સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીકની માંગણી કરી, સચિવાલય કર્મચારી ફેડરેશને CMને રજૂઆત કરી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-05 15:49:04

રજા...આ નામ સાંભળતા જ નોકરી કરતા લોકોમાં એક અલગ ખુશી હોય છે. પણ અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ. અઠવાડિયામાં બે રજા માંગવા માટે સરકારી કર્મચારીઓએ રજુઆત કરી છે. અને જો રજા નહિ મળે તો આંદોલન કરશે તેવી પણ વાત છે. 



સરકારી કર્મચારી કરી રહ્યા છે ફાઈવ ડે વીકની માગ! 

સરકારી કચેરીમાં કામ કરતા લોકોને કેટલી રજા મળવી જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કેમકે સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલય કર્મચારી ફેડરેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે. અને જો માગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારી કચેરીઓમાં બે દિવસ રજાની માંગ કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે. 


માનસિક તંદુરસ્તી જણવાય તે માટે કર્મચારી કરી રહ્યા છે આ માગ 

દેશના કેટલાક રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં સરકારી કચેરીઓમાં ફાઈવ ડે વીકનો નિયમ લાગૂ છે. ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં બે દિવસ રજા મળે તેવી માગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓની માનસિક તંદુરસ્તી સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવી શકાશે. જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં તે પણ એક સવાલ છે.


જર્મનીમાં ફોર ડે વિકની જાહેરાત કરાઈ છે! 

ભારતમાં મોટેભાગે ખાનગી સેક્ટરમાં કે પછી સરકારી કચેરીઓમાં ઓફિસમાંથી એક દિવસ રજા લેવાનું કલ્ચર છે. પરંતુ જર્મનીએ હાલમાં જ 1 ફેબ્રુઆરીથી ફોર ડે વિકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલા લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરે છે.


જો ચાર દિવસ કામ કરવામાં આવે તો... 

અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો. ઘણા દેશોમાં અઠવાડિયામાં ચાર ચાર રજાઓ છે. જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના કલાક અલગ અલગ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છેકે ફોર ડે વિક કામ કરવાથી તેમની સીક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.