 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ


હરિયાણા સરકારે શનિવારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ પરના પ્રતિબંધને બે દિવસ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હાલમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ 19 ફેબ્રુઆરી સુધી અમલમાં છે.


 હરિયાણાના ખેડૂતોએ આપી ચીમકી


જો આજે સાંજે પંજાબ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે સરકાર સાથેની બેઠક નિષ્ફળ જશે તો હરિયાણાના ખેડૂતો પણ સંપૂર્ણપણે રસ્તા પર આવી જશે. તમામ ખેડૂત સંગઠનો, ખાપ પંચાયતો અને અન્ય સંગઠનો એક થઈને એક મોટી લડાઈ લડશે અને તેમની માંગણીઓ પૂરી કર્યા બાજ જ પરત ફરશે. આ વખતે દિલ્હીના ખેડૂતોનો પણ સાથે લેવામાં આવશે, જેમના દ્વારા દિલ્હીને ઘેરવામાં આવશે. રાજ્ય વતી આ લડાઈ BKU પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં લડવામાં આવશે, જ્યારે દિલ્હીની ખાપ પંચાયતો અને ત્યાંના ખેડૂતો સાથે આંદોલનની રણનીતિ ધનખર ખાપના વડા. ડૉ. ઓમપ્રકાશ ખનખરના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિ દ્વારા બનાવવામાં આવશે. આ જાહેરાત આજે રવિવારે બ્રહ્મસરોવરના કિનારે કરવામાં આવી હતી.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .