ગાયના નામે મત માગતી સરકારને ખરેખર ગૌ માતાની કેટલી દરકાર છે? જાણો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 16:26:19

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગાયના નામે વોટ માંગતી રાજ્યની ભાજપ સરકાર ખરેખર ગાય માતાની દરકાર રાખે છે.? રાજ્ય સરકારે બે વર્ષ પહેલા બજેટમાં જાહેરાત કરી હતી કે ખેડૂતને એક ગાયના નિભાવ માટે માસિક ખર્ચ પેટે 900 રૂપિયા આપવામાં આવશે. અને આ યોજનામાં 50 હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે. જો કે આ યોજનાનો સંપુર્ણ અમલ થઈ શક્યો નથી.


સરકારે બજેટમાં 50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી


ગાયના નામે મત મેળવનારી સરકારે ગાયના પાલકો અને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહી છે. આ યોજના માટે સરકારે બજેટમાં  50 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી પરંતું તેમાંથી અડધા રૂપિયા પણ વપરાયા નથી. ગાયના પાલન માટે સરકારી સહાય મેળવવા જતા ખેડૂતો પાસે એટલા બધા ડોક્યુમેન્ટસ માંગવામાં આવે છે કે તે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી જાય છે. અંતે આ ખેડૂતો નિરાસ થઈને સહાય મેળવવાનો વિચાર પડતો મુકે છે. જોવા જેવી બાબત તો એ છે કે રાજ્યની 45 લાખ જેટલી ગાયોમાંથી એક લાખ જેટલી દેશી ગાયોના માલિકોને જ આર્થિક સહાય આપવાની હતી તેમ છતાં પણ આ મદદ પશુપાલકોને પુરતા પ્રમાણમાં મળી શકી નથી.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .