સરકારી કર્મચારીઓ કરશે લડતના મંડાણ, જૂની પેન્શન યોજના સહિતની માગને લઈ સરકારને આપ્યું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2024-02-04 17:28:42

દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવામાં  લાગી ગયા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી શાસનમાં રહેલી ભાજપની સરકાર સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જૂની પેન્શન યોજનાની માગને લઈ રાજ્યભરમાં કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર સમક્ષ વિવિધ માંગોને લઈ  અલગ અલગ જીલ્લાના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનો કરી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જો કે હવે તેમણે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.


રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોની બેઠક 


ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો હવે કર્મચારીના પ્રશ્ને મેદાનમાં આવ્યો છે. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારોની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં પહેલી એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે સોમવારે પત્ર લખાશે. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે અને 16 મી ફેબ્રુઆરીએ તમામ મંડળના સભ્યો કાળા કપડાં પહેરી ફરજ ઉપર હાજર થશે. મોરચો નવી પેન્શન સ્કીમ અને પડતર પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને 23મી ગાંધીનગરમાં આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે