'સરકાર MSP પર વટહુકમ લાવે', કેન્દ્રીય મંત્રીઓ સાથે ખેડૂત નેતાઓની આજે ચોથા રાઉન્ડની ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-18 18:31:37

પંજાબ-હરિયાણા બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ચોથા રાઉન્ડની વાતચીત થવાની છે. ખેડૂત નેતાઓએ MSP પર વટહુકમ લાવવાની પણ માંગ કરી રહ્યા છે. આજે ખેડૂત નેતાઓ કેન્દ્રીય મંત્રીઓ અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. અગાઉની ત્રણ બેઠકો નિષ્ફળ રહી હતી. MSP માટેની કાનૂની ગેરંટી ઉપરાંત, ખેડૂતો સ્વામીનાથન કમિશનની ભલામણોના અમલીકરણ, ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, લોન માફી અને કાયદાકીય માંગણીઓ સાથે શંભુ બોર્ડર પર એકઠા થયા છે.


વટહુકમથી ઓછું કંઈ સ્વીકાર્ય નથી-પંઢેર


પંજાબ કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ સર્વન સિંહ પંઢેરે કહ્યું કે શંભુ બોર્ડર પર આજે અમારો છઠ્ઠો દિવસ છે. આજે અમે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છીએ. સરકારે થોડો સમય માંગ્યો છે અને કહ્યું છે કે તે આ મુદ્દે ચર્ચા કરશે. સરકારે આ અંગે વટહુકમ લાવવો જોઈએ. અમે તેનાથી ઓછું કંઈ સ્વીકારતા નથી.


આજે સાંજે 6 વાગ્યે ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે વાતચીત


સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા જેવા ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા નેતાઓ આજે સાંજે 6 વાગ્યે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સાથે બેઠક કરશે.


 પંજાબના 7 જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ ઠપ


ખેડૂતોના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પંજાબના સાત જિલ્લામાં 24 ફેબ્રુઆરી સુધી ઇન્ટરનેટ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. પટિયાલા જિલ્લાના શંભુ, જુલ્કન, પાસિયાન, પટડાં, શુતકરાણા, સમાના, ઘનૌર, દેવીગઢ અને બલભેરા અને એસએએસ નગર જિલ્લાના લાલરુમાં ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. 


હરિયાણામાં 19 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ બંધ


હરિયાણા સરકારે શનિવારે સાત જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક SMS સેવાઓ પરના પ્રતિબંધને બે દિવસ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. હાલમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ 19 ફેબ્રુઆરી સુધી અમલમાં છે.


 હરિયાણાના ખેડૂતોએ આપી ચીમકી


જો આજે સાંજે પંજાબ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતો સાથે સરકાર સાથેની બેઠક નિષ્ફળ જશે તો હરિયાણાના ખેડૂતો પણ સંપૂર્ણપણે રસ્તા પર આવી જશે. તમામ ખેડૂત સંગઠનો, ખાપ પંચાયતો અને અન્ય સંગઠનો એક થઈને એક મોટી લડાઈ લડશે અને તેમની માંગણીઓ પૂરી કર્યા બાજ જ પરત ફરશે. આ વખતે દિલ્હીના ખેડૂતોનો પણ સાથે લેવામાં આવશે, જેમના દ્વારા દિલ્હીને ઘેરવામાં આવશે. રાજ્ય વતી આ લડાઈ BKU પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં લડવામાં આવશે, જ્યારે દિલ્હીની ખાપ પંચાયતો અને ત્યાંના ખેડૂતો સાથે આંદોલનની રણનીતિ ધનખર ખાપના વડા. ડૉ. ઓમપ્રકાશ ખનખરના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિ દ્વારા બનાવવામાં આવશે. આ જાહેરાત આજે રવિવારે બ્રહ્મસરોવરના કિનારે કરવામાં આવી હતી.



મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે જામનગરમાં પૂનમબેન માડમે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી.

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.