સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરતો હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, રાજ્ય સરકાર કરી શકે છે આ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-06-22 17:30:57

ગુજરાત હાઇકોર્ટે રાજ્યના લાખો સરકારી કર્મચારીઓને અસર કરતો ચુકાદો આજે આપ્યો છે. હાઇકોર્ટના ચુકાદા મુજબ સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે છે. 


નિવૃતિ બાદ પણ સરકાર કરી શકે કાર્યવાહી


હાઈકોર્ટના ચુકાદા બાદ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી. આ ચુકાદાની અસર સરકારમાં કામ કરી રહેલા અને નિવૃત્ત થઈ ચૂકેલા ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓ પર થશે.


સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ 


ગુજરાત સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ છે. દર વર્ષે તેમાં વધારો થતો જઈ રહ્યો છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યના સરકારી નોકરી કરતા અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પગાર પાછળ રાજ્ય સરકાર 40 હજાર 503 કરોડ ખર્ચ કરશે. જે આગામી વર્ષ 2023-24માં વધીને 45 હજાર 91 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં 5 હજાર 500 કરોડનો વધારો થવાનો છે. બીજી બાજુ 


પેન્શનરોની સંખ્યા વધીને આગામી વર્ષે 5,13,716 થશે


સરકારી ખાતામાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં પેન્શનરોની સંખ્યા ચાલુ વર્ષે 4 લાખ 99  હજાર 527 હતી જે વધીને આગામી વર્ષે 5 લાખ 13 હજાર 716 થશે. આ પેન્શરનરોને ચાલુ વર્ષે ગુજરાત સરકાર 22 હજાર 708 કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવશે. જ્યારે આગામી વર્ષે રાજ્ય સરકારનો પેન્શન પાછળનો ખર્ચ 24, 978 કરોડનો થશે. મહત્વની બાબત એ છે કે, સરકારી ખાતા અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો નથી. પરંતુ પેશન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.