સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીકની માંગણી કરી, સચિવાલય કર્મચારી ફેડરેશને CMને રજૂઆત કરી


  • Published By :
  • Published Date : 2024-02-05 15:49:04

રજા...આ નામ સાંભળતા જ નોકરી કરતા લોકોમાં એક અલગ ખુશી હોય છે. પણ અઠવાડિયામાં કેટલી રજા હોવી જોઈએ. અઠવાડિયામાં બે રજા માંગવા માટે સરકારી કર્મચારીઓએ રજુઆત કરી છે. અને જો રજા નહિ મળે તો આંદોલન કરશે તેવી પણ વાત છે. 



સરકારી કર્મચારી કરી રહ્યા છે ફાઈવ ડે વીકની માગ! 

સરકારી કચેરીમાં કામ કરતા લોકોને કેટલી રજા મળવી જોઈએ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે, કેમકે સરકારી કર્મચારીઓએ ફાઈવ ડે વીક કામ કરવાની રજૂઆત કરી છે. સચિવાલય કર્મચારી ફેડરેશને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. અને સાથે 19 પડતર પ્રશ્નો પણ રજૂ કર્યા છે. અને જો માગ નહિ સંતોષાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સરકારી કચેરીઓમાં બે દિવસ રજાની માંગ કેટલી યોગ્ય છે તે પણ એક સવાલ છે. 


માનસિક તંદુરસ્તી જણવાય તે માટે કર્મચારી કરી રહ્યા છે આ માગ 

દેશના કેટલાક રાજ્યો જેમકે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, સિક્કિમ અને છત્તીસગઢમાં સરકારી કચેરીઓમાં ફાઈવ ડે વીકનો નિયમ લાગૂ છે. ત્યારે ગુજરાતમાં પણ એ મુજબ અઠવાડિયામાં બે દિવસ રજા મળે તેવી માગ થઈ રહી છે. જેની પાછળ કારણ અપાયું છે કે કર્મચારીઓ અને અધિકારીઓની માનસિક તંદુરસ્તી સારી રહેશે. પરિવાર સાથે સમય વિતાવી શકાશે. જો આ મુજબ રજા મળશે તો વાસ્તવમાં કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે કે નહીં તે પણ એક સવાલ છે.


જર્મનીમાં ફોર ડે વિકની જાહેરાત કરાઈ છે! 

ભારતમાં મોટેભાગે ખાનગી સેક્ટરમાં કે પછી સરકારી કચેરીઓમાં ઓફિસમાંથી એક દિવસ રજા લેવાનું કલ્ચર છે. પરંતુ જર્મનીએ હાલમાં જ 1 ફેબ્રુઆરીથી ફોર ડે વિકની જાહેરાત કરી છે. પોતાની અર્થવ્યવસ્થામાં સુધાર લાવવા માટે જર્મની સરકારે આ પગલા લીધા છે. માટે જર્મનીમાં અઠવાડિયામાં લોકો ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ રજાના રહેશે. આ પ્રયોગ કરવાનો હેતુ એ જાણવાનો છે કે શું આમ કરવાથી કર્મચારીઓ વધુ ખુશ રહીને કામ કરે છે.


જો ચાર દિવસ કામ કરવામાં આવે તો... 

અલગ અલગ દેશોમાં સપ્તાહમાં કામ કરવાના કલાક પર નજર કરીએ તો. ઘણા દેશોમાં અઠવાડિયામાં ચાર ચાર રજાઓ છે. જાપાન સરકારે 4 ડે વીકની જાહેરાત કરી છે. આ સાથે અલગ અલગ દેશોમાં કામ કરવાના કલાક અલગ અલગ છે. જાપાનમાં એક અભ્યાસ મુજબ એવું પણ ધ્યાનમાં આવ્યું છેકે ફોર ડે વિક કામ કરવાથી તેમની સીક લીવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી કર્મચારીઓ જ્યારે કામ કરે ત્યારે સ્ફૂર્તિ સાથે કામ કરી શકે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.