સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતો હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્ય સરકાર કરી શકે છે આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-22 17:30:57

ગુજરાત હાઇકોર્ટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને અસર કરતો ચુકાદો આજે આપ્યો છે. હાઇકોર્ટના ચુકાદા મુજબ સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે છે. 


નિવૃતિ બાદ પણ સરકાર કરી શકે કાર્યવાહી


હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી. આ ચુકાદાની અસર સરકારમાં કામ કરી રહેલા અને નિવૃત્ત થઈ ચૂકેલા ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓ પર થશે.


સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ 


ગુજરાત સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ છે. દર વર્ષે તેમાં વધારો થતો જઈ રહ્યો છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યના સરકારી નોકરી કરતા અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પગાર પાછળ રાજ્ય સરકાર 40 હજાર 503 કરોડ ખર્ચ કરશે. જે આગામી વર્ષ 2023-24માં વધીને 45 હજાર 91 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં 5 હજાર 500 કરોડનો વધારો થવાનો છે. બીજી બાજુ 


પેન્શનરોની સંખ્યા વધીને આગામી વર્ષે 5,13,716 થશે


સરકારી ખાતામાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં પેન્શનરોની સંખ્યા ચાલુ વર્ષે 4 લાખ 99  હજાર 527 હતી જે વધીને આગામી વર્ષે 5 લાખ 13 હજાર 716 થશે. આ પેન્શરનરોને ચાલુ વર્ષે ગુજરાત સરકાર 22 હજાર 708 કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવશે. જ્યારે આગામી વર્ષે રાજ્ય સરકારનો પેન્શન પાછળનો ખર્ચ 24, 978 કરોડનો થશે. મહત્વની બાબત એ છે કે, સરકારી ખાતા અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો નથી. પરંતુ પેશન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.