ચૂંટણી આવતા સરકારની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:22:26

ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક આંદોલનો અને હડતાળનો સામનો ગુજરાત સરકારને કરવો પડી રહ્યો છે. પોલીસ કર્મીનો મુદ્દો થોડો શાંત થયો ત્યારે શિક્ષકોએ પોતાની માગને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકારને પોતાની રજૂઆત કરવાના છે. જો રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો 17 સપ્ટેમ્બરે શિક્ષકો સીએલ પર ઉતરી આગળ આંદોલન ચલાવવાના છે.

પડતર માગને લઈ શિક્ષકો મેદાનમાં 

ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈ એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. સરકારે માંડ માંડ પોલીસ ગ્રેડ પે મુદ્દાને શાંત પાડ્યો ત્યારે શિક્ષકો પોતાની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરી રહ્યા છે. પડતર માગણી જો નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સૌથી પ્રમુખ માગણી છે કે ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવા માટે અનેક જિલ્લાઓમાં શિક્ષકો આવેદન પત્ર આપી રજૂઆત કરી. મહત્વનું છે કે બિન - ભાજપ  શાસિત રાજ્યોમાં જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવે તેવી માગ શિક્ષકો કરી રહ્યા છે. 

આવેદન પત્ર આપી શિક્ષકોએ પોતાની માગ રજૂ કરી. જો આવેદન પત્ર બાદ પણ માગ નહીં સંતોષાય તો 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસની સીએલ પર ઉતરશે. જો તો પણ સમાધાન નહીં થાય તો 22 સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી ધરણા કરી તમામ વિરોધ કરશે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે. 

વિવિધ આંદોલનોથી સરકારની વધી ચિંતા

આરોગ્ય કર્મી, પોલીસ કર્મી બાદ શિક્ષકો પણ સરકાર સામે અવાજ ઉપાડી રહ્યા છે. જો સરકાર તેમની પડતાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયે આંદોલન કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતા પોતાની માગને લઈ સરકારને ઘેરવા અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે અનેક આંદોલનની સીટો પર શું અસર થાય છે તે સમય બતાવશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"