ચૂંટણી આવતા સરકારની મુશ્કેલીમાં વધારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-11 12:22:26

ચૂંટણી નજીક આવતાની સાથે જ અનેક આંદોલનો અને હડતાળનો સામનો ગુજરાત સરકારને કરવો પડી રહ્યો છે. પોલીસ કર્મીનો મુદ્દો થોડો શાંત થયો ત્યારે શિક્ષકોએ પોતાની માગને લઈ સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકો કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી સરકારને પોતાની રજૂઆત કરવાના છે. જો રજૂઆત બાદ પણ ઉકેલ નહીં આવે તો 17 સપ્ટેમ્બરે શિક્ષકો સીએલ પર ઉતરી આગળ આંદોલન ચલાવવાના છે.

પડતર માગને લઈ શિક્ષકો મેદાનમાં 

ગુજરાતમાં વિવિધ મુદ્દાઓને લઈ એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. સરકારે માંડ માંડ પોલીસ ગ્રેડ પે મુદ્દાને શાંત પાડ્યો ત્યારે શિક્ષકો પોતાની માગણીઓને લઈ સરકારને રજૂઆત કરી રહ્યા છે. પડતર માગણી જો નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સૌથી પ્રમુખ માગણી છે કે ફરીથી જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે. જૂની પેન્શન યોજના ફરીથી લાગૂ કરવા માટે અનેક જિલ્લાઓમાં શિક્ષકો આવેદન પત્ર આપી રજૂઆત કરી. મહત્વનું છે કે બિન - ભાજપ  શાસિત રાજ્યોમાં જૂની પેંશન યોજના લાગૂ કરવામાં આવી છે. તો ગુજરાતમાં પણ આ યોજના લાગૂ કરવામાં આવે તેવી માગ શિક્ષકો કરી રહ્યા છે. 

આવેદન પત્ર આપી શિક્ષકોએ પોતાની માગ રજૂ કરી. જો આવેદન પત્ર બાદ પણ માગ નહીં સંતોષાય તો 17 સપ્ટેમ્બરના રોજ એક દિવસની સીએલ પર ઉતરશે. જો તો પણ સમાધાન નહીં થાય તો 22 સપ્ટેમ્બરના રોજ કાળી પટ્ટી ધરણા કરી તમામ વિરોધ કરશે. 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદ્દત માટે હડતાળ પર ઉતરશે. 

વિવિધ આંદોલનોથી સરકારની વધી ચિંતા

આરોગ્ય કર્મી, પોલીસ કર્મી બાદ શિક્ષકો પણ સરકાર સામે અવાજ ઉપાડી રહ્યા છે. જો સરકાર તેમની પડતાર માગણી નહીં સ્વીકારે તો આગામી સમયે આંદોલન કરવામાં આવશે. ચૂંટણી નજીક આવતા પોતાની માગને લઈ સરકારને ઘેરવા અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ત્યારે અનેક આંદોલનની સીટો પર શું અસર થાય છે તે સમય બતાવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.