સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીકની માંગણી કરી, સચિવાલય કર્મચારી ફેડરેશને CMને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2024-02-05 15:49:04

રજા...આ નામ સાંભળતા જ નોકરી કરતા લોકોમાં એક અલગ ખુશી હોય છે. પણ અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ. અઠવાડિયામાં બે રજા માંગવા માટે સરકારી કર્મચારીઓએ રજુઆત કરી છે. અને જો રજા નહિ મળે તો આંદોલન કરશે તેવી પણ વાત છે. 



સરકારી કર્મચારી કરી રહ્યા છે ફાઈવ ડે વીકની માગ! 

સરકારી કચેરીમાં કામ કરતા લોકોને કેટલી રજા મળવી જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કેમકે સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલય કર્મચારી ફેડરેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે. અને જો માગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારી કચેરીઓમાં બે દિવસ રજાની માંગ કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે. 


માનસિક તંદુરસ્તી જણવાય તે માટે કર્મચારી કરી રહ્યા છે આ માગ 

દેશના કેટલાક રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં સરકારી કચેરીઓમાં ફાઈવ ડે વીકનો નિયમ લાગૂ છે. ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં બે દિવસ રજા મળે તેવી માગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓની માનસિક તંદુરસ્તી સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવી શકાશે. જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં તે પણ એક સવાલ છે.


જર્મનીમાં ફોર ડે વિકની જાહેરાત કરાઈ છે! 

ભારતમાં મોટેભાગે ખાનગી સેક્ટરમાં કે પછી સરકારી કચેરીઓમાં ઓફિસમાંથી એક દિવસ રજા લેવાનું કલ્ચર છે. પરંતુ જર્મનીએ હાલમાં જ 1 ફેબ્રુઆરીથી ફોર ડે વિકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલા લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરે છે.


જો ચાર દિવસ કામ કરવામાં આવે તો... 

અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો. ઘણા દેશોમાં અઠવાડિયામાં ચાર ચાર રજાઓ છે. જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના કલાક અલગ અલગ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છેકે ફોર ડે વિક કામ કરવાથી તેમની સીક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે