ગાયના નામે મત માગતી સરકારને ખરેખર ગૌ માતાની કેટલી દરકાર છે? જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:26:19

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગાયના નામે વોટ માંગતી રાજ્યની ભાજપ સરકાર ખરેખર ગાય માતાની દરકાર રાખે છે.? રાજ્ય સરકારે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતને એક ગાયના નિભાવ માટે માસિક ખર્ચ પેટે 900 રૂપિયા આપવામાં આવશે. અને આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે. જો કે આ યોજનાનો સંપુર્ણ અમલ થઈ શક્યો નથી.


સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી


ગાયના નામે મત મેળવનારી સરકારે ગાયના પાલકો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ યોજના માટે સરકારે બજેટમાં  50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પરંતું તેમાંથી અડધા રૂપિયા પણ વપરાયા નથી. ગાયના પાલન માટે સરકારી સહાય મેળવવા જતા ખેડૂતો પાસે એટલા બધા ડોક્યુમેન્ટસ માંગવામાં આવે છે કે તે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. અંતે આ ખેડૂતો નિરાસ થઈને સહાય મેળવવાનો વિચાર પડતો મુકે છે. જોવા જેવી બાબત તો એ છે કે રાજ્યની 45 લાખ જેટલી ગાયોમાંથી એક લાખ જેટલી દેશી ગાયોના માલિકોને જ આર્થિક સહાય આપવાની હતી તેમ છતાં પણ આ મદદ પશુપાલકોને પુરતા પ્રમાણમાં મળી શકી નથી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.