સરકારી કર્મચારીઓ કરશે લડતના મંડાણ, જૂની પેન્શન યોજના સહિતની માગને લઈ સરકારને આપ્યું અલ્ટીમેટમ


  • Published By :
  • Published Date : 2024-02-04 17:28:42

દેશમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો લોકોને રિઝવવામાં  લાગી ગયા છે. જો કે ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી શાસનમાં રહેલી ભાજપની સરકાર સામે કર્મચારીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. જૂની પેન્શન યોજનાની માગને લઈ રાજ્યભરમાં કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદશન કરવામાં આવી રહ્યા છે. રાજય સરકાર સમક્ષ વિવિધ માંગોને લઈ  અલગ અલગ જીલ્લાના કર્મચારીઓ વિરોધ પ્રદર્શનો કરી પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. જો કે હવે તેમણે લડી લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.


રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના હોદ્દેદારોની બેઠક 


ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચો હવે કર્મચારીના પ્રશ્ને મેદાનમાં આવ્યો છે. રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સહિત તમામ મોરચાના હોદ્દેદારોની બેઠક ગાંધીનગરમાં યોજાઇ હતી. જેમાં પહેલી એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને ફિક્સ પગાર યોજના નાબૂદ કરવા અંગે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે સોમવારે પત્ર લખાશે. 14 અને 15 ફેબ્રુઆરીના રોજ તમામ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે અને 16 મી ફેબ્રુઆરીએ તમામ મંડળના સભ્યો કાળા કપડાં પહેરી ફરજ ઉપર હાજર થશે. મોરચો નવી પેન્શન સ્કીમ અને પડતર પ્રશ્નોને લઇને રાજ્ય સરકારને 23મી ગાંધીનગરમાં આંદોલનનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.