સરકારી મેડિકલ કોલેજમાં ભણ્યા બાદ 359 બોન્ડેડ ડોક્ટર ફરજ પર હાજર ન થયા, કોંગ્રેસે કરી આ માગ


  • Published By :
  • Published Date : 2023-03-20 15:48:12

રાજ્યમાં સરકારી માલિકીની મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા બાદ સરકારી હોસ્પિટલમાં સેવા આપતા નથી. આ અંગે સરકારે વિધાનસભામાં વિગતે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે સરકારી મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ દોઠ વર્ષ સુધી રાજ્યની વિવિધ મેડિકલ કોલેજ કે સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની હોય છે.


કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યા સવાલ


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્ય દ્વારા રાજ્યમાં બોન્ડ મેળવ્યા બાદ કેટલા ડોક્ટર હાજર ન થયા. હાજર ન થનાર ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવી અને બોન્ડ પેટે કેટલી રકમ વસૂલ કરવામાં આવી? તે અંગે સવાલ પૂછવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે ડિગ્રી મેળવ્યા બાદ જે ડોક્ટરો સેવા આપવા ન માંગતા હોય તેવા તબીબો માટે રાજ્ય સરકારે બોન્ડની જોગવાઈ કરી છે. જે ડોક્ટર સેવા ન આપે અથવા બોન્ડ લીધા બાદ હાજર ન થાય તેની પાસેથી દંડ પેટે બોન્ડની રકમ વસૂલવામાં આવે છે. 


સરકારે આપ્યો આ જવાબ


રાજ્યના આરોગ્ય મંત્રીઋષિકેશ પટેલમાં સરકારી કોલેજમાં એમબીબીએસ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નિમણૂક આપેલી હોય અને હાજર ન થયાં હોય તેવા 359 ડોક્ટર પાસેથી 18.25 કરોડની વસૂલાત કરવાની બાકી છે. બોન્ડ લીધા બાદ હાજર ન થયા હોય તેવા ડોક્ટરો પાસેથી 139 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. બોન્ડના પૈસા ચૂકવે ત્યાર બાદ જ સર્ટીફીકેટ આપવામાં આવે છે. MBBSના 20 લાખ, પીજી 40, એસએસ માટે 50 લાખ બોન્ડની રકમ નક્કી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 


સરકારે નવી નિતી બનાવવાની કરી માગ


સરકારી કોલેજોમાં અભ્યાસ પૂર્ણ કરી સરકારી મેડિકલ કોલેજોમાં સેવા ન આપતા હોય તેવા ડોક્ટરો અંગે નવી નિતી બનાવવાની કોંગ્રેસ પાર્ટીએ માગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી હોય તેવા મોટા ભાગના ડોક્ટર ફરજ પર હાજર થતાં નથી. સરકાર માત્ર બોન્ડની રકમ વસૂલીને સંતોષ માને છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ડોક્ટરો ઉપલબ્ધ કરાવવા માટે સર્વગ્રાહી નીતી બનાવવી જોઈએ.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.