સરકારી મેડિકલ કોલેજમાં ભણ્યા બાદ 359 બોન્ડેડ ડોક્ટર ફરજ પર હાજર ન થયા, કોંગ્રેસે કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-20 15:48:12

રાજ્યમાં સરકારી માલિકીની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં સેવા આપતા નથી. આ અંગે સરકારે વિધાનસભામાં વિગતે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ દોઠ વર્ષ સુધી રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ કે સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે.


કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્ય દ્વારા રાજ્યમાં બોન્ડ મેળવ્યા બાદ કેટલા ડોક્ટર હાજર ન થયા. હાજર ન થનાર ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી અને બોન્ડ પેટે કેટલી રકમ વસૂલ કરવામાં આવી? તે અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ડિગ્રી મેળવ્યા બાદ જે ડોક્ટરો સેવા આપવા ન માંગતા હોય તેવા તબીબો માટે રાજ્ય સરકારે બોન્ડની જોગવાઈ કરી છે. જે ડોક્ટર સેવા ન આપે અથવા બોન્ડ લીધા બાદ હાજર ન થાય તેની પાસેથી દંડ પેટે બોન્ડની રકમ વસૂલવામાં આવે છે. 


સરકારે આપ્યો આ જવાબ


રાજ્યના આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલમાં સરકારી કોલેજમાં એમબીબીએસ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિમણૂક આપેલી હોય અને હાજર ન થયાં હોય તેવા 359 ડોક્ટર પાસેથી 18.25 કરોડની વસૂલાત કરવાની બાકી છે. બોન્ડ લીધા બાદ હાજર ન થયા હોય તેવા ડોક્ટરો પાસેથી 139 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. બોન્ડના પૈસા ચૂકવે ત્યાર બાદ જ સર્ટીફીકેટ આપવામાં આવે છે. MBBSના 20 લાખ, પીજી 40, એસએસ માટે 50 લાખ બોન્ડની રકમ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 


સરકારે નવી નિતી બનાવવાની કરી માગ


સરકારી કોલેજોમાં અભ્યાસ પૂર્ણ કરી સરકારી મેડિકલ કોલેજોમાં સેવા ન આપતા હોય તેવા ડોક્ટરો અંગે નવી નિતી બનાવવાની કોંગ્રેસ પાર્ટીએ માગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી હોય તેવા મોટા ભાગના ડોક્ટર ફરજ પર હાજર થતાં નથી. સરકાર માત્ર બોન્ડની રકમ વસૂલીને સંતોષ માને છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો ઉપલબ્ધ કરાવવા માટે સર્વગ્રાહી નીતી બનાવવી જોઈએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.